SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ અનેકાંત : તત્ત્વાર્થખજાનાની ચાવી... (૧૬) અનેકાંત એમને એટલો બધો પસંદ પડ્યો દેખાય છે કે, એમના ગ્રંથોમાં વારંવાર અનેકાંતની પ્રરૂપણા દેખાયા કરે છે. ધર્મસંગ્રહણીમાં તો એમને લોકોના સ્વભાવની વિચિત્રતા, કર્મની પરિણતિ વગેરેને આગળ કરી સર્વત્ર અનેકાંતને જ પ્રધાન કરવાની વાત કરી છે. અને જૈનશાસનમાં તો સર્વત્ર અનેકાંતનો જયજયકાર છે.. છે જ ઉત્સર્ગો ને અપવાદો અનેકાંત વિના સંભવે ખરા? I આય-વ્યયની તુલના કરી તે-તે અવસરે વર્તવાની વાત અનેકાંતની જ સાધિકા છે ને.? " IT અરે ! એક બાજુ નિશ્ચયનું અવલંબન કરનારા ઋષિઓ પરિણામને જ પ્રમાણભૂત ગણે છે ! છે એમ જણાવ્યું છે. તો બીજી બાજુ વ્યવહારસૂત્રમાં આલોચનાહના ક્રમની ચર્ચામાં કહી દીધું: “અમે છે પરિણામને પ્રમાણભૂત માનીએ છીએ એ પણ અનેકાંતિક છે.. એ અમે એકાંતે પ્રમાણભૂત માનતા છે | નથી..” છે જે દરેક પચ્ચખાણ આગારયુક્ત.. એટલે કે પચ્ચખ્ખાણ પણ અનેકાંતમય.. છે. આમ તો ૩પન્નડુ વા... એ ત્રિપદીની અપેક્ષાએ (માલીપ. ૩ વ્યોમ) દીવાથી માંડી આકાશ I સુધીના બધા જ દ્રવ્ય અનેકાંતરૂપ જિનાજ્ઞાને વરેલા છે.. તત્ત્વાર્થનું ‘પિતાનપતસિદ્ધ ' સૂત્ર પણ છે. | સર્વત્રનય વગેરેને આગળ કરીને અનેકાંતનું જ સમર્થક છે. અલબત્ત એ સિવાય ક્યાંક ક્યાંક એકાંત છે, જેમકે (૧) દ્રવ્યાર્થિકનયે આત્મા નિત્ય જ છે, તે (પર્યાયાર્થિકનયે અનિત્ય જ. (૨) અચરમાવર્ત કાળમાં કરેલો ધર્મ યોગરૂપ બને જ નહીં. (૩) ' અવસર્પિણીકાળમાં ૨૪થી વધુ તીર્થકરો થાય નહીં.. ઇત્યાદિ કોક-કોક અંશે એકાંતમય વાતો છે, ત્યાં 'અપવાદ પણ નથી ને અચ્છેરારૂપ પણ વાત નથી. પણ એવા કેટલાક એકાંત હોવાથી જ અનેકાંત • હોવામાં ય અનેકાંત છે, એમ સિદ્ધ થવાથી અનેકાંત પરિપૂર્ણ થાય છે. * સર્વત્ર અનેકાંતવાદથી જ તત્ત્વની પ્રાપ્તિ થાય છે ને સમ્યક્ત પ્રાપ્ત-શુદ્ધ-દઢ થાય છે. અનેકાંત તે સિદ્ધ કરતા ગ્રંથોના અભ્યાસથી સમ્યક્તની શુદ્ધિ થાય છે. તેથી અપેક્ષાએ કહી શકાય કે અનેકાંતસાધક છે છે ગ્રંથોનો અભ્યાસ એ દર્શનાચાર છે.. + અનેકાંતને જીવનવ્યવહારમાં પણ સર્વત્ર અજમાવવાથી ખોટી પકડ, જીદ રહેતી નથી. બીજાના તે દૃષ્ટિકોણને સમજવાની ઉદારતા આવે છે ને તેથી જ કલહ-કંકાસ પણ રહેતો નથી.. છે $ છગન મગનને કહ્યું: ‘રમણે બે દિ' પહેલા એક દુકાન ખોલી.. આજે એ જેલમાં છે..' મગને કહ્યું : “અરે ! દુકાન ખોલી એમાં જેલ? આ તો ગધેડાને તાવ આવે એવી વાત છે.. તું જ કહે એણે દુકાન ખોલી એમાં જેલ કેમ થઈ?' છગને કહ્યું: “એણે હથોડાથી દુકાન ખોલી હતી !” આ તો મજાક છે. પણ વાત એ છે કે અનેકાંતવાદ હોય, તો કોઈ પણ વાતની ગાંઠનહીં રહેવાથી ( બધી સંભાવનાઓ માપવાનો અવકાશ રહે છે. १. 'आदीपमाव्योम समस्वभावं, स्याद्वादमुद्राऽनतिभेदि वस्तु । तन्नित्यमेवैकमनित्यमन्यदिति त्वदाज्ञाद्विषतां प्रलापाः ॥५॥' - अन्ययोगव्यवच्छेद० । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy