SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ २०० अनेकान्तजयपताका ( દ્વિતીય: < तेन तस्य प्रतिबन्धासिद्धेः । न च तदभवनधर्मकमेव कपालभवनम्, अनभ्युपगमात् । इति तत्तुच्छत्वेऽपि नश्वरत्वादिसिद्धिः (१४५ ) उत्पादादिमत्त्वे भवनाभवनयोरभेद इति चेत्, न, तुच्छेतरत्वविशेषात्, निवृत्तिभेदाद् ग्रहणनानात्वात् । इति कुतोऽस्य क्षण * જીવ્યાબા प्रतिबन्धासिद्धेः, तादात्म्याद्यनभ्युपगमात् । न च तदभवनधर्मकमेव घटाभवनधर्मकमेव कपालभवनम् । कुत इत्याह-अनभ्युपगमात् । इति एवं तत्तुच्छत्वेऽपि - अभवनतुच्छत्वेऽपि सति नश्वरत्वादिसिद्धिः- उत्पत्तिनाशोत्तरोन्मज्जनसिद्धिः ॥ पराभिप्रायमाह-उत्पादादिमत्त्वे सति भवनाभवनयोरभेदः तुल्यधर्मतया । इति चेत्, एतदाशङ्क्याह-नेत्यादि । न- नैतदेवम् । कुत इति हेतूनाह - तुच्छेतरत्वविशेषाद् भवनाभवनयोः । तथाहि-तुच्छमभवनम्, अतुच्छं भवनमिति विशेषः । तथा निवृत्तिभेदाद् भवनस्य ह्यभवनं निवृत्तिर्भवनं त्वभवनस्य । तथा ग्रहणनानात्वात् । एकमतुच्छतया गृह्यते, अन्यत् ... અનેકાંતરશ્મિ કે તદુત્પત્તિ એક પણ સંબંધ, તમારા મતે ઘટતા નથી. તે આ રીતે - (૧) અભવનનું ભવન સાથે તાદાત્મ્ય તો અસંભવિત જ છે, કારણ કે તમે તેવું તાદાત્મ્ય માન્યું જ નથી, અને (૨) કપાલનું ભવન એ ઘટ અભવનથી ઉત્પન્ન પણ થતું નથી, કારણ કે અભવન તુચ્છ હોવાથી કોઈ કાર્ય ઉત્પન્ન ન કરી શકે... આ બે સિવાય બીજો તો કોઈ સંબંધ તમે માનતાં નથી, તેથી બંને વચ્ચે સંબંધ જ ન હોવાથી, કપાલભવન દ્વારા ઘટઅભવનનો નિશ્ચય થઈ શકશે નહીં. અને, કપાલભવન એ જ ઘટ-અભવનરૂપ ધર્મવાળું છે, તેવું તો તમે માનતાં નથી; કારણ કે તુચ્છ એવા અભવન અને અતુચ્છ એવા ભવન વચ્ચે ધર્મ-ધર્માભાવ કેવી રીતે થાય ? (સ્યાદ્વાદમતે, કપાલ પણ ઘટનો ઉત્ત૨ પર્યાય છે, બંને વચ્ચે કથંચિદ્ અભેદ છે... પણ નિરન્વય-નાશવાદી બૌદ્ધો તેવું માની શકે નહીં... ઉપરાંત ભવનને અભવનધર્મક માનવામાં વિરોધ આવે.) સારાંશ : તેથી તુચ્છ હોવા છતાં પણ, તેને શેયસ્વભાવી તો માનવો જ પડશે અને આમ સસ્વભાવી સિદ્ધ થતાં, હેતુ દ્વારા, તે ક્ષણિકસ્વભાવે જ ઉત્પન્ન થશે. અને ક્ષણિકસ્વભાવી હોવાથી, પ્રથમક્ષણે ભવન, દ્વિતીયક્ષણે ભવનનાશ-અભવનની ઉત્પત્તિ અને તૃતીયક્ષણે અભવનનાશ-ભવનની ઉત્પત્તિ. આમ ફરી ભવનની ઉત્પત્તિનો પ્રસંગ યથાવસ્થિત જ રહેશે. ܀ * ભવન-અભવનના અભેદનો પરિહાર (૧૪૫) બૌદ્ધ : જો અભવનનો પણ ઉત્પાદ-નાશ માનશો, તો ભવન-અભવન વચ્ચે કોઈ ભેદ જ નહીં રહે, બંનેનો અભેદ થઈ જશે. સ્યાદ્વાદી : ઉત્પાદાદિરૂપે બંનેનો અભેદ હોવા છતાં, સ્વરૂપાદિની અપેક્ષાએ તો બંનેનો ભેદ સંગત જ છે. તે આ રીતે – (૧) અભવન તુચ્છરૂપ છે, જ્યારે ભવન તો અનુચ્છરૂપ છે, (૨) અભવન તે ભવનની નિવૃત્તિરૂપ થાય છે, જ્યારે ભવન અભવનની નિવૃત્તિરૂપ છે, અને (૩) અભવનનું ગ્રહણ તુચ્છરૂપે થાય છે, ભવનનું ગ્રહણ અતુચ્છરૂપે થાય છે - આમ, સ્વરૂપ-નિવૃત્તિ-ગ્રહણને આશ્રયીને, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy