SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ अनेकान्तजयपताका (પ્રથમ: एतच्चासारम्, प्रकरणकारो यत एव प्रेक्षापूर्वकारी, अत एव तन्निष्पत्त्यर्थं प्रकरणादौ तदङ्गरूपमिष्टदेवतास्तवमाह । सम्भवत्यत्र विघ्नः प्रागुपात्ताशुभकर्मोदयलक्षणः । स चेष्टदेवतास्तवकरणतः प्रशस्तभावोपपत्तेरुपशाम्यतीति तन्निष्पत्त्यङ्गमेव । एवं च जलानलवत् स्तवविघ्नयोर्विरोध एव । न चेहाप्यतिप्रबलोऽग्निः स्वल्पेन जलेनोपशाम्यति । न चाल्पः स्वयमपि · અનેકાંતરશ્મિ .. બીજાની સત્તા અવશ્ય હોય... જેમ ઘટના અભાવમાં ઘટાભાવની અને ઘટાભાવના અભાવમાં ઘટની. પણ પ્રસ્તુતમાં, મંગલના અભાવમાં વિપ્નની સત્તા હોય એવું દેખાતું નથી, કારણ કે નાસ્તિકના ઢગલાબંધ ગ્રંથોમાં, મંગલના અભાવે પણ વિપ્નની સત્તા જરાય દેખાતી નથી. - આમ, મંગલ-વિઘ્ન વચ્ચે વિરોધ જ ન હોવાથી, તેના દ્વારા વિપ્નની ઉપશાંતિ અસંભવિત છે. ટૂંકમાં, મંગલ કરો તો પણ કાદંબરી વગેરેની જેમ વિઘ્નો આવી શકે અને ન કરો તો પણ નાસ્તિકગ્રંથોની જેમ વિઘ્નો ન પણ આવે.. ફલતઃ સ્તવાત્મક મંગલ અસંબદ્ધ હોવાથી, તેનો ઉપન્યાસ કરવો ઉચિત નથી. મંગળની આવશ્યક્તા ઉત્તરપક્ષ :- પ્રકરણકાર, પ્રેક્ષાપૂર્વક પ્રવૃત્તિ કરનાર છે, માટે જ પ્રકરણની આદિમાં, પ્રકરણના અંગરૂપ, ઇષ્ટદેવતાનાં સ્તવરૂપ મંગળનું વિધાન કરે છે. અનાદિ કાળથી પરિભ્રમણ કરતાં જીવે, પૂર્વે ઘણા અશુભ કર્મોનો બંધ કર્યો છે, તે કર્મોનો જ્યારે ઉદય આવશે ત્યારે અવશ્ય વિપ્નની સંભાવના છે, તે કર્મનાશ માટે સ્તવ કરાય છે. પૂર્વપક્ષ:- પણ સ્તવથી કર્મનાશ શી રીતે થાય? ઉત્તરપક્ષ :- અશુભકર્મ અશુભભાવથી બંધાય છે. ઈષ્ટદેવતાસ્તવથી શુભભાવ ઉત્પન્ન થાય છે, તે અશુભ કર્મનો નાશ કરે છે. માટે જો સ્તવાત્મક મંગળ કરાય, તો પ્રશસ્તભાવ થવા દ્વારા અશુભ કર્મોનો નાશ થવાથી, અવશ્ય વિઘ્નો દૂર થાય છે. અને તેથી ગ્રંથની નિષ્પત્તિનું અંગ ઇષ્ટદેવતા સ્તવ બને છે. તેથી તે સંબદ્ધ જ છે. આ પ્રમાણે અગ્નિ-જળની જેમ સ્તવ-વિઘ્ન વચ્ચે પણ વિરોધ છે જેમ ભયાનક અને અતિપ્રબળ આગ પ્રજવલિત થઈ હોય, તે કાંઈ થોડા જ જળથી ઉપશમિત ન થાય. તે માટે તો પ્રચુર જળ જોઈએ. તેમ કાદંબરી વગેરે ગ્રંથમાં અતિ પ્રબળ વિપ્ન હોવાથી, ત્યાં પણ મંગળ પ્રચુર પ્રમાણમાં જોઈએ, પણ થયું છે અલ્પપ્રમાણમાં જ... બાકી જો સમબળે જ મંગળ થયું હોત, તો ત્યાં પણ વિજ્ઞવિનાશ શક્ય જ હોત... તેથી તમે જે કહ્યું કે - “કાદંબરી વગેરેની જેમ, મંગલ હોવા છતાં પણ વિપ્નની સત્તા છે” - તે બધું કથન પરાસ્ત થાય છે. પ્રશ્ન : વિરોધ તો ખવરૂપ પ્રશસ્તભાવ અને વિષ્ણજનક અપ્રશસ્તભાવનો હોઈ શકે, સ્તવ-વિપ્નનો શી રીતે ? ઉત્તર : અહીં વિઘ્ન અશુભ કર્મના ઉદયરૂપ છે. એટલે પ્રશસ્તભાવરૂપ સ્તવ સાથે વિરોધ હોવો શક્ય છે. અથવા તો સ્તવ, વિપ્નના કારણભૂત અશુભકમેના જનક અપ્રશસ્તભાવનો વિરોધી છે અને કારણનાશકાર્યનાશ પણ થાય, ફલતઃ સ્તવ વિશ્નનું વિરોધી થાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy