SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ ૨૫૫ લોકોત્તર ન્યાય અંગેના તમામ નીતિ-નિયમો ધર્મસત્તા દર્શાવે છે. લોકોત્તર ન્યાયની સીમાઓ અમર્યાદિત છે; કેમ કે તે સમગ્ર જીવસૃષ્ટિના મૂળભૂત અધિકારો મંજૂર કરે છે. આ સૃષ્ટિમાં જીવમાત્રને જીવવાના અધિકારો સમાન છે. તેમાં નબળો જીવ કે સબળો જીવ, નાનો જીવ કે મોટો જીવ, ક્ષુદ્ર જીવ કે મહત્ત્વપૂર્ણ જીવ, તેના આધારે ભેદભાવ નથી. માત્ર મનુષ્યને જ જીવવાના અધિકાર, સ્વતંત્રતા કે વિકાસ અંગેના અધિકારો સ્વીકારવા; તે સ્વાર્થી મનોવૃત્તિની નિશાની છે. આપણે મનુષ્ય છીએ, માટે માનવનો વિચાર કરવો વાજબી છે; પરંતુ - આપણે જીવ છીએ, આપણામાં જેવી સુખ-દુઃખની સંવેદના છે તેવી બધા સજીવોમાં છે, આપણે જીવવા ઇચ્છીએ છીએ તેમ જીવમાત્ર જીવવા ઇચ્છે છે આ વાસ્તવિકતાનો સ્વીકાર વિશાળ હૃદય બનાવી ધર્મ શીખવે છે. તેથી ધર્મનું ધ્યેય રાજ્ય કરતાં વધારે વ્યાપક, વિશાળ અને ઉન્નત છે. ન્યાયી વ્યવસ્થા આપનાર રાજ્ય અને ધર્મ બંનેમાં અપરાધોનો દંડ ચોક્કસ આવે, પરંતુ બંનેના ન્યાયની સીમામાં જ તફાવત હોવાથી દંડ પણ મર્યાદિત અને વિશાળ બને છે. રાજ્યસત્તામાં માત્ર મનુષ્ય પૂરતા પરસ્પરના મોટા અન્યાયી વર્તન માટે જ દંડની વ્યવસ્થા છે; જ્યારે ધર્મ તો તમામ જીવો પ્રત્યેના અન્યાયી વર્તન, તે પણ માનસિક, વાચિક, કાયિક, સ્થૂલ, સૂક્ષ્મ તમામ અપરાધોના દંડની વ્યવસ્થા દર્શાવે છે. તેના અમલીકરણનું વ્યવસ્થાતંત્ર પણ સ્થાપિત કરે છે. રાજ્યના નાયક વિના રાજ્ય ન ચાલે, તેમ ધર્મસત્તાના નાયક વિના ધર્મશાસન ન ચાલે. જગતમાં ઊંચામાં ઊંચા આદર્શો, ધ્યેયો ધર્મસત્તા પ્રવર્તાવે છે, એટલે રાજ્ય તેનાથી મહાન ન प्रजा-जन्तवस्तदनुकम्पी च तान्संसारे पर्यटतोऽनुकम्पते भगवान् तच्छीलश्च तमेवंरूपं 'धर्मे' परमार्थभूते व्यवस्थितं कर्मविवेकहेतुभूतं भवद्विधा आत्मदण्डैः समाचरन्त - आत्मकल्पं कुर्वन्ति ... ।।२५।। ' (શીલાંાચાર્ય કૃત સૂત્રતાસૂત્ર, શ્રુત ંત્ર્ય-૨, અધ્યયન-૬, શ્લોજ -૨૦, ૨૫, મૂલ-ટીજા) ૧. નિજ નિજ જીવિત સહુને વાહલું, મરવું ન વાંછે કોયજી; એમ જાણી હિંસા પરિહરીયેં, મારીજે નહીં એ જીવજી. ૯. (ભાવસાગરજી કૃત ષડ્થવનિકાયના આયુષ્યની સજ્ઝાય) २. दण्ड एव वरो लोके पुरुषस्येति मे मतिः । (વાલ્મીજિરામાયળ, ૬/૨૨/૪૧) * નાવ૬: ક્ષત્રિયો માતિ, નાવણ્ડો ભૂમિમનુતે । નાવહસ્ય પ્રના રાન્ન:, મુત્યું વિન્તિ ભારત ||૪|| (શ્રી વેદ્દાસ વિરચિત મહામાત, શાન્તિપર્વ, અધ્યાય-૧૪) * માં વ્યાવસ્તુ ોન્તેય ! ૬°નુધાળમુતે વતં ત્તિ ક્ષત્રિયે નિત્યું, વર્તે ૬૩: સમાહિત:।।૩।। (શ્રી વેદ્દવ્યાસ વિરચિત મહાભારત, શાન્તિપર્વ, અધ્યાય-૨૨,) ૩. રાષ્ટ્રસ્કૃતમ્ નૃત્યતમ, રાસ વામિષેધનમ્ । અનિન્દ્રમવાં રાષ્ટ્ર, સ્થવોઽમિમવત્ત્પત ।।૨।। Jain Education International (श्री वेदव्यास विरचित महाभारत, शान्तिपर्व, अध्याय - ६७ ) For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005531
Book TitleDharmtirth Part 02
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2008
Total Pages508
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy