SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવતીર્થ-અનુષ્ઠાન ૧પ૯ કહેશે કે જે રત્નત્રયીને પામશે તે જ તરશે. જેના આત્મામાં પૂર્ણ ધર્માનુષ્ઠાન પ્રગટશે તેના સંસારનો અંત થશે. દ્રવ્યાર્થિકનયનો નિશ્ચયનય રત્નત્રયીયુક્ત આત્માને કે પૂર્ણ ધર્માનુષ્ઠાનવાળા આત્માને જ ભાવતીર્થ કહે, જ્યારે પર્યાયાર્થિકનયનો નિશ્ચયનય આત્મામાં પ્રગટેલી રત્નત્રયી કે પૂર્ણ ધર્માનુષ્ઠાનને ભાવતીર્થ કહે. આ બંને નયોના દૃષ્ટિકોણનો તફાવત છે, પરંતુ બંને નય અનુસારી નિશ્ચયનયો સ્વને ભાવતીર્થ બનાવ્યા વિના તરાય તેવું તો ન જ માને. શ્રાવકને પ્રત્યેક ધર્મક્રિયામાં આંશિક સમિતિ-ગુપ્તિનું સેવન આવે, જ્યારે પરિપૂર્ણ માત્રામાં તેનું સેવન કરવું હોય તો સાધુજીવન જ અપનાવવું પડે. આત્મામાં પ્રગટેલું પૂર્ણ માત્રાનું સમિતિ-ગુપ્તિનું આચરણ તે જ ભાવતીર્થ છે; કારણ કે તેમાં સર્વ ગુણોનું પોષણ અને સર્વ દોષોનું મારણ કરવાની શક્તિ છે. તેને માટે પ્રવચનમાતા શબ્દ વાપરી તેનો જબરદસ્ત મહિમા પ્રસ્થાપિત કર્યો છે. આખું ભાવતીર્થ તેમાંથી પ્રગટે છે. એટલે કે આત્માને તારનારું વર્તનરૂપ તત્ત્વ તેમાંથી પ્રસૂતિ પામે છે. પ્રવચનની માતા કહીને જૈનશાસને સમિતિ-ગુપ્તિની શ્રેષ્ઠ યશોગાથા ગાઈ છે. દુનિયાના બીજા કોઈ પણ ધર્મ પાસે સંપૂર્ણ સમિતિ-ગુપ્તિવાળું અનુષ્ઠાન નથી; તે જૈનશાસનમાં જ છે. આ જૈનશાસનની monopoly છે. તીર્થકરોના શાસનનો આચાર અંગે આ કાયમનો ઇજારો છે. પૂર્ણજ્ઞાની સિવાય આવું સર્વાગી નિર્દોષ અનુષ્ઠાન બીજા १. सम्प्रति नामान्वर्थमाहअट्ठसुवि समिईसु अ दुवालसंग समोअरइ जम्हा। तम्हा पवयणमायाअज्झयणं होइ नायव्वं । ।४५९ ।। 'अष्टास्वपि' अष्टसङ्ख्यास्वपि समितिषु 'द्वादशाङ्गं' प्रवचनं समवतरति-संभवति यस्मात्, ताश्चेहाभिधीयन्त इति गम्यते, तस्मात्प्रवचनमाता प्रवचनमातरो वोपचारत इदमध्ययनं 'भवति' ज्ञातव्यमिति गाथार्थः ।।४५९।। (9ત્તરાધ્યયનસૂત્ર નિવૃત્તિ શ્રનોવે-૪૧ મૂન, શાંતિસૂરી મ.સા. કૃત ટીકા) * इत्थं चारित्रगात्रस्य, जननत्राणशोधनैः । मातृभूताः स समितिगुप्तीरष्टाऽप्यधारयत्।।२७५।। (ત્રિષ્ટિશના પુરુષવરિત્ર પર્વ-૨, સ-૨) * पवयणमायाउ इमा, निद्दिट्ठा जिणवरेहि समयंमि। मायं एयासु जओ, जिणभणियं पवयणमसेसं।।१७२।। सुयसागरस्स सारो, चरणं चरणस्स सारमेयाओ। समिईगुत्तीण परं, न किंचि अन्नं जओ चरणं।।१७३।। (मलधारी हेमचंद्रसूरिजी विरचित पुष्पमाला प्रकरण) * ईर्यासमितिप्रभृति-प्रवचनमातृरूपं, तिसृभिः कोटिभी रागद्वेषमोहलक्षणाभिर्यद्वा कृतकारितानुमतभेदभिन्नहननपचनक्रयणरूपाभिः प्रतिषेधव्यापारेण परिशुद्धं । यद्वा। तिसृभिः कोटिभिः शास्त्रस्वर्णशोधनकारिणीभिः कषच्छेदतापलक्षणाभिः परिशुद्धं सर्वस्य शास्त्रस्य प्रवचनमात्रंतर्भूतत्वात्। साधुसद्वृत्तं ।। (ષોડશવ-૨, નોવ-૭, ૩૫. યશોવિજયની ટીવા) २. अष्ट च प्रवचनमातरो दृष्टा-उपलब्धाः, कैरित्याह-अष्टविधा-अष्टप्रकारा निष्ठिता:-क्षयं गता अर्थाः प्रक्रमाજ્ઞાનાવરWપિલા રેષાં તે તથા તેલિનેરિત્યર્થ, ૩૦ ૮૫ | (વર્ણસંપ્રદ મા-રૂ, સ્નો-૧૮, ટીવા) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005531
Book TitleDharmtirth Part 02
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2008
Total Pages508
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy