SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાસ્તાવિક , પ્રાસ્તાવિક " , , , , , , ", ' , ૯ , ૬ . A . , . , , - . ક - . - . 1 - . મ . - " - 1 5 T : K " અનાદિ કાળથી ભવાટવીના ઘોર અંધકારમાં ગુમરાહ જીવોને પાર પમાડવા આજથી આશરે ૨૫૦૦ વર્ષ પહેલાં પ્રભુ વીરે આ ધરાતલ પર દેશનારૂપી પ્રકાશ પાથર્યો. જગતમાં તીર્થકરોનું શાસન વ્યવહારથી ધર્મતીર્થ સ્વરૂપે આપણી વચ્ચે વિદ્યમાન છે છે. જે માળખારૂપે સામાન્ય જીવોને પણ દેખાય તેવું છે. તેના અવલંબનથી નિશ્ચયનયના શાસનને પ્રાપ્ત કરી જીવો મોક્ષમાર્ગમાં ગતિ કરે છે. બાકી નિશ્ચયનયનું શાસન સૂક્ષ્મ પ્રજ્ઞાસંપન્ન દ્વારા જ ગ્રહણ થાય તેવું છે, સામાન્ય જીવો માટે તે સૂક્ષ્મ-ગંભીરરહસ્યમય-દુર્ણાહ્ય છે. પરંતુ વર્તમાન સંઘની દુઃખદ પરિસ્થિતિ એ છે કે “જૈનધર્મના મૂળભૂત ઘટકરૂપ ધર્મતીર્થ કે “જેનાથી આપણે તીર્થકરોની ગેરહાજરીમાં પણ સર્વજ્ઞના અનુશાસનને પામી શકીએ છીએ' તેની સાચી ઓળખ લુપ્તપ્રાયઃ બની છે. અરે ! વર્ષોથી ધર્મ કરનારાઓને પૂછીએ કે “ધર્મતીર્થ એટલે શું ?” તો તેનો કોઈ ખુલાસાસહિત સંતોષકારક જવાબ ન મળે”. - આજથી થોડા વર્ષ પૂર્વે શાસનના બહુશ્રુત પૂર્વપુરુષરચિત અમૂલ્ય શ્રતવારસાને લોકો સુધી સુગમ રીતે પહોંચાડી સુરક્ષિત કરવા ગીતાર્થ ગંગા સંસ્થાની સ્થાપના થયેલ, તેમાં પ્રમાણભૂત પ્રાચીન હજાર ગ્રંથના આધારે જૈનશાસનના ૧૦,૦૦૦ વિષયોનું વર્ગીકરણનું કાર્ય ચાલી રહેલ છે. સંસ્થાના મુખ્ય માર્ગદર્શક, જ્ઞાનવારિધિ પ. પૂ. સ્વ. મુનિપ્રવર મોહજિતવિજયજી મહારાજાએ પૂ. ગુરુદેવને આજ્ઞા કરેલ કે “આપણે કાર્યના ફળ સ્વરૂપે જે સાહિત્ય બહાર પાડીએ તેમાં મંગલ તરીકે પ્રથમ “ધર્મતીર્થ” વિષય લેવો. ધર્મતીર્થની સ્થાપના પછી પર્ષદા ભેગી થાય. પર્ષદા મળે એટલે પ્રભુ દેશનાઆપે. દેશનાના તત્ત્વને પામી દ્વાદશાંગીની રચના થાય. દ્વાદશાંગીના હાર્દને પામવા તેનું ચાર અનુયોગરૂપે વિવેચન કરવું પડે. નિષ્કર્ષરૂપે ધર્મતીર્થ, પર્ષદા, દેશના, દ્વાદશાંગી અને અનુયોગરૂપ પ્રથમ પાંચ વિષયનું લોકભોગ્ય શૈલીમાં શાસ્ત્રીય વિવેચન કરવું.” ધર્મતીર્થ' વિષયને લોકભોગ્ય શૈલીમાં નિરૂપણ કરવા પ્રવચનનો વિકલ્પ પસંદ કરાયો. તે માટે આજથી સાત વર્ષ પૂર્વે વિ. સં. ૨૦૧૭ના ચાતુર્માસમાં “ધર્મતીર્થ” વિષય પર પૂ. ગુરુદેવે પ્રવચનો આપેલા. જેમાં ધર્મતીર્થના ચારે નિક્ષેપા, ધર્મતીર્થ છે સ્થાપનાનો ઉદ્દેશ તથા તેની વિધિ, સંચાલન વગેરે અનેક સંલગ્ન વિષયો આવરી લેવાયા હતા. જેથી સામાન્ય શ્રોતાને પણ ધર્મતીર્થનો સર્વાગી બોધ થાય. જૈનશાસનમાં એક ગ્રંથના આધારે તેમાં આવતા અનેક વિષયોના વિવેચનની શૈલી પરંપરાગતરૂપે ચાલતી આવે છે. વર્તમાનમાં પણ અનેક પ્રવચનકારો પ્રસ્તુત આ શૈલીએ નિરૂપણ કરે છે. પરંતુ અનેક ગ્રંથોના આધારે એક વિષયનું વિવેચન કરવાની છે , * , છે * , * , કે * , ૬ * * , * * * , * ' * * * * * . * Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005531
Book TitleDharmtirth Part 02
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2008
Total Pages508
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy