________________
૩૭
ધર્મતીર્થનો મહિમા આ શાસનની ગુણરિદ્ધિનો કોઈ પાર નથી. ત્રણ લોકમાં જેટલા પુણ્યાનુબંધી પુણ્યના વિપાકો છે તે સર્વ આ શાસનમાં સમાય છે. વળી, આત્માની આંતરિક લબ્ધિઓ, આત્માનું ગુણએશ્વર્ય, આત્મકલ્યાણની શ્રેષ્ઠ ભૂમિકાઓ તે બધું આ ધર્મતીર્થમાં સમાઈ જાય છે, આ શાસનનું જ ઐશ્વર્ય છે. તેને જે ઓળખી શકે, તેનું જેને આકર્ષણ થાય તે જ બોધિબીજ પામી શકે. તમને તો કોઈ શ્રીમંત દબદબા સાથે ગાડીમાં જાય તેનો રુઆબ જોઈને મોઢામાં પાણી છૂટે.
સભા : ઈર્ષ્યા થાય. સાહેબજી તો મન હજી વધારે સંક્લિષ્ટ થયું. આ પાપની બુદ્ધિ છે અને તે પાયમાલ કરનારી છે. સભા : ગુણાનુરાગથી ગુરુને પકડે અને પછી વધારે ઊંચા ગુરુ મળે તો ગુરુ બદલાય ?
સાહેબજી : તેમાં જો પહેલા ગુરુ અયોગ્ય ન હોય તો તેમનો ઉપકાર મરતાં સુધી ભુલાય નહીં. શાસ્ત્રમાં લખ્યું કે માર્ગ પમાડનાર ગુરુનો પ્રત્યુપકાર પ્રાયઃ અશક્ય છે. હા, પણ એવું બને કે પહેલા ગુરુ સ્વીકાર્યા હોય, તેમને આખી જિંદગી ગુરુ તરીકે સ્વીકારે તો, યોગ્ય માર્ગદર્શન આપી જોઈએ તેવું ઉત્થાન કરી શકે તેમ ન હોય; ગુણિયલ છે, ગુરુ તરીકે પૂજ્ય છે, છતાં તેમની માર્ગદર્શનની શક્તિ ઓછી હોય, તો પણ તેમને જિંદગીભર ચીટકી રહો તો તમારું શ્રેષ્ઠ કલ્યાણ ન થાય; તેથી બીજા ઊંચા માર્ગદર્શક જ્ઞાની ગુરુ મળે તો વિનયથી સ્વીકારે, પણ પહેલા ગુરુનો ઉપકાર ભૂલે નહીં. જીવન સમર્પિત કરવા સમ્યક અનુશાસનપ્રદાનની ક્ષમતાવાળા ગુરુ અનિવાર્ય છે. સંસારમાં પણ નિયમ છે કે ચિકિત્સા માટે સજ્જન ડૉક્ટર પકડ્યા પછી લાગે કે બીજા ડૉક્ટરમાં આના કરતાં વધારે નિપુણ જ્ઞાન છે, તો પહેલા ડૉક્ટરની અવગણના કર્યા વિના, રોગનિવારણ કરવા બીજા ડૉક્ટર પાસે જાય; એમ ધર્મક્ષેત્રમાં પણ રહેશે. પૂ. ઉપાધ્યાયજી મહારાજા, ચોદપૂર્વધર એવા પૂ. ભદ્રબાહુસ્વામીનું quotation(અવતરણ) લઈ માર્ગદર્શક ગુરુની ઓળખ આપતાં કહે છે કે, જેને જીવન સર્મપિત કરાય, જેનું અનુશાસન પાળવા સર્વસ્વ ચરણે ધરાય તેવા ગુરુ કેવા હોય ? તો એક જ શબ્દ વાપર્યો ૩ ‘ઉભયજ્ઞ'. આ શાસ્ત્રીય શબ્દ છે. જૈનશાસ્ત્રમાં ગુરુતત્ત્વની
१ पुण्यानुबन्धि पुण्यं दत्ते वैराग्यकारणं भोगम् । इति ये दिव्या भोगाः स्फीततमं मन्दिरमिदं तैः ।।५७ ।।
(વૈરાતિ સ-૨) ૨ સમકિતદાયક ગુરુ તણો પચ્ચેવયાર ન થાય; ભવ કોડાકોડે કરી કરતાં સર્વ ઉપાય //રા
(સમ્યક્તના સડસઠ બોલની સજઝાય) उ उभयज्ञोऽपि च गुरुः क्रियापरो मूलगुणोत्तरगुणाराधनायां बद्धकक्षो, दृढमत्यर्थं प्रवचनानुरागी च जिनवचनं प्रतिबहुमानत्वात्। तथा, स्वसमयप्रज्ञापक: स्वसमयस्य चरणकरणाद्यनुयोगभेदभिन्नस्य तैस्तैरुपायैः प्ररूपकः। परिणतश्च वयसा व्रतेन च। प्राज्ञश्च बहुबहुविधादिग्राहक-बुद्धिमानऽत्यर्थमतीव। एवंविधेन हि गुरुणा प्रज्ञाप्यमानोऽर्थो न कदाचिद्विपर्ययभाग्भवतीत्येवमेष विशेष्यत इति ।।८५२।।
(૩uદ્દેશપ૦ સ્નો-૮૧૨ ટીવા) * उभयज्ञ:-उत्सगापवाद-कल्प्याकल्प्य-निश्चयव्यवहारादिपदार्थद्वैतपरिच्छेदी। अपि च क्रियापरो-मूलगुणोत्तरगुणाराधनायां
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org