________________
ધર્મતીર્થનો મહિમા
३४ બોધિબીજ પામવા ગુણના પૂજારી બન્યા સિવાય છૂટકો નથી :
આ કહે છે કે ગુરુમાં અતિશયોક્તિ કરીએ તો જ ગુરુ પર બહુમાન થાય. પણ તે તો ખોટો આગ્રહ છે. અતિશયોક્તિની કોઈ જરૂર નથી. વાસ્તવમાં તમારા કરતાં વધારે ગુણ હોય તો અવશ્ય બહુમાન થવું જોઈએ. શાસ્ત્ર કહે છે કે ગુણ હોય તેના કરતાં અધિકગુણી માનો કે હનગુણી માનો તો પણ મિથ્યાત્વ છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ ચોખું લખ્યું કે,
જે નિર્ગુણ ગુણરત્નાકરને, આપ સરીખા માને રે, સમકિત સાર રહિત તે જાણો, ધર્મદાસ ગણિ ભાખે રે
જે પોતાનાથી ચડિયાતા હોય તેને સ્વસમાન માને કે હલકાની સમાન માને તો પણ મિથ્યાત્વ છે. ચડિયાતાને ઓછા માને અને હલકાને અધિક માને તે અવિવેકરૂપ મિથ્યાત્વ છે. ગુણાનુરાગપૂર્વક જૈનશાસનના ભગત બનશો તો જ બોધિબીજ પામશો. બાકી વર્ષોથી જૈન છો અને જૈનશાસનની ઉપાસના કરશો તો પણ અવશ્ય બોધીબીજ પામશો તેવું શાસ્ત્ર નહીં કહે. ભગવાન કહે છે કે અન્ય ધર્મમાં રહેલો રોજ શંકરમહાદેવની પૂજા કરતો હોય છતાં જૈનધર્મના ગુણ જોઈ જૈનધર્મની તાત્ત્વિક પ્રશંસા કરે, અરે ! પ્રશંસાનાં બે વાક્ય બોલે તો પણ બોધિબીજ પામી જાય કેમ કે ગુણાનુરાગથી શાસનની અનુમોદના કરે છે. ગુણનિરપેક્ષ આખી જિંદગી શાસનને વળગીને જીવે તેવો આત્મા સાધુ હોય તો પણ, શાસ્ત્ર કહેશે કે તે બોધિબીજ વગરનો છે. બોધિબીજ પામવા ગુણના પૂજારી બન્યા સિવાય છૂટકો નથી. તમે જ્યાં સુધી સત્યના શોધક, ગુણના પૂજારી બનશો નહીં, અને મારા-તારાનો મમત્વરૂપ ભેદભાવ ધર્મમાંથી કાઢશો નહીં, માત્ર આપણો ધર્મ છે તેથી સારો-ઊંચો, એમ કદાગ્રહ કે પકડથી જૈનધર્મને વળગશો, તો પણ જૈન ધર્મ તમારા આત્માનું કલ્યાણ નહીં કરે. તેવા જીવ માટે જૈન શાસ્ત્રોમાં બહુ ખરાબ શબ્દ વાપર્યો છે. લખ્યું છે કે જે કુલાચારથી કે મમત્વથી જૈન ધર્મને પકડીને જીવે છે અને આખી જિંદગી જૈન ધર્મનો ઉપાસક થઈને ફરે છે, તેને શાસ્ત્રમાં આભિગ્રહિક મિથ્યાત્વી કહ્યો છે. આ મિથ્યાત્વ પાંચ પ્રકારના મિથ્યાત્વમાં ભારેમાં ભારે
१ अथ सम्यक्त्वबीजस्य हेतुतां प्रतिपद्यमानः कथं सम्यक्त्वहेतुतां प्रतिपद्यत इत्यभिधीयते, इति? अत्रोच्यते बीजस्य कालान्तरे सम्यक्त्वजननादेतदेवाह - (वृत्तिः) 'सामान्यनापि' अविशेषेणापि, जिनशासनमपि साध इत्येवंपरिणाम आस्तां पुनर्विशेषेण जिनशासनमेव साध्वित्येवं शासनान्तरव्यपोहेनापि, “नियमात्' अवश्यंभावेन, 'वर्णवादः' श्लाघा सम्यग्दर्शनबीजमित्यर्थः, 'अत्र' इति प्रत्यासन्ने जैन इत्यर्थः लोके वा, 'शासने' प्रवचने, कालान्तरेण वर्णवादकरणकालादन्यः कालः कालान्तरं तेन, कियताप्यागामिकालेनेत्यर्थः, 'सम्यक्त्वहेतुतां' सम्यग्दर्शननिमित्तताम्, 'प्रतिपद्यते' भजते सम्यक्त्वं जनयतीत्यर्थ इति।।५।।
(अष्टक प्रकरण, अष्टक०२३, श्लोक-५ टीका) २. यस्तु नाम्ना जैनोऽपि स्वकुलाचारेणेवागमपरीक्षां बाधते तस्याभिग्रहिकत्वमेव, सम्यग्दृशोऽपरीक्षितपक्षपातित्वायोगात्
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org