________________
ધર્મતીર્થનો મહિમા
નથી, પણ એમાં સમજી લેવાનું કે પ્રત્યુપકાર કરવાની અંદરમાં કામના નથી. તમારી psychology-માનસ રાગની છે, માટે તમે રાગની અસરમાં રહીને જ વિચારો, વીતરાગનું માનસ નહીં સમજી શકો. તમારા પર કોઈએ ઋણ કર્યું હોય તો તેના પ્રત્યુપકાર માટે તમે કાંઈ કરશો, તો પ્રત્યુપકાર કરતી વખતે પણ અંદરમાં ભાવના-ઇચ્છા હશે, એ વિના કશું નહીં કરો. દા.ત. જે દીકરો મા-બાપની નિઃસ્વાર્થ ભાવે ભક્તિ કરે, એટલે માતા-પિતા પાસેથી ભૌતિક કાંઈ જોઈતું ન હોય, પણ માત્ર મારા ઉપકારી છે, તેમનો મારા ઉપર ઉપકારઋણ છે, બીજી કોઈ ઇચ્છા-કામના ન હોય, છતાં પણ મારે મારું કર્તવ્ય ચૂકવું ન જોઈએ એવી શુભ કામના હોય; અથવા તો આવા કર્તવ્યનિષ્ઠ જીવનથી પુણ્ય બંધાય, તેથી પુણ્યની કામના હોય; અથવા માતા-પિતાની ભક્તિ કરવી તે મારા માટે ભગવાનની આજ્ઞા છે, જે પાળવાથી મારું કલ્યાણ થશે, એવી કલ્યાણની કામના હોય; સારાંશ એ છે કે તમારા મનમાં કોઈ કામના જ ન હોય, અને તમે કોઈ પ્રવૃત્તિ કરો તે અત્યારે next to impossible(પ્રાયઃ અશક્ય) છે. તીર્થંકરો પર ધર્મતીર્થનો ઉપકાર છે, પણ તેનો બદલો વાળવાની ઇચ્છા કે તમન્નાથી તીર્થપ્રવર્તનરૂપ પ્રત્યુપકાર નથી કરતા. શાસ્ત્રમાં પ્રશ્ન કર્યો કે, જે તીર્થંકરો ‘નમો અરિહંતાણં બોલતા નથી, ગુરુ કરતા નથી, શાસ્ત્રનો અભ્યાસ કરતા નથી, આખું જીવન બધા આલંબનથી પર રહે છે; તેવા પણ તીર્થંકરોને કેવલજ્ઞાન પામી, સાધના સમાપ્ત થયા પછી ધર્મતીર્થને નમસ્કાર ક૨વાની શી જરૂર છે? તો તેનો ઉત્તર આપ્યો કે તેમને આત્મકલ્યાણ માટે નમસ્કારની જરૂર નથી કે નમસ્કાર પાછળ મનમાં કોઈ અપેક્ષા નથી, માત્ર સહજતાથી ઋણસ્વીકા૨દર્શક વિનય છે; જ્યારે તમે અમને કે ભગવાનને પગે લાગો ત્યારે મનમાં કોઈ ને કોઈ અપેક્ષા છે. પછી તે સ્વાર્થની હોય તો પાપ બંધાય અને કલ્યાણની અપેક્ષા હોય તો પુણ્ય બંધાય. પણ કામના તો છે, છે ને છે જ. જ્યારે ભગવાનની આ સદંતર નિષ્કામ પ્રવૃત્તિ છે.
આત્મકલ્યાણ સર્વકલ્યાણકારી :
સભા ઃ કલ્યાણને સ્વાર્થ ના કહેવાય ?
સાહેબજી : ના, સ્વાર્થ શબ્દ ભૌતિક સ્વાર્થ માટે વપરાય છે, આત્મિક સ્વાર્થને ૫રમાર્થ કહેવાય છે; કેમ કે આત્મકલ્યાણમાં કોઈ જીવને હેરાન કરવાના નથી, કોઈને દુઃખ કે સંતાપ આપવાનો નથી. આત્મકલ્યાણ “સર્વજન હિતાય સર્વજન સુખાય” છે. જ્યારે જે તમારા આત્માને અને બીજા જીવોને સંતાપ આપે છે તેનું નામ સ્વાર્થ છે. ધર્મશાસ્ત્રોએ ભૌતિક સ્વાર્થ અને ભૌતિક હિત વચ્ચે પણ તફાવત પાડ્યો છે. હું અહીં સ્વાર્થની નિંદા કરું છું, સ્વાર્થથી સારી પણ પ્રવૃત્તિ કરો તોય પાપ બંધાય.
વર્તમાનમાં કેટલાક આધુનિક વિચારકો પાક્યા છે, તેઓ કહે છે કે, ધર્મ કરનારા પોતાના કલ્યાણની જ વાત કરે છે. તેથી સામાયિક્ર-પ્રતિક્રમણ કરે છે તે પણ એક પ્રકારનો સ્વાર્થ જ છે. પણ તેમને ખબર નથી કે
સામાયિક આદિ કરવામાં કોઈ જીવને ત્રાસ નથી આપવાનો, પણ બધા જીવોને પોતાના તરફથી સુખ-શાંતિ
૧ 'नमस्तीर्थाये 'ति निराशंसमेव तेन पठनात् ।
Jain Education International
૧૯
( લલિતવિસ્તરા પંખિા )
For Personal & Private Use Only
www.jainelibrary.org