SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ધર્મતીર્થનો મહિમા કેવલી, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ચૌદપૂર્વધર, લબ્ધિસંપન્ન મહાત્મા, સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા, દેવદેવી-ઇન્દ્રો, બધા આવે અને ધર્મતીર્થને નમસ્કાર કરે, તેમજ તીર્થકરને નમસ્કાર કરે, ત્યાર બાદ ક્રમ પ્રમાણે પોતાનાથી ઉપરની ભૂમિકાવાળાઓને નમસ્કાર કરી પોતાને યોગ્ય સ્થાન પ્રમાણે બેસે. આ આપણે ત્યાંનો વિનય-વ્યવહાર છે. અત્યારે તમે વ્યાખ્યાન સાંભળવા આવો ત્યારે કોઈને પગે લાગ્યા વિના સીધા બેસી જાઓ છો તે યોગ્ય નથી. ધર્મતીર્થ સાથેનો આટલો ઉત્કૃષ્ટ વ્યવહાર ધર્મતીર્થનો શ્રેષ્ઠ મહિમા બતાવે છે. તેને યાદ રાખી આ શાસનની ભાવથી ઉપાસના કરજો. ઘણા ના મગજમાં એમ છે કે મરુદેવામાતા (અતીર્થસિદ્ધ) કે અન્યધર્મમાં રહેલા સાધકો (અન્યલિંગસિદ્ધ) ધર્મતીર્થના પરિચય વગર એમ ને એમ મોક્ષમાં ગયા, પરંતુ તે વાત પણ વ્યવહારનયથી છે. નિશ્ચયનય તો કહે છે કે મરુદેવામાતા પણ ધર્મતીર્થની સહાયથી જ, તેનું આલંબન લઈને જ મોક્ષે ગયાં છે. ત્રણ કાળ અને ત્રણ લોકમાં આ જ તારક છે. સભા : તીર્થકરો પણ તીર્થનું આલંબન લઈને મોક્ષે ગયા ? સાહેબજીઃ વ્યવહારનયની અપેક્ષાએ પણ તીર્થકરોએ આગલા ભવમાં તીર્થનું આલંબન લીધું છે અને નિશ્ચયનય તો અંતિમ ભાવમાં પણ તીર્થના આલંબનથી મોક્ષે ગયા તેમ જ કહેશે. સભા : તીર્થકરો આગલા ભવમાં “નમો અરિહંતાણં” બોલે ? સાહેબજી : નમો અરિહંતાણં, નમો સિદ્ધાણ... આખો નવકાર બોલે. સદ્ગુરુની ભક્તિ, નમસ્કાર, અનુશાસન, શરણું લે, શાસ્ત્રો ભણે; કેમ કે આગલા ભવમાં તેઓ સહાયથી તરનારા સાધક છે. નિષ્કામપણે ધર્મતીર્થનું પ્રવર્તન : સભા તીર્થકરો પ્રત્યુપકાર માટે તીર્થની સ્થાપના કરે છે, તેમ ન કહેવાય ? સાહેબજી : પ્રત્યુપકાર કે ઋણ ચૂકવવા ધર્મતીર્થની સ્થાપના કરે છે એમ કહો તો શાસ્ત્રદૃષ્ટિએ વાંધો ज्ञानिन आदि शब्दाद् अवधिज्ञानिनः चतुर्दशपूर्विणो दशपूर्विणो नवपूर्विण आमर्पोषध्यादिविविधलब्धिमन्तश्च प्राच्यद्वारेण प्रविश्य भगवन्तं त्रिःप्रदक्षिणीकृत्य नमस्कृत्य च ‘नमस्तीर्थाय, नमो गणधरेभ्यः, नमः केवलिभ्यः' इत्यभिधाय केवलिनां पृष्ठत उपविशन्ति । शेषसंयता अपि प्राचीनद्वारेणैव प्रविश्य भुवनगुरुं प्रदक्षिणीकृत्य वन्दित्वा च 'नमस्तीर्थाय, नमो गणभृद्भ्यः, नमः केवलिभ्यः, नमोऽतिशयज्ञानिभ्यः' इति भणित्वा अतिशयिनां पृष्ठतो निषीदन्ति । एवं मनःपर्यायज्ञान्यादयोऽपि नमन्तः सन्तो व्रजन्ति स्वस्थानं स्वस्थानमिति । तथा वैमानिकानां देव्यः पूर्वद्वारेण प्रविश्य भुवनबान्धवं त्रिःप्रदक्षिणीकृत्य नत्वा च ‘नमस्तीर्थाय, नमः सर्वसाधूभ्यः' इत्यभिधाय निरतिशयसाधूनां पृष्ठतस्तिष्ठन्ति न निषीदन्ति । श्रमण्योऽपि पौरस्त्यद्वारेण प्रविश्य तीर्थकृतं प्रदक्षिणीकृत्य प्रणम्य च तीर्थस्य साधूनां च नमस्कारं विधाय वैमानिकदेवीनां पृष्ठतस्तिष्ठन्ति न निषीदन्ति । भवनपतिदेव्यो ज्योतिष्कदेव्यो व्यन्तरदेव्यश्च दाक्षिणात्यद्वारेण प्रविश्य तीर्थकरादीनभिवन्द्य दक्षिणपश्चिदिग्भागे यथाक्रममेव तिष्ठन्ति ।।११८६।। (बृहत्कल्पसूत्र० भाष्यगाथा -११८६ टीका) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy