________________
૩૧૬
ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ સ્વાધ્યાય અપૂર્વ ઝડપથી કરી શકે. ચૌદપૂર્વધરને પણ મેળવેલું જ્ઞાન ચાલ્યું ન જાય તે માટે સ્વાધ્યાયની જરૂર પડે છે. વળી આવા જ્ઞાની ગચ્છનાયક કે સંઘનાયક હોવાથી તેમના પર જવાબદારીના તો ખડકલા હોય. સંઘ કાર્યમાં વ્યસ્ત હોવાથી તેમને સ્વાધ્યાય માટે બહુ સમય ન મળે તો સ્વાધ્યાય વિના ધીમેધીમે જ્ઞાન વિસરાતું જાય. આવું ન બને એવા પવિત્ર આશયથી સ્વશ્રુતની રક્ષા માટે પૂ. ભદ્રબાહુસ્વામી આ સાધના કરે છે, તેથી દિવસનો મોટો ભાગ ધ્યાનમાં હોય. આવા અવસરે તેમને શ્રીસંઘનો સાધુઓને વાચના આપવા સંદેશો મળ્યો. તેથી તેમણે જવાબ આપ્યો કે અત્યારે સમયનો અભાવ હોવાથી સાધના પૂરી થયા પછી સાધુઓને વાચના માટે સમય આપીશ. જે બે સાધુઓને સંઘે સંદેશો આપવા મોકલ્યા હતા તેઓ શ્રુતકેવલીનો જવાબ લઈને પાછા આવ્યા અને સંઘને કહ્યું કે અત્યારે સાધના ચાલતી હોવાથી ધ્યાન પૂર્ણ થયા પછી આચાર્ય મહારાજ ભણાવશે. આ સાંભળી શ્રીસંઘ કે જેમાં અનેક ગીતાર્થો, સાધુ-સાધ્વીઓ અને શ્રાવક-શ્રાવિકાઓ પણ છે, તેમને સાધુઓને શીધ્ર ભણાવવાની એટલી ઉત્કટ તાલાવેલી છે કે એક દિવસનો પણ વિક્ષેપ પાલવે તેમ નથી. ચિંતા એ છે કે જ્ઞાન ચાલ્યું જશે તો ભાવિ શું ?
સભા ઃ પછી તો સમય આપવાના જ છે ને ?
સાહેબજીઃ કલિકાલમાં આયુષ્ય કેટલાં ટૂંકાં, બુદ્ધિ પણ અલ્પ અને સાગર જેવાં વિશાળ શાસ્ત્રો ભણીને ધારણ કરવાનાં ! શ્રીસંઘને આ બધી ખબર છે, એટલે ફરી કહેવડાવ્યું કે 'શ્રીસંઘ પુછાવે છે કે જે સંઘની આજ્ઞા ન સ્વીકારે તેને શું પ્રાયશ્ચિત્ત આવે ? આ સાંભળીને પૂ. ભદ્રબાહુસ્વામી સમજી ગયા કે સંઘનો કહેવાનો ભાવાર્થ શું છે. એટલે કહે છે કે શ્રીસંઘને હું મારા મિચ્છા મિ દુક્કડું આપું છું. મારી ભૂલ થઈ ગઈ, હવે આવી ભૂલ નહીં થાય. શ્રીસંઘની આજ્ઞા ન માને તેને સંઘ બહાર કરવાનું પ્રાયશ્ચિત્ત છે. હું તેનો ભાગીદાર ન બનું માટે શ્રીસંઘની ભણાવવાની આજ્ઞા સ્વીકારું છું. અત્યારે પ્રતિદિન સાત વાચના આપીશ, પરંતુ ધ્યાનસાધના પત્યા પછી સાધુઓ જેટલી માંગશે તેટલી આપીશ. પૂ. ભદ્રબાહુસ્વામીએ ધ્યાનસાધના સાથે ગોઠવણ કરીને અત્યંત કસોકસીપૂર્વક સમય ફાળવી સાધુઓને જ્ઞાનદાન ચાલુ કર્યું. પરંતુ અહીં તો દૃષ્ટિવાદ અને પૂર્વશ્રુતનો અભ્યાસ છે, જેમ જેમ આગળ વાચના ચાલી તેમ તેમ ખૂબ અઘરું ભણવાનું આવ્યું. સાધુઓની બુદ્ધિ ઓછી પડવા લાગી. જે સમજી ન શકે, ધારણ ન કરી શકે તે ધીરે ધીરે કંટાળીને વાચનામાંથી નીકળવા લાગ્યા. એક પછી એક સાધુ ઊઠતાં છેલ્લે એક જ સ્થૂલભદ્રજી રહ્યા છે. આ પરથી વિચાર કરો કે બારમું અંગ દૃષ્ટિવાદ અને ચૌદ પૂર્વ ભણવાં તે બચ્ચાના ખેલ નથી. આગળ આગળ ભણતા જાય તેમ બુદ્ધિનું દહીં થતું જાય. બૌદ્ધિક પરિશ્રમમાં પણ શ્રમ ઘણો લાગે. વાચના લેનાર સાધુઓ મૂર્ખ નથી. તેમાં અનેકે એક પૂર્વ, બે પૂર્વ આદિનો અભ્યાસ કર્યો, પરંતુ આગળ જતાં થાકી ગયા. ૧૪૪૪ ગ્રંથના પ્રણેતા પૂ. સૂરિપુરંદર હરિભદ્રસૂરીશ્વરજી
१ आगम्म तेण संघस्स साहियं तो पुणोवि संघाडो। तस्संतिए विसट्ठो संघाणं जो न मन्नेइ।।९७ ।। को तस्स होइ दंडो एयं भणाविओ भणइ तस्स। उग्घाडणं तओ सो तुब्भं चेवागयामिणं ति।।९८ ।। मा उग्घाडह पेसह साहुणो जे जुया सुमेहाए। दिवसेण सत्त पडिपुच्छणाउ दाहामि जा झाणं ।।९९।। एगा भिक्खाउ समागयस्स दिवसद्धकालवेलाए। बीया, तइया सण्णावोसग्गे कालवेलाए।।१०० ।। दिवसस्स भावणीओ चउत्थिगा वासए कए तिन्नि। (उपदेशपद श्लोक ११७ टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org