________________
ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ
૩૦૫ નહીં. જેમ 'તીર્થકરો ચોત્રીસ અતિશયોરૂપ સમગ્ર ઐશ્વર્ય સાથે સમવસરણમાં બિરાજમાન થાય ત્યારે, તેમને જોઈને ભલભલા મિથ્યાદૃષ્ટિ પણ ચકિત થઈ જાય છે, ધર્મના સાક્ષાત્ ફળસ્વરૂપ તીર્થકરોના આંતર-બાહ્ય ઐશ્વર્યને જોઈને તેમનામાં ધર્મની નિશ્ચલ શ્રદ્ધા પ્રગટે છે, અરે ! અભવ્ય પણ આત્મા-પરલોક-પુણ્ય-પાપની ઓઘશ્રદ્ધાવાળો થઈ જાય છે; તેને મનમાં થાય કે દુનિયામાં ધર્મનું ફળ પ્રત્યક્ષ છે. જે તીર્થકરોનાં ચરણો ઇન્દ્રો દાસ થઈને ચૂમે છે, કરોડો દેવતાઓ પ્રતિ ક્ષણ જેમની સેવામાં ઉપસ્થિત છે, અદ્વિતીય અતિશયોના ધારક છે, સાક્ષાત્ ગુણોના પુંજમય આંતરવ્યક્તિત્વ ધરાવે છે, જોતાં જ મોહિત થઈ જવાય તેવી પ્રભાવકતા તીર્થકરની છે, તેમ શ્રીસંઘ પણ સમગ્ર ઐશ્વર્ય યુક્ત ઉપસ્થિત થાય તો જોતાં જ લાયક જીવો અભિભૂત થઈ જાય. પરંતુ ગણધરોથી આરંભીને સામાન્ય સમ્યગ્દષ્ટિ સુધીના સર્વ જીવોનું ગૈલોક્યસાર ગુણમય ઐશ્વર્ય મનમાં ઉપસ્થિત થવું જોઈએ. તો જ શ્રીસંઘના મહાન પ્રભાવકતાગુણની સાચી ઓળખાણ થાય. જેને આવી ઓળખાણ થઈ છે તેને શ્રીસંઘને તીર્થકર સમકક્ષ મૂલવવામાં કોઈ મૂંઝવણ નહીં થાય. તમારે આંખો મીંચી ત્રણ લોકના જૈનશાસનના સર્વ અનુયાયી, સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા અને સમ્યગ્દષ્ટિ દેવો આદિને મનમાં સમૂહરૂપે ઉપસ્થિત કરવા અને વિચારવું કે આ બધા શ્રીસંઘના પેટા અંગરૂપ છે, આમાં ગુણોનો-શક્તિનો-ઐશ્વર્યનોપ્રભાવકતાનો કોઈ પાર નથી, વિધવિધ સાધકોમાં અનેક પ્રકારની વિવિધ આરાધનાયુક્ત પ્રભાવકતા છે, આ સંઘ એટલો મહાન છે કે આ સંઘેનો ગુણથી કોઈ જોટો ન મળે. તમને પુણ્યાનુબંધી પુણ્ય અને તેના હિતકારી વિપાકોની જેટલી સ્પષ્ટ સમજણ પડે તેટલા તમે સંઘના પ્રભાવક ઐશ્વર્યને પિછાણી શકો. શ્રીસંઘ બહાર પુણ્યાનુબંધી પુણ્યના વિપાકો પ્રાયઃ પ્રાપ્ત નથી. તેથી જેને સંઘ બહાર આલાદક એશ્વર્ય દેખાય તેની બુદ્ધિમાં જ ચોક્કસ વિકાર છે; કેમ કે સંઘ બહાર કોઈ અનુમોદનીય એશ્વર્ય છે જ નહીં.
સભા : ભૌતિક ઐશ્વર્ય તો છે જ ને ?
સાહેબજી : તમે ધર્મશૂન્ય શ્રીમંત-સત્તાધીશોને જોઈને અંજાઈ જાઓ તો સમજવાનું કે તમારા ઉપર પાપાનુબંધી પુણ્યનો પ્રભાવ છે. શાસ્ત્રમાં તેમના ઐશ્વર્ય માટે પાપદ્ધિ શબ્દ વાપર્યો. જે ઘણાં પાપ કરીને ઋદ્ધિ મેળવે છે, વળી તેને સાચવવા પણ ઘણાં પાપ કરે છે અને ફળરૂપે ભોગવવામાં પણ પાપની જ પરંપરા છે, તેને પાપદ્ધિ કહી છે. તમને અમેરિકા, યુરોપની ઋદ્ધિ જોઈને મોંમાં પાણી આવે, જ્યારે અમને થાય કે ઘોર પાપથી ભેગું કર્યું, અનેક પાપો કરીને સાચવે છે અને મરવાના પણ પાપના પુંજ સાથે. દુનિયામાં કાતિલ કૂટનીતિઓ જ તેમની ઋદ્ધિ-સિદ્ધિની જીવાદોરી છે. ઘોર પાપાનુબંધીપાપવાળું આ ઐશ્વર્ય છે. આવી પોપદ્ધિનો મન પર પ્રભાવ પડે એ પણ વિકારી બુદ્ધિ સૂચવે છે. અહીં તો સ્વ-પરને હિતકારી ગુણકારી શ્રદ્ધ-સિદ્ધિ-ઐશ્વર્યની વાત ચાલે છે. આવું ઐશ્વર્ય આખા વિશ્વમાં શ્રીસંઘમાં જ છે. શ્રીસંઘ પુણ્યાનુબંધી પુણ્યવાળા જીવોનો સમૂહ છે.
१ एतां चमत्कारकरी प्रातिहार्यश्रियं तव। चित्रीयन्ते न के दृष्ट्वा नाथ ! मिथ्यादृशोऽपि हि ?।।९।।
(વીતરાસ્તોત્ર0 પ્રાણ જ શ્નો) २ प्रायोग्रहणं शुद्धधर्माक्षेपिभोगनिरासार्थं, तस्य प्रमादजीवत्वायोगात्, अत्यन्तानवद्यतीर्थकरादिफलशुद्धेः पुण्यसिद्ध्यादावागमाभिनिवेशाद्धर्मसारचित्तोपपत्तेरिति।
(योगदृष्टि0 श्लोक १६० टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org