________________
૨૯૦
ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ છે. આ ચતુર્વિધ સંઘ એટલે ભવચક્રમાંથી છૂટવા, પાર પામવા, તરીને મોક્ષે પહોંચવાની ભાવનાથી તારકના શરણે આવેલા જીવોનો સમૂહ, મુક્તિમાર્ગનો સાર્થ, એક જ મંજિલના પથિકોનો સમૂહ. તેમાં સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાનો સમાવેશ થાય છે. તેને પણ સમૂહરૂપે જીવંત તીર્થ કહ્યું છે. વ્યક્તિરૂપે તીર્થ તે ધર્માચાર્યો કે ગીતાર્થ જ્ઞાની ગુરુ ભગવંત છે. ત્રીજા તીર્થનો વ્યક્તિરૂપ તીર્થ તરીકે શાસ્ત્ર સ્વીકાર નથી કર્યો; કેમ કે શ્રીસંઘના સભ્યરૂપ પ્રત્યેક વ્યક્તિમાં વ્યક્તિરૂપે તારવાની ક્ષમતા નથી. છતાં આખા સમૂહમાં સમૂહગત રીતે તારવાની પ્રબળ તારક શક્તિ છે, તે અપેક્ષાએ સમૂહરૂપ શ્રી સંઘને ભાવતીર્થ તરીકે સ્વીકાર્યું છે. તીર્થકરોએ પહેલાં પટ્ટધર શિષ્યો, પછી દ્વાદશાંગી અને પછી ચતુર્વિધ શ્રીસંઘરૂપ ક્રમશઃ ભાવધર્મતીર્થોની સ્થાપના કરી.
શાસ્ત્રમાં શ્રીસંઘનું માળખું આ રીતે બતાવ્યું છે. દા.ત. ભગવાન મહાવીરના શાસનમાં પ્રભુના ૧૧ ગણધરો પટ્ટધર શિષ્યો થયા. તે સૌને પોતાનો શિષ્ય-પ્રશિષ્ય આદિ પરિવારરૂપ ગચ્છ અને સ્વતંત્ર વાચનાની પરંપરા છે. કોઈ ગણધર ૫૦૦ સાધુઓને, કોઈ ૩૫૦ સાધુઓને તો કોઈ ૩૦૦ સાધુઓને પ્રતિદિન વાચના આપે છે. જેથી પ્રભુના શાસનમાં દરેક ગણધરોની વાચના પરંપરા પ્રવર્તતી હતી. વળી, દરેકના અનુશાસનમાં વિશાળ સાધવર્ગ છે. ગૌતમસ્વામી મહારાજાના જ ૫૦,૦૦૦ શિષ્યો હતા. તે રીતે પ્રત્યેક ગણધરોના પુણ્ય અનુસારે પરિવાર હોય. વળી, તે પરિવારમાં પણ અનેક ગીતાર્થ મહાત્માઓ શરણે આવેલાને તારવાના સામર્થ્યવાળા હતા, જે દરેક વ્યક્તિરૂપે તીર્થસ્વરૂપ છે, છતાં તે સૌના પરંપરાના નાયક કે મુખ્ય અનુશાસક તો ગણધરો જ કે જેની પરંપરાને અને વાચનાના ક્રમને તેઓ ભક્તિથી વહન કરે છે. આ રીતે પ્રત્યેક ગણધરના અનુશાસનમાં બહોળો સાધુઓનો વર્ગ હોય છે. અહીં વિભિન્ન વાચના કે વિભિન્ન અનુશાસન ધરાવતા હોવા છતાં સૌ એક જ શ્રીસંઘના ઘટક ગણાતા. વળી માત્ર ક્યારેક જ બને એવું પ્રભુ મહાવીરના શાસનમાં આશ્ચર્યકારી એ બન્યું છે, કે પ્રભુ મહાવીરના અગિયાર પટ્ટધર ગણધારક શિષ્યો હોવા છતાં ગણ નવની સંખ્યામાં જ પ્રવર્યા છે; કારણ કે બે બે ગણધરોની વાચના શબ્દ અને અર્થ બંનેથી સમાન હતી. તેથી સદંતર વાચનાની પરંપરા એકરૂપ હોવાથી ગણધારક અનુશાસક જુદા હોવા છતાં ગણ એક જ પ્રવર્યો છે. તેથી વાચનાભેદ જ ગણભેદનું મુખ્ય ધોરણ છે.
સભા ઃ ગૌતમસ્વામીના ૫0,000 શિષ્યો તો કેવળી હતા ને ?
સાહેબજી : હા, પણ દીક્ષા લીધી તે જ દિવસે સૌ કેવલજ્ઞાન પામ્યા તેવું ન કહી શકાય. જ્યાં સુધી કેવલજ્ઞાન નહોતા પામ્યા ત્યાં સુધી તેઓ તેમના અનુશાસનમાં જ હતા. દીક્ષાના પહેલા જ દિવસથી અનુશાસનની જરૂર નહોતી એવું નથી. શરૂઆતમાં વાચના લેતા હોય, અનુશાસન ગ્રહણ કરતા હોય, તેથી તેમની પરંપરામાં ગણરૂપે ગોઠવાયા હોય. તે શિષ્યોમાં જ ભણીગણીને જેઓ ગીતાર્થ થાય અને સ્વતંત્ર અનુશાસન આપી શકે તેમ હોય. વળી, તેમને પણ બીજા અનેક શિષ્યો થાય. તે સર્વને નિશ્રા આપીને સ્વતંત્ર વિચરે તેવા ગીતાર્થનિશ્રાએ રહેલા સમૂહને ગચ્છ કહેવાય. તેવા એક જ ગણના પેટા અંગ તરીકે વિચરતા
૧
વીવનિ
તિ સમુદાયો TM તિા
(कल्पसूत्र सूत्र २२० सुबोधिका टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org