________________
ભાવતીર્થ - દ્વાદશાંગી
૨૬૫ ફેરફાર ન કરે, છતાં જો કોઈ સ્ત્રના અર્થમાં ગોટાળો કરે તો તે અર્થથી દ્વાદશાંગીની આશાતના છે ? દા.ત. આરક્ષિતસૂરિના શિષ્ય ગોષ્ઠા માહિલ નામના નિર્દાવ. આ નિદ્ભવ એવા છે કે જેઓ સઘળાં સૂત્રો સ્વીકારે છે, પણ કર્મબંધના સ્વરૂપ અંગેના સૂત્રનું અર્થઘટન પોતાની રીતે કરે છે. તે નિમિત્તથી ગુરુભાઈ સાથે વિવાદ કર્યો છે. તેમને આત્મા જડ કર્મોના રજકણોથી બંધાય અને તેના ફળસ્વરૂપે આત્મગુણોનો અવરોધ થાય તેમાં કોઈ વિવાદ નથી. પરંતુ શાસ્ત્રમાં કર્મને આવરણ કહ્યું છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય વગેરે પેટા ભેદો દર્શાવ્યા છે. તેમાં ‘આવરણ' શબ્દનું વિવેચન તેમણે, દીવાના પ્રકાશને પડદો આજુબાજુ વીંટળાઈને અવરોધ કરે, તેમ કર્મો આત્માની આજુબાજુ વીંટળાઈને માત્ર ગુણોનો અવરોધ કરે છે, પરંતુ આત્માના પ્રદેશોને કર્મ ચોંટતું નથી, તેવું કર્યું. હકીકતમાં આત્માના અત્યંત મધ્ય ભાગમાં રહેલા આઠ રૂચક પ્રદેશોને છોડીને એવો કોઈ પ્રદેશ નથી કે જેના ઉપર અનંતાં કર્મનાં રજકણો ઓતપ્રોતરૂપે ચોંટ્યાં નથી. છતાં ગોષ્ઠા માહિલે એ શાસ્ત્રીય અર્થને નામંજૂર કરી, સૂત્રના અર્થને મરડીને વિપરીત અર્થ સ્થાપિત કરવા પ્રયત્ન કર્યો છે. ગોષ્ઠા માહિલે કરેલા અર્થ પ્રમાણે તમામ આત્મપ્રદેશો અંદર શુદ્ધ જ છે; માત્ર શરીર પર કપડું ઢંકાય, તેમ આત્મા કર્મથી ઢંકાયેલો છે. આ અર્થઘટનમાં તમારા આત્મામાં રહેલું કેવલજ્ઞાન ભલે બહાર ન પથરાય, પણ અંદર તો સ્વની અનુભૂતિ ચાલુ જ રહે, જે પ્રત્યક્ષવિરુદ્ધ છે. દીવાની આજુબાજુ પડદો કરો તો પ્રકાશ બહાર ન આવે પણ અંદર તો અવશ્ય રેલાય, તેમ કેવલજ્ઞાન કે આંતરિક શુદ્ધિનો અનુભવ તો જેવો છે તેવો રહેવો જોઈએ, જે બનતું નથી. તેથી આત્મા તો અંદરમાં પણ છેક પ્રદેશ-પ્રદેશે કર્મરજરૂપી મલથી એકમેક થયેલ છે, જે અશુદ્ધિથી ગુણો સ્વાનુભૂતિમાં પણ પ્રગટતા નથી. એટલે કર્મ બાહ્ય આવરણરૂપે નહીં પરંતુ અંદરમાં પ્રદેશ-પ્રદેશે મેલ કે અવરોધરૂપે ગાઢ જામેલું છે. આ અર્થ એમના ગુરુભાઈ દુર્બલિકાપુષ્યમિત્ર, જેઓ તેમનાથી વધારે વિદ્વાન-જ્ઞાની તેમજ ગુરુએ પટ્ટધર તરીકે સ્થાપ્યા હતા, તેમણે સમજાવ્યો. સાથે “ગુરુ મહારાજે પણ વાચનાના અવસરે આ સૂત્રનો અર્થ તમે કરો છો તેવો નહીં પરંતુ આવો કહ્યો છે” એમ જણાવી તર્ક અનુસારી ચર્ચા પણ કરી. છતાં ગોષ્ઠા માહિલ સાચો અર્થ સ્વીકારતા નથી, તેથી તેમણે દ્વાદશાંગીના એક સૂત્રના અર્થનો અપલાપ કર્યો. આ અર્થથી દ્વાદશાંગીની આશાતના ગણાય.
સભા : જમાલિએ પણ અર્થ ખોટો કહ્યો તેથી નવો મત થયો ને ? તો તેને અર્થની આશાતના કેમ ન કહેવાય ?
સાહેબજી : જમાલિએ પહેલાં “ડેના વડે” સૂત્રનો અસ્વીકાર કર્યો. ત્યારબાદ તે સૂત્રના અર્થનું ખંડન કર્યું. એટલે સૂત્રના ઉપલાપ દ્વારા સમગ્ર દ્વાદશાંગીની આશાતના થઈ. જ્યારે ગોષ્ઠા માહિલ વડે પ્રથમ સૂત્રનો સ્વીકાર કરીને જ તેના વિપરીત અર્થઘટન દ્વારા સીધો સમ્યગુ અર્થનો જ અપલાપ કરાયો. તેથી તેણે અર્થના અપલાપ દ્વારા સમગ્ર દ્વાદશાંગીની આશાતના કરી કહેવાય. દા.ત. ભગવાને સૃષ્ટિમાં કુલ આત્મા અનંતા
अतीतकाले अनन्ता जीवाः 'चतुरन्तं संसारकान्तारं' नारक-तिर्यङ्-नरा-ऽमरविविधवृक्षजालदुस्तरं भवाटवीगहनमित्यर्थः, अनुपरावृत्ता आसन् जमालिवत्; अर्थाज्ञया पुनरभिनिवेशतोऽन्यथाप्ररूपणादिलक्षणया गोष्ठामाहिलवत्,
(नंदीसूत्र० सूत्र ११६ टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org