SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવતીર્થ - દ્વાદશાંગી ૨૪૭ સમ્યજ્ઞાન જેમ જેમ ભણશો તેમ તેમ જૂનાં જ્ઞાનાવરણીય તૂટશે અને નવાં નહીં બંધાય. વળી, સમ્યજ્ઞાન તો પરભવમાં પણ સાથે આવશે. સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન ગુણ જન્માંતર અનુગામી છે, જીવ પરલોકમાં તેની સાથે લઈ જઈ શકે છે. સમ્યક્યારિત્ર ગુણ આ બે ગુણ કરતાં મહાન છે, છતાં તે જન્માંતર અનુગામી નથી. દ્રવ્યચારિત્ર કે ભાવચારિત્ર બેમાંથી એક પણ જન્માંતરમાં સાથે લઈ જઈ શકાતું નથી, માત્ર ચારિત્રના સંસ્કાર જ પરભવમાં સાથે આવે. જ્યારે દર્શનગુણ અને જ્ઞાનગુણને as it is-જેવા છે તેવા સાથે લઈ જવા હોય તો લઈ જઈ શકાય છે. તીર્થકરો માના પેટમાં અવતાર લે ત્યારે આગલા ભવનાં દર્શન-જ્ઞાન સાથે લઈને જન્મે છે. તેથી જ્ઞાનગુણનું જીવનમાં ઘંટન જન્મ જન્મ હિતકારી અને કાયમી મૂડી છે. જેને વૈરાગ્ય ન ગમે તેને શાસ્ત્રવચન પરિણામ પામતું નથી : 'દ્વાદશાંગીના પ્રત્યેક વચનમાં અંતિમ આદર્શ મોક્ષ સમાયેલો છે અને અવાંતર ધ્યેય ક્ષમા, વિનય આદિ ગુણો છે. સર્વગુણમય મોક્ષને પામવા ગુણરૂપી અવાંતર ધ્યેય સુસંગત જ છે. જિનવાણી સંવેગ, નિર્વેદથી ભરપૂર છે. સંવેગ એટલે મુક્તિની અભિલાષા અને નિર્વેદ એટલે સંસારનો વિરાગ. આ બંને પેદા ન થાય ત્યાં સુધી શાસ્ત્રોમાં રસ ન પડે. શાસ્ત્ર વૈરાગ્યનો દરિયો છે; કારણ કે તેને ઉપદેશનારા જિનેશ્વરો સ્વયં વિતરાગ છે. વિરાગ એ જ વીતરાગતાનું સાધન છે. તીર્થકરોની દેશના વૈરાગ્યરસથી ભરપૂર હોય છે. જેને વૈરાગ્ય ન ગમે તેને સંવેગ ન પ્રગટે અને તે વિના શાસ્ત્રો વાંચે, ભણે, વિચારે, બોલે, સાંભળે કે ઉપદેશે પણ અંતરને સ્પર્શ નહીં. જેનું અંતઃકરણ વૈરાગ્યથી ભાવિત છે તેને જ શાસ્ત્રવચન પરિણામ પામે. એક એક જિનવચન પણ તીર્થસ્વરૂપ છે : પ્રત્યેક શાસ્ત્રવચન તારકશક્તિ ધરાવે છે. અરે ! સમગ્ર દ્વાદશાંગી નહીં, દ્વાદશાંગીનું એક વચન પણ તીર્થ છે. આ જ દ્વાદશાંગીના પ્રારંભિક સૂત્રરૂપ નવકાર માટે પૂજ્ય વીરવિજયજી મહારાજાએ લખ્યું કે “અડસઠ અક્ષર એના જાણો, અડસઠ તીરથ સાર.” અર્થાત્ નવકારનો એક એક અક્ષર પણ તીર્થસ્વરૂપ છે. વાક્યો કે શબ્દો તો તીર્થ છે જ, પણ એક એક અક્ષર પણ સ્વતંત્ર તીર્થ છે. ગંભીર સૂત્રોના વિવેચન અવસરે વાક્યનો १ अरहंतनमोक्कारो एवं खल वण्णिओ महत्थो त्ति। जो मरणम्मि उवग्गे अभिक्खणं कीरइ बहसो।।३०१५।। जलणाइभए सेसं मोत्तुं पगरणं महामोल्लं। जुधि वातिभए घेप्पइ अमोहमत्थं जह तहेह।।३०१६।। मोत्तुं पि बारसंगं मरणाइभएसु कीरए जम्हा। अरहंतनमोक्कारो तम्हा सो बारसंगत्यो।।३०१७।। सव्वं पि बारसंगं परिणामविसुद्धिहेउमित्तागं। तक्कारणभावाओ कहं न तयत्थो नमोक्कारो? ।।३०१८ । । न हु तम्मि देसकाले सक्को बारसविहो सुयक्खंधो । सव्वो (य विचिंतेउ)अणुचिंतेउं धंतं पि समत्थ(चितेणं)चिंतेणं । ।३०१९।। एगम्मि वि जम्मि पए संवेगं कुणइ (वीतराग)वीयरायमए। तं तस्स होइ नाणं जेण विरागत्तणमुवेइ।।३०२० ।। एकम्मि वि जम्मि पए संवेगं कुणइ (वीतराग)वीयरायमए। सो तेण मोहजालं छिंदइ अज्झप्पओगेणं।।३०२१।। ववहाराओ मरणे तं पयमेक्कं मयं (नमो)नमुक्कारो। अन्नं पि निच्छयाओ तं चेव य बारसंगत्थो।।३०२२ ।। (વિશેષાવરમાણ મૂત) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy