SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવતીર્થ - દ્વાદશાંગી ૨૧૫ ધર્મની ફીલોસોફી કરતાં જૈન ફીલોસોફીનો મૂળભૂત concept-વિચાર જુદો છે. આપણે ત્યાં ઈશ્વર almightyસર્વશક્તિમાન નથી, પરંતુ વિશ્વવ્યવસ્થામાં જે ઉત્તમોત્તમ પુરુષ, ગુણસમૃદ્ધ પુરુષ તે ઈશ્વર છે, આખી દુનિયાને ઊંધીચત્તી કરી શકે તે ઈશ્વર નથી. ઊલટું જૈનદર્શન કહે છે કે પદાર્થવિજ્ઞાનના સિદ્ધાંતને અનુસારે જ સમગ્ર વિશ્વવ્યવસ્થા ચાલે છે. In cosmology cosmic order is supreme, even God has to follow it.-વિશ્વવ્યવસ્થામાં તેના નિયમો સર્વોપરી છે, ઈશ્વરે પણ તેને અનુસરવા પડે. આમ, જો ભગવાનને પણ તત્ત્વનું અનુસરણ કરવું પડે તો બીજાની ક્યાં વાત રહી ? તીર્થંકરનો આત્મા પણ ભૂલ કરે તો તેમને પણ વિશ્વવ્યવસ્થામાં સજા છે. ભગવાન મહાવીરના જીવે ભૂલ કરી તો તેઓ પણ સાતમી ન૨કે ગયા, અને તમે કરશો તો તમે પણ જશો. અહીં બધા માટે નીતિનિયમો સરખા છે, કોઈ ભેદભાવ નથી. વિશ્વવ્યવસ્થામાં પાયાના તત્ત્વનું વર્ણન કરવા જે શબ્દરૂપ રજૂઆત કરાય છે, તે સૂત્રાત્મક દ્વાદશાંગી છે. વ્યક્તિરૂપ તીર્થ કરતાં પણ દ્વાદશાંગીરૂપ શાસ્ત્રની મહાનતા ઃ ૧ આ જગતમાં તારક વ્યક્તિને જેમ તીર્થસ્વરૂપ કહી, તેમ વ્યક્તિ કરતાં પણ મહાન એવા પ્રવચનને હવે તીર્થ કહે છે. એટલે કે સર્વતા૨ક પ્રવચન જ તીર્થસ્વરૂપ છે, જે દ્વાદશાંગીરૂપ શાસ્ત્રો છે. અહીં શાસ્ત્ર શબ્દમાં ‘શાસ્’ અને ‘ત્ર’ એમ બે વિભાગ છે. ‘શાસ્’ એટલે શાસન અને ‘ત્ર’ એટલે ત્રાણ. જે તમારા પર શાસન કરે, તમને મર્યાદા-controlમાં ૨ાખે, અને તમારું ત્રાણ એટલે રક્ષણ કરે તે શાસ્ત્ર. ૧ જેમાં અનુશાસન અને રક્ષણની શક્તિ છે, તેને શાસ્ત્ર કહેવાય. શરણે ગયેલાનું શાસ્ત્ર અનુશાસન કરે અને રક્ષણ કરે. આ શક્તિ જેનામાં હોય તે જ તા૨ક તીર્થ બની શકે; કેમ કે ભવસાગરથી પાર પામવા મોક્ષમાર્ગમાં નિર્વિઘ્ન પ્રગતિ અર્થે સતત અનુશાસન અને ૨ક્ષણની જરૂ૨ છે, જે બંને ક૨વાની શક્તિ સમ્યક્ શાસ્ત્રમાં છે. સમ્યક્ શાસ્ત્રવચનો તેના જ્ઞાતાને સતત કલ્યાણમાર્ગમાં નિયંત્રિત કરે છે અને આત્માને અહિતકારી તત્ત્વોથી પર્યાપ્ત રક્ષણ પૂરું પાડે છે. દ્વાદશાંગીના પ્રત્યેક વચનમાં આવી અમાપ શક્તિ છે, તેથી શાસ્ત્ર જ તીર્થસ્વરૂપ છે. સભા : શાસ્ત્ર પણ તીર્થ છે, અને શાસ્ત્રજ્ઞ ગુરુ પણ તીર્થ છે, તો તફાવત શું ? સાહેબજી : શાસ્ત્રજ્ઞ ગુરુ એ વ્યક્તિ થઈ, તેને પણ મહાન બનાવનાર તેમનામાં રહેલાં શાસ્ત્ર છે. તે પોતે પણ તેના બળથી તરે છે અને બીજાને પણ તેના બળથી તારે છે. તે અપેક્ષાએ વ્યક્તિ કરતાં શાસ્ત્ર મહાન છે, જેમ ધર્માચાર્ય કરતાં ધર્મસિંહાસનનું મહત્ત્વ વધારે છે. વ્યવહારમાં સુધર્માસ્વામીની પાટ બોલીએ ત્યારે પાટનું મહત્ત્વ વધારે છે; કેમ કે પટ્ટધર તો આજે આ અને કાલે બીજા છે. વ્યક્તિ બદલાશે પણ ધર્મઆસન બદલાવાનું નથી. તેમ વીરના શાસનમાં કાળક્રમે ગુરુઓ બદલાયા, પણ શાસ્ત્ર તો તે જ છે. જૈનદર્શન નયોથી ભરપૂર છે, એટલે જુદી જુદી અપેક્ષાએ ધર્મતીર્થનું સ્વરૂપ વર્ણવે. એક અપેક્ષાએ વ્યક્તિ પણ જંગમ તીર્થ છે, १. शासनात्त्राणशक्तेश्च, बुधैः शास्त्रं निरुच्यते । ★ तथा शास्यतेऽनेनास्मादस्मिन्निति वा ज्ञेयमात्मनेति वा शास्त्रं Jain Education International (अध्यात्मोपनिषत् प्रकरण, शास्त्रयोगशुद्धि अधिकार श्लोक १२) (आवश्यक निर्युक्ति एवं भाष्य श्लोक १३० टीका) For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy