________________
ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ
૧૯૭ સભા : ગણધરોને તીર્થવહનનું શું ફળ ?
સાહેબજીઃ જે ઊંચાં ફળ પામી ચૂક્યા છે, તેમના નવા ફળની ચિંતા તમે શું કામ કરો છો ? તીર્થકરો દિક્ષાના અવસરે ધર્મપ્રભાવના નિમિત્તે વરસીદાન આપે છે, જે લોકોત્તર અનુકંપાદાન છે. તેનું ઉત્તમ ફળ પુણ્યાનુબંધી પુણ્ય છે. અહીં શાસ્ત્રમાં પ્રશ્ન કર્યો કે, ભગવાનને નવા પુણ્યાનુબંધી પુણ્યની આવશ્યકતા છે માટે વરસીદાન કરે છે ? અથવા તીર્થકરને આ અનુકંપાદાનનું ફળ શું? તેનો જવાબ આપતાં લખ્યું કે, પ્રભુને પુણ્યાનુબંધી પુણ્યની પણ જરૂર નથી, અને ફળની અપેક્ષાથી પ્રભુએ અનુકંપાદાન કરેલ જ નથી; માત્ર આ તેમનો સ્વ-પરહિતકારી આચાર છે, જે તીર્થંકર નામકર્મના ઉદયથી ઔચિત્યના આચરણરૂપે તેઓ કરે છે. અરે ! ભગવાન શાસન સ્થાપે છે તે પણ, ભૂતકાળનું તીર્થકર નામકર્મ વિપાક દ્વારા આ સત્કાર્ય કરાવે છે, તેથી જ કરે છે. તે સિવાય સ્વયં ભગવાનને કોઈ ફળની આવશ્યકતા નથી. તેમ ગણધરો પણ જિનવાણીના સારને અંતર્મુહૂર્તમાં પામ્યા છે, અને આ ભવમાં જ સ્વબળે તરી જવાના છે, પણ ગણધરનામકર્મ તેમની પાસે આવી કલ્યાણકારી પ્રવૃત્તિ કરાવે છે. તેમને તે ઉત્તમ પ્રવૃત્તિના ફળની સ્વકલ્યાણ માટે કોઈ જરૂર નથી. અરે ! ગણધરો તો મહાન છે જ, પરંતુ તે પછી પણ શાસનમાં તીર્થસ્વરૂપ થયેલા જેટલા આત્માઓ છે, તે સર્વ માર્ગને પામેલા જ છે. તેમના કલ્યાણની કોઈ શંકા નથી. તેમનું કલ્યાણ સુનિશ્ચિત જ છે. કોઈ પૂછે કે પૂ. હરિભદ્રસૂરિ કે પૂ. હેમચંદ્રાચાર્યનું કલ્યાણ થશે ? તો તે તો થઈ જ ગયું છે. આટલું વાવનાર-પમાડનાર કદી ડૂબી જવાના નથી. નક્કી કરવાના છે. તે પણ પ્રધાનતાથી સ્વબળે. જે કોઈ તીર્થસ્વરૂપ થયા છે તેમને તેઓ અત્યારે જે સમ્પ્રવૃત્તિ કરે છે તેનાથી એવું પુણ્ય બંધાશે, કે તે ઉદયમાં આવશે ત્યારે ફરી નવું પરકલ્યાણનું વિપુલ સત્કાર્ય કરાવશે. જીવંત તીર્થના હાથે જે સત્કાર્યની હારમાળા ચાલે છે, તે પણ પોતાના કલ્યાણ માટે નહીં, મુખ્યત્વે પરકલ્યાણ માટે છે, જે તેમને પૂર્વનું નિવદ્ય પુણ્યાનુબંધી પુણ્ય કરાવે છે. કોઈક જ એવા અપવાદ બને કે તીર્થસ્વરૂપ થયા પછી પણ ભૂતકાળનું નિકાચિત કર્મ તેમને પછાડે, છતાં પણ તેમની વહેલામોડા તરવાની ગેરંટી તો નક્કી જ છે.
[
|
ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ સંપૂર્ણ
પ પ ]
છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org