SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ ગુરુ જ મારે જોઈએ તેવી તમને તલપ નથી. જેને એવી તમન્ના હોય તે જ શરણરૂપે તીર્થને શોધે. જે શ્રુતના પારગામી હોય, ઉત્સર્ગ-અપવાદ, નિશ્ચય-વ્યવહાર, સ્વસમય-પરસમય આદિના બોધથી પરિપક્વ હોય; પરોપકારરસિક, ધીર, ગંભીર, ચારિત્રસંપન્ન, સહિષ્ણુ, ઉદાર હોય; શરણે આવેલાની સો ભૂલોને ગળી જાય અને એની લાયકાત હોય તો અવશ્ય હિત કરે, તેવા ગુરુ જ તીર્થંકરની ગેરહાજરીમાં આ જગતમાં શરણરૂપ છે. પ્રભુશાસનમાં ગીતાર્થતાનો અતિ આગ્રહ છે. જેને ગીતાર્થયોગ્ય શ્રુતજ્ઞાન નથી તેને આચાર્યપદ આપનાર પણ પાપનો ભાગી છે. જેણે આ રીતે પદ લીધું હોય તેને પણ મહાનુકસાન છે. શાસ્ત્રો ત્યાં સુધી કહે છે કે, ગીતાર્થતાશૂન્ય પદવીધરથી જ તીર્થનો ક્રમિક વિચ્છેદ થાય છે. તેવા આચાર્યની પૂજા એ તીર્થની પૂજા નથી. આ શાસનમાં સત્ય કહેવામાં કોઈ કચાશ રાખી નથી. છેલ્લે સંક્ષેપમાં બરાબર અવધારણ કરી લો કે તીર્થની અવિચ્છિન્ન પરંપરા જ્યાં સુધી આવા ગીતાર્થ ગુરુ શાસનમાં હોય ત્યાં સુધી જ ચાલે. એમની નિશ્રાએ જ આખા સંઘને વર્તવાનું છે, બાકીનાને તો સંઘ જ નથી ગણ્યો. આ નિયત પરિભાષાને સમજો તો, તીર્થંકરોએ તીર્થ સ્થાપીને અસંખ્ય અસંખ્ય કાળ સુધી લાયક જીવોને જીવંત તારક તત્ત્વ પ્રત્યક્ષ મળે એવી વ્યવસ્થા ગોઠવી અર્થાત્ જ્ઞાની ગીતાર્થ ગુરુની અવિચ્છિન્ન પરંપરા ચાલે એવું તંત્ર સ્થાપિત કર્યું. સભા ઃ જધન્ય ગીતાર્થથી ચાલે ? ૩ સાહેબજી ઃ જે કાળમાં જેટલું શ્રુતજ્ઞાન હોય તેના ધારક ગીતાર્થ કહ્યા. અન્ય કાર્યોમાં જઘન્ય ગીતાર્થ ચાલે, પરંતુ ૐ શાસનની મુખ્ય ધુરા વહન કરવામાં તો તે તે કાળના શ્રુતના પારગામી જ આવશ્યક છે. પ્રભુ વીરના શાસનમાં અંતિમ તીર્થસ્વરૂપ દુપ્પસહસૂરિ થશે, તે પણ તે કાળના સંપૂર્ણ શ્રુતના પારગામી હશે. આવા શ્રુતધરો જ તે તે કાળે શાસનના આધારસ્તંભ છે. તેમની એક એક સલાહ શાસન માટે અત્યંત ૧ સેર્વાંગઘ્ધ-નિવવુંવળ-નોશો, સે ખં નળી, સે ળં ળદરે, સે ખંતિત્યે, સે ખંતિત્યયરે, સે ળે અરહા, સે ગૂં વત્તી, સે ખં નિળે, (महानिशीथ सूत्र नवणीयसार नामनुं पांचमुं अध्ययन फकरो १९) २ भाषा मृषान्यथा तु, प्रवचननिन्दा च शिष्यगुणहानिः । तीर्थोच्छेदश्चेति, स्वल्पाध्ययने न योग्यत्वम् ।।१३१ ।। ૧૯૩ (માર્ગપરિશુદ્ધિ) ★ ‘इतरथा’ अनीदृशानुयोगानुज्ञायां मृषावांदो गुरोस्तमनुजानतः, प्रवचनखिसा च भवति लोके, तथाभूतप्ररूपकात्, शेषाणामपि च गुणहानिः सन्नायकाभावात्, तीर्थोच्छेदश्च भावेन ततः सम्यग्ज्ञानाद्यप्रवृत्तेरिति द्वारगाथार्थः।।९३३ ।। (पंचवस्तुक श्लोक ९३३ टीका) 3 सर्ववधसमर्थेन सिंहादिक्रूरसत्त्वव्यापादनक्षमेण । प्रतिपन्नाणुव्रतेन सता । सिंहादिः सिंहः शरभो वा । न घातित इति । तेन तु सिंहादिना। घातितो युगप्रधानोऽनुयोगधर एक एवाचार्यः । संभवत्येतदिति । । १६५ ।। ततस्तस्मादाचार्यघातात्तीर्थोच्छेदः धनितमत्यर्थमनर्थः प्रभूतसत्त्वानां दर्शनाद्यनवाप्त्या मुमुक्षूणाम् । यतश्चैवं तत्तस्मात् । कथं न भवति दोषः । तेषां प्रत्याख्यातृप्रत्याख्यापयितृणाम् । इह विनाशकरणे । निवृत्तिवादिनां भवत्येवेति । ।१६६ । । ( श्रावकप्रज्ञप्ति श्लोक १६५ - १६६ टीका) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy