SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ વાણી તે સાક્ષાત્ અર્થ છે. તીર્થકરો કોઈને આધાર કર્યા વિના સ્વયં સત્ય પ્રકાશે છે, તેમને બોલવા સૂત્રની સાખની જરૂર નથી. સભા તીર્થકરો પણ સમવસરણમાં “પૂર્વના તીર્થકરો કહી ગયા એ જ હું કહું છું” એમ બોલે છે, તે આધાર ન કહેવાય ? સાહેબજીઃ તે સાખરૂપે કથન નથી, માત્ર પૂર્વના તીર્થકરો અને મારા અભિપ્રાયમાં મતભેદ નથી તેમ જણાવવા, પૂર્ણ જ્ઞાનીઓના જ્ઞાનની પરસ્પર એકરૂપતા દર્શાવવા પૂરતું વિધાન છે. બાકી કોઈ તીર્થકર બીજા તીર્થકરના વચનનું આલંબન લઈને બોલતા નથી. સમકક્ષમાં આવું અવલંબન અવમૂલ્યન ગણાય. તમારી ટૂંકી બુદ્ધિથી ઉત્તમ પુરુષોને સરખાવવા યોગ્ય નથી. દરેક તીર્થંકરનું વચન સ્વતંત્ર છે, તે સ્વયં પ્રમાણભૂત છે, તેઓ આત્મસાક્ષીએ કેવલજ્ઞાનમાં જે તત્ત્વ દેખાય છે તે વાણી દ્વારા વહાવે છે. સભા તીર્થકરો બોલે તે જ શાસ્ત્ર છે ? સાહેબજીઃ ના, તેઓ બોલે છે તે તો શાસ્ત્ર કરતાં પણ અધિક છે; કેમ કે શાસ્ત્ર એ સૂત્ર છે, તીર્થકરો જે બોલે છે તે અર્થ છે. સૂત્ર કરતાં અર્થ મહાન છે. અર્થ એ જ આખા જગતનો પરમાર્થ છે, સત્ય છે, તત્ત્વ છે, સાર છે. તે જ અતિશયયુક્ત વાણી દ્વારા તીર્થંકરો કહે છે. તેમને શાસ્ત્રની કોઈ આવશ્યકતા નથી. શાસ્ત્ર હંમેશાં છદ્મસ્થનો વિષય છે. છદ્મસ્થ જ શાસ્ત્રનું અવલંબન લે, અપૂર્ણ જ્ઞાની શાસ્ત્રને પકડીને ચાલે. જીવંત તીર્થસ્વરૂપ વ્યક્તિ પણ નિયમ છબસ્થ, અપૂર્ણ જ્ઞાની જ હોય; કેમ કે અનુશાસનનો અધિકાર શાસનમાં પ્રશસ્ત કષાયયુક્ત છદ્મસ્થને સોંપ્યો છે. તેથી સૂત્રાર્થનો જ્ઞાતા જ તીર્થ બનવા લાયક છે. જે જે કાળમાં જે જે શાસ્ત્રજ્ઞાન વિદ્યમાન હોય, તે બધું સાંગોપાંગ પોતાના આત્મામાં જેણે સંક્રાંત કર્યું હોય, તે વ્યક્તિ જ સાચી શાસક છે. એની પાસે જે શરણ સ્વીકારે તેને તેની લાયકાત પ્રમાણે તે માર્ગ બતાવે; જેમ સારો ડૉક્ટર જુદા જુદા ચિહ્નોવાળા રોગયુક્ત દર્દી આવે તો સૌને એક દવા ન આપે, પરંતુ રોગ અનુસાર જુદી જુદી દવા આપે. આ જોઈને કોઈ દયાળુને મન થઈ જાય કે આપણે પણ દવાખાનું ખોલીને દવાના ડબ્બા લઈ બેસી જઈએ, અને બિચારા રોગથી પીડાતા દુઃખીઓના રોગ દૂર કરીએ, આવા ભાવથી તે જે રોગી આવે તેને, કોઈને અમુક કોઈને અમુક એમ દવા આપવાની ચાલુ કરે, તો શું થાય ? એક પછી એક દર્દીઓ મરવા માંડે. તેથી જે એમ કહે છે કે પવિત્ર અને ગુણિયલ ગુરુ હોય તો શરણ સ્વીકારવામાં શું વાંધો ? તેનો આ માર્મિક જવાબ છે. કોઈ પરોપકારી, સજ્જન, દયાળુ વ્યક્તિને દવાખાનામાં ડૉક્ટર તરીકે બેસાડી દો, અને તેની સામે ચિકિત્સા માટે પેશન્ટની હાર લગાડો તો પરિણામ કેવું આવે? તેમ સૂત્રાર્થના જ્ઞાન વિના અગીતાર્થ ગુણિયલ ગુરુ કોઈને તપ, કોઈને ત્યાગ, કોઈને ભક્તિ, કોઈને વિનય, કોઈને સ્વાધ્યાય, કોઈને સંયમ ધર્મરૂપે १ यद्वा अर्थापेक्षया अणोः लघोः पश्चाज्जाततया वा अनु-शब्दवाच्यस्य योऽभिधेयो योगो व्यापारस्तत्सम्बन्धो वा अणुयोगो ऽनुयोगो वेति। आह चझ्अहवा जमत्थओ थोव-पच्छभावेहिं सुअमणुं तस्स। अभिधेये वावारो जोगो तेणं व संबंधो।। (जम्बूद्वीपप्रज्ञप्तिसूत्र शान्तिचन्द्र वृत्ति पृ.५) मै यस्मादर्थस्यानन्तत्वात् तदपेक्षया सूत्रमणु। (विशेषावश्यकभाष्य श्लोक १३८६-१३८७ टीका) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy