SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવતીર્થ – ગીતાર્થ ગુરુ सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । મવિION, JI GOVIi મળOTI IIII (મતિત પ્રરVTસ્નો-૧) અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોકૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. કૃતકૃત્ય એવા તીર્થકરો પોતાના માટે નહીં, પરંતુ જગતના કલ્યાણ માટે ધર્મતીર્થ સ્થાપે છે ? તીર્થકરો અંતિમ ભવમાં એ કક્ષાના મહાસાધક છે કે તેમને તે ભવમાં સ્વની સાધના કરવા કોઈ સામગ્રી, આલંબનો, સહાયની જરૂર નથી. તે પોતાના આત્મબળથી સાધના કરીને પાર પામી શકે છે. તેમને તરવા હવે કોઈ તીર્થની જરૂર નથી. જેમ કોઈ જબરદસ્ત તરવૈયો સમુદ્રના મધદરિયે હોય, પણ તેને કાંઠે પહોંચવાની સાંગોપાંગ જાણકારી હોય, તરવા માટે બાવડામાં તાકાત હોય તો તેને પાર પામવા કોઈની સહાયની આવશ્યકતા નથી, તેવી જ પરિસ્થિતિ ભવસાગરથી સ્વયં તરનાર તીર્થકરોની અંતિમ ભાવમાં છે. હજી તેમના આત્મા પર stockમાં સત્તામાં અસંખ્ય ભવ પરિભ્રમણ કરાવે તેવો કર્મસંચય છે, જન્મ વખતે પણ પ્રતિક્ષણ તેમને આઠે કર્મનો વિપાક ચાલુ છે, છતાં તેમનામાં સર્વ બંધનોને સ્વબળથી કાપવાની શ્રેષ્ઠ १ केवलमधिगम्य विभुः, स्वयमेव ज्ञानदर्शनमनन्तम्। लोकहिताय कृतार्थो-ऽपि देशयामास तीर्थमिदम्।।१८।। केवलमित्यादि । केवलं निरावरणम्, अधिगम्य प्राप्य, विभुः सर्वगतज्ञानात्मा, स्वयमेव स्वशक्त्यैव, ज्ञानदर्शनं ज्ञानं च दर्शनं चेति समाहारद्वन्द्वः। (તત્ત્વાર્થસૂત્ર માદ્યરિવસ્ત્રોવ૨૮, ૩. યશોવિનયની વ્યારહ્યા) २ एतदुक्तं भवति-सास्वादनादिष्वपूर्वकरणपर्यवसानेषु गुणस्थानकेषु सागरोपमान्तःकोटीकोटीप्रमाणैव स्थितिर्भवति, नाधिका નાયૂનેત્વર્થ: । (शतकनामा पञ्चम कर्मग्रन्थ श्लोक ४८ टीका) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy