________________
આમુખ
યોગદાન આપ્યું છે. તેમાં પણ વિશેષ અને અવિરત યોગદાન પંડિત મ.સા.ના બેન મહારાજ એવા પ.પૂ. વિદુષી સાધ્વીજી શ્રી ચારૂનંદિતાશ્રીજીનું રહે છે. અમો તેમનાં આકંઠ ઋણી છીએ.
અવસરોચિત પંડિત શ્રી પ્રવીણભાઈ મોતાનો જે અમૂલ્ય સહયોગ આ કાર્યમાં પ્રાપ્ત થયેલ છે તે શબ્દાતીત છે. સમ્યજ્ઞાનની તેમની ભક્તિ, જ્ઞાનદાનની તેમની શુભ પ્રવૃત્તિઓ અને તેમનો શાસનરાગ સકળ શ્રીસંઘને માટે ઉપકારી બનેલ છે. “ઉપકાર' શબ્દ પણ વામણો લાગે છે. તેમનું આ કાર્યમાં યોગદાન વાણીનાં સીમાડાઓને ઓળંગી જાય તેટલું વિશાળ અને ઊંડાણવાળું છે. તદુપરાંત અનેક સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાઓએ તેમનો યથાશક્તિ ફાળો આપેલ છે. તે સૌને ભૂલાય તેમ નથી. કોના કોના અને કેટલાં નામો ગણાવીએ?
| સર્વ જિજ્ઞાસુવર્ગ જેની ચાતકડોળે રાહ જોઈ રહ્યો હતો તે “ધર્મતીર્થ'ની વાચનાઓ ૫.પૂ. નાના પંડિત મ.સા.એ આપી છે. “ધર્મ શું છે? અને “તીર્થ' શું છે? તેને ઊંડાણથી સમજાવવા અનેક દ્રષ્ટિકોણ ખોલી ખોલીને તત્ત્વનાં પરમાર્થને પમાડવાનો સબળ પુરુષાર્થ તેમણે કર્યો છે.
સાતેય વિભક્તિઓથી ધર્મ” અને “તીર્થનું જોડાણ કરીને, નય-નિપા-ભેદ-પ્રભેદો દ્વારા ભવિ જીવોને ધર્મતીર્થનો મહિમા સમજાવવા માટે તેમણે હજારો શાસ્ત્રપાઠોનાં ચિંતન-મનન વિગેરે કરી કરીને આપણા સૌના ઉપકાર માત્રનાં હેતુને સિદ્ધ કરવા સ્વ-પર આત્મહિતદષ્ટિએ વ્યાખ્યાનોવાચનાઓ આપ્યાં છે. પુસ્તક વાંચ્યા પછી ચોક્કસ સમ્યજ્ઞાનનાં મહિમાપૂર્વક પળાતું ચારિત્ર જ, જ્ઞાનસાપેક્ષ ક્રિયા જ આ ભવસમુદ્રને તરવામાં અને પાર પામવામાં ઉપયોગી બનશે તે વાતનો નિર્ણય આપણે કરી શકીશું. મુખપૃષ્ઠ ચિત્ર પર નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ એમ ચારે નિક્ષેપાથી ધર્મતીર્થને અભિવ્યક્ત કરવાનો સુયત્ન કરેલ છે જેની સૂક્ષ્મવિચારણા પણ યોગ્ય જીવોને લાભનું કારણ બની શકે તેમ છે.
વળી, અત્યારે પાંચમા આરામાં જ્યારે ધર્મશાસનના બંધારણો, તેની મર્યાદાઓ, શાસનની વ્યવસ્થાઓ, તેના સુયોગ્ય સંચાલન વગેરેના અનેકવિધ પ્રશ્નો વારંવાર સુજ્ઞ સાધુ-સાધ્વી-શ્રાવકશ્રાવિકાઓને પણ મૂંઝવતા હોય છે તેવા સમયે તે સૌ પ્રશ્નોના જિનાજ્ઞા અવિરુદ્ધ ઉકેલો મેળવવા માટે શાસ્ત્રોક્ત શાસનબંધારણને સમ્યક્ પ્રકારે સમજવું અનિવાર્ય છે. શાસનનું બંધારણ, વ્યવસ્થાતંત્ર, શાસનનું સંચાલન વગેરે મુદ્દાઓ આ ગ્રંથરત્નમાં સમાવેશ પામેલ હોવાથી આજના કાળની અપેક્ષાએ આ ગ્રંથરત્ન શ્રીસંઘને અત્યંત ઉપયોગી નીવડશે તે વાત નિર્વિવાદ છે. મહામંગલકારી ધર્મતીર્થને જો દ્રવ્યથી-ભાવથી સમ્યફ રીતે સમજીને, સ્વીકારીને વિચારણા કરવામાં આવે તો અનેક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org