SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મતીર્થની વ્યાખ્યા - (૨) પ્રવેશ દુર્ગમ, નિર્ગમ સુગમ – દિગંબર મત ઃ બીજો માર્ગ એવો છે કે જ્યાં પ્રવેશ દુર્ગમ છે પણ નિર્ગમ સુગમ છે. આવા અનેક ધર્મો વિશ્વમાં છે, જેને સમજાવવા પ્રસ્તુતમાં પૂર્વધર મહાપુરુષે દિગંબર સંપ્રદાયનું કથન કરેલ છે. તેમનું કહેવું એમ છે કે, દિગંબર દીક્ષામાં પ્રવેશ દુષ્કર છે પણ નિર્ગમ સુગમ છે. આ વાત તમને નહીં બેસે; કેમ કે આ મુંબઈમાં અનેક ગુજરાતી જૈનો એવા છે જેઓ દિગંબર પરંપરાના પરિચયમાં આવીને એટલા બધા પ્રભાવિત થઈ ગયા છે કે તેઓ અંતરથી માને છે કે ખરો આચાર તો દિગંબર સાધુ પાસે જ છે. તેઓ કહે છે કે શ્વેતાંબર સાધુઓ તો કાંઈ પાળતા નથી, દિગંબર સાધુઓનો આચાર જ ખરેખર કઠોર ત્યાગમય છે. પણ આ પૂર્વધર મહાપુરુષ ઊલટું લખે છે. તેમનું કહેવું છે કે દિગંબર સંપ્રદાયમાં નગ્નતા એ જ મુખ્ય આચાર છે, તેથી મર્યાદાસંપન્ન માણસને ત્યાં દીક્ષા લેવામાં હિચકિચાટ થાય. વળી, at a glance-પ્રથમ નજરે અપરિગ્રહનો કડક દેખાવ છે; કારણ કે નાનો વસ્ત્રનો ટુકડો પણ પરિગ્રહ તરીકે નહીં રાખવાનો, યથાજાત (જન્મ્યા તેવા) જ રહેવાનું. ભોજન પણ કરપાત્રમાં. તેથી સર્વ પરિગ્રહનો ત્યાગ આચારમાં સ્પષ્ટ દેખાય. અમે વાપરીએ તેવાં વસ્ત્ર, પાત્ર, પાટ, પાટલા કશું ન દેખાય. તેથી પ્રવેશતાં જ ગભરામણ થાય, કષ્ટ જોઈને જ સ્વીકા૨વામાં મન પાછું પડી જાય. તેથી દુઃખે પ્રવેશી શકાય તેવો તેમનો માર્ગ છે. પરંતુ બહારથી આટલો ઉગ્ર આચાર છતાં અંદરથી બધું પોલંપોલ હોય. આ વાત તમને નહીં બેસે. જોકે અમે શ્વેતાંબર સાધુ છીએ એટલે શ્વેતાંબર સાધ્વાચારનાં વખાણ નથી કરતા, પરંતુ શાસ્ત્રો ભણતાં સ્પષ્ટ દેખાય કે દિગંબરમતનો આચાર અંદરથી પોકળ છે. હજુ તમને મુનિજીવનની ચર્યાની પાકી ખબર નથી. આખી જિંદગી અણીશુદ્ધ મહાવ્રતો પાળવા માટે નગ્નતા મહત્ત્વની નથી. અંતે તો અહિંસા, સત્યમય જીવન બનાવવાનું છે. કપડાં પહેરો કે ન પહેરો તે ગૌણ છે, પરંતુ આહાર આદિ જીવન જરૂરિયાતની કોઈ પણ ચીજ મેળવવા, કરણ-કરાવણ-અનુમોદનનું દૂરદૂરથી પણ પાપ ન લાગે, તે આચારશુદ્ધિ માટે ખૂબ મહત્ત્વનું છે. તમે કલ્પસૂત્રમાં સાધુના આચારરૂપે દશવિધ કલ્પ સાંભળો છો, તેમાં સાધુજીવનના પ્રાણસ્વરૂપ ઔદેશિકકલ્પનું વર્ણન છે, જેના પાલન વિના મહાવ્રતો ન ટકી શકે. દિગંબરમતમાં વસ્ત્ર-પાત્રના એકાંતે ત્યાગના આગ્રહથી તેમને જીવન ટકાવવા આ આચારનો મૂળમાંથી ભંગ કરવો પડે છે. અત્યારે દિગંબર સાધુઓ વિહાર કરે છે ત્યારે ઓછામાં ઓછાં આઠ રસોડાં તેમના અનુયાયીઓને સાથે રાખવાં પડે છે. તમારું તો એક રસોડું છે, જ્યારે ત્યાં સાધુને ખાતર આઠ રસોડાં જાળવવાં પડે છે. હું મારો અનુભવ કહું છું, કે ત્યાંના મોટા સ્તરના એક આગેવાને અમારા પિતાશ્રીને કહ્યું હતું કે, અમારા સાધુ વિહાર કરે ત્યારે ભક્તિ માટે અમે જે કરીએ તેમાંથી ૯૦ % wastage જાય - બગાડ થાય; કારણ કે તેઓ અમારી-શ્વેતાંબર ૧૨૫ १ दुःखावतारं सुखोत्तारमिति तृतीयं बोटिकानां दिगम्बराणाम् । तत्र नाग्न्यादेर्लज्जादिहेतुत्वेन दुरध्यवसेयत्वात् तत्तीर्थस्य दुःखावतारता। अनेषणीयपरिभोग-कषायबाहुल्यादेस्तदसमञ्जसदर्शनात्, नाग्न्यादेश्चातिलज्जनीयत्वेन तत्पराभग्नानां तत्तीर्थस्य सुखोत्तारतेति । । ३ । । ... अन्ये तु सुखोत्तारतां दुरुत्तारतां च सर्वत्र मुक्तिप्राप्तिमाश्रित्य व्याचक्षते तत्र ... बोटिकानां तु भिक्षाशुद्ध्यादीनां गौणत्वेनाभ्युपगमाद् नाग्न्यलक्षणनिर्ग्रन्थत्वमात्रादेव मुक्त्यभ्युपगमात् सुखोत्तारता । (विशेषावश्यकभाष्य श्लोक १०४०-१०४१ टीका) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy