SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મતીર્થની વ્યાખ્યા ૮૯ છે એટલે સમજવા મહેનત કરવી પડશે. પરંતુ સમજાઈ જાય તો ધર્મની તમામ વ્યાખ્યા સાંભળશો અને તે તે દૃષ્ટિકોણથી સમજશો, તો કોઈ પણ વ્યાખ્યાને જીવનમાં ખોટી રીતે apply કરીને-જોડીને ઊંધે રવાડે નહીં ચડી જાઓ. જૈનશાસન તો સ્યાદ્વાદમય છે, અનેક અપેક્ષાઓથી અનેક વ્યાખ્યાઓ કરે; તેને જે એકાંતે પકડી લે તે સદ્ધર્મમાંથી ચુત થઈ જાય, અને મિથ્યાત્વ આદિમાં ભટકાઈ પડે. તમારે તરવું હોય અને આત્માના ઉત્થાનની જબરદસ્ત લગન હોય, તો આ છેલ્લી વ્યાખ્યાને અત્યંત આત્મસાત્ કરવાની જરૂર છે. સભા : આજ્ઞા કેવી રીતે સમજાય ? સાહેબજી ઃ તે સમજવા સર્વજ્ઞનાં શાસ્ત્રો ઉપલબ્ધ છે. જિનાજ્ઞા જાણ્યા વગર ધર્મ સમજી લીધો, રહસ્ય પકડી લીધું તેમ તમે માનતા હો તો ભૂલો છો; કારણ કે જેમણે જિનાજ્ઞાને વિસારી તેમણે જીવનમાં ભલે સારી વાત પકડી હોય તો પણ માર્ગ ચૂકી ગયા. સભા આજ્ઞા વગરના ધર્મને ધર્મ કહેવાય ખરો ? સાહેબજી તેને ઉપચારથી ધર્મ જ કહેવો પડે; કારણ કે દેખાવમાં સ–વૃત્તિ છે. દા.ત. કોઈ આજ્ઞાવિરુદ્ધ પણ ઉદારતાથી દાન કરે તો લોકવ્યવહારથી મારે તેને સત્કાર્ય કહેવું જ પડે. સભા : ઉત્તરોત્તર ઉન્નતિ તો પુણ્ય હોય તો જ થાય ને ? માટે પુણ્ય તો છેલ્લે સુધી પકડી જ રાખવું પડે ને ? સાહેબજી : ભૌતિક ઉન્નતિ પુણ્યથી થાય, જ્યારે આત્મિક ઉન્નતિમાં તો પુણ્યાનુબંધી પુણ્ય પૂરકરૂપે જ સહાયક છે. મોક્ષમાર્ગમાં આત્માની જ ક્રમિક ઉન્નતિ કરવાની છે. તેથી ઉત્તરોત્તર ઉન્નતિ માટે પુણ્યાનુબંધી પુણ્યનો સહારો જ્યાં સુધી લેવા જેવો છે ત્યાં સુધી લો તો બસ છે. પરંતુ પછી પણ તેને વળગી રહો તો અમે કહીએ કે તમે એક વસ્તુને સારી માની ગ્રહણ કરી, ત્યારબાદ બીજી તેનાથી સારી વસ્તુ મળે તો પણ પહેલી વસ્તુ છોડવા તૈયાર નથી. સાધનામાં દરેક વસ્તુ અવસરે પકડવાની છે અને અવસરે જ છોડવાની છે. દા.ત. અત્યારે કહીએ કે ભગવાનનો રાગ કરવા જેવો, પરંતુ ઉપરની ભૂમિકામાં છોડવા જેવો; અત્યારે ભગવાનનું ધ્યાન કરવા જેવું, આગળ વધ્યા પછી છોડવા જેવું; હાલમાં શાસ્ત્રો ભણવા જેવાં, પરંતુ શ્રેષ્ઠ ભૂમિકા પામ્યા પછી શાસ્ત્રાભ્યાસ છોડવા જેવો; અત્યારે દર્શન-પૂજન-સામાયિક-પ્રતિક્રમણ કરવા જેવાં, પરંતુ આગળ ગયા પછી તેમની કોઈ જરૂર નથી. એટલે ટૂંકમાં જ્યાં જ્યાં જે જે આજ્ઞા છે ત્યાં ત્યાં તે તે પકડો. સભા જિનાજ્ઞા બરાબર સમજવી બહુ દુષ્કર છે. સાહેબજી : ભણવું પડશે, પણ ધર્મની અંતિમ વ્યાખ્યા તો આ જ છે. ચૌદપૂર્વી મહાત્માઓ ચૌદપૂર્વનો અભ્યાસ કરે, પછી તેમને કોઈ પૂછે કે ધર્મનું સારભૂત લક્ષણ બતાવો. તો તેઓ પણ કહેશે કે રહસ્યનું રહસ્ય, માખણનું માખણ, દોહનનું દોહન, સર્વ શાસ્ત્રોનું સારભૂત લક્ષણ આ જ છે કે જ્યાં જ્યાં જિનાજ્ઞા છે ત્યાં ત્યાં ધર્મ છે.” સભા : જિનાજ્ઞા સમજતાં જ જિંદગી પૂરી થઈ જાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy