SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મતીર્થની વ્યાખ્યા પરમશુદ્ધનિશ્ચયનયના મતે શૈલેશી અવસ્થા તે જ ધર્મ છે. ધર્મની અંતિમ શ્રેષ્ઠ વ્યાખ્યા : માપણ ઘો - આજ્ઞા એ જ ધર્મ : આ સર્વ વ્યાખ્યાઓમાંથી કોઈ એકને જ પકડીને જીવનમાં ચાલશે તો તે એકાંગી કહેવાશે. દા.ત. અત્યારે ઘણા શુભક્રિયાને જ ધર્મ માને છે, ઘણા પુણ્યબંધના જ રસિયા છે, જ્યારે જૈનોમાં બીજા એવા પણ દૃષ્ટિકોણવાળા છે કે જે કહે છે – શુભભાવ ધર્મ જ નથી, પુણ્યબંધ પણ ધર્મ જ નથી, ઊલટું પુણ્ય તો હેય છે, તેઓ શુદ્ધભાવને જ ધર્મ કહે છે. એમ જાતજાતની માન્યતાવાળા છે. પરંતુ હું એવું નહીં કહું કે નૈતિક કર્તવ્યો જ ધર્મ છે, માનવતા જ ધર્મ છે, પ્રાણીદયા જ ધર્મ છે, અકામનિર્જરા જ ધર્મ છે, પુણ્યબંધ જ ધર્મ છે, સ–વૃત્તિ જ ધર્મ છે, પુણ્યાનુબંધી પુણ્ય જ ધર્મ છે, સંવર જ ધર્મ છે, સકામનિર્જરા જ ધર્મ છે, શુદ્ધભાવ જ ધર્મ છે. આ બધી આંશિક દૃષ્ટિકોણથી ધર્મની વ્યાખ્યાઓ છે. પરંતુ સર્વાગી, સાંગોપાંગ, શ્રેષ્ઠ વ્યાખ્યા તો એક જ છે કે “સાપ ઘો'. અર્થાત્ “ આજ્ઞા એ જ ધર્મ. આ અંતિમ વ્યાખ્યા છે. સભા : આ પ્રમાણ વ્યાખ્યા ? સાહેબજી : હા, પ્રમાણ વ્યાખ્યા કહો, અંતિમ રહસ્યરૂપ વ્યાખ્યા કહો, ઔદંપર્યરૂપ વ્યાખ્યા કહો, સર્વનયસંમત વ્યાખ્યા કહો, તે આ જ છે. સંક્ષેપમાં આનો સાર એ છે કે વિધવિધ જાતિના તમામ ધર્મો જિનાજ્ઞા અનુસારી હોય તો ધર્મ તરીકે અવશ્ય મંજૂર છે, અને તે જ ધર્મો જિનાજ્ઞા વિરુદ્ધના હોય તો આત્મહિતકારી ન હોવાથી ધર્મ તરીક મંજૂર નથી. દા.ત. માતા-પિતાની ભક્તિરૂપ કૌટુંબિક ધર્મ જિનાજ્ઞા અનુસારી હોય તો અવશ્ય તેને જૈનશાસ્ત્રો ધર્મ કહેશે, અને જિનાજ્ઞાની વિરુદ્ધનું ઉત્કટ પંચમહાવ્રતના પાલન સ્વરૂપ નિરતિચાર ચારિત્ર હોય તો પણ તે વાસ્તવમાં ધર્મ નથી એમ કહેશે. સર્વ કક્ષાના અને સર્વ જાતિના પ્રત્યેક ધર્મોમાં જિનાજ્ઞા ભેળવવી અનિવાર્ય છે. અરે ! જિનાજ્ઞા અનુસારી હિંસા પણ ધર્મ અને જિનાજ્ઞા વિરુદ્ધ અહિંસા પણ અધર્મ. આજ્ઞાસાપેક્ષ અસત્ય એ ધર્મ અને આજ્ઞાનિરપેક્ષ સત્ય એ અધર્મ; એમ સર્વત્ર સંયોજન કરતાં છેક જિનાજ્ઞા વિરુદ્ધનો શુદ્ધ ભાવ પણ અંધર્મ, અને જિનાજ્ઞા મુજબનો અશુદ્ધ ભાવ પણ ધર્મ કહી શકાય. સભા : જિનાજ્ઞાવિરુદ્ધ પુણ્યાનુબંધી પુણ્ય કેવી રીતે સંભવે ? સાહેબજી : સાંભળો, તીર્થકરો દીક્ષા પૂર્વે વર્ષીદાન આપે છે. અહીં ધનદાન તે દ્રવ્યદાન છે, અને તે તો પુણ્યબંધનું કારણ છે. તીર્થકરોને અંતિમ ભવમાં નવા પુણ્યબંધ કે પુણ્યાનુબંધી પુણ્યબંધની કોઈ જરૂર નથી. તેથી શાસ્ત્રોમાં પ્રશ્ન કર્યો કે તેઓ વર્ષીદાન શા કારણે આપે છે ? તો જવાબમાં લખ્યું કે તેમને પુણ્યાનુબંધી પુણ્યરૂપ ફળની કોઈ અપેક્ષા નથી, માત્ર ધર્મપ્રભાવના અર્થે અવસરે દ્રવ્યદાન કરે છે. તેમ આવા १ उच्यते इति वचनम् आगमः, तस्मात्, वचनमनुसृत्येत्यर्थः, 'यदि'त्यद्याप्यनिरूपितविशेषम् ‘अनुष्ठानम्' इहलोक-परलोकावपेक्ष्य हेयोपादेययोरर्थयोरिहैव शास्त्रे वक्ष्यमाणलक्षणयोर्हानोपादानलक्षणा प्रवृत्तिः ‘तद् धर्म इति कीर्त्यते' इत्युत्तरेण योग:, _ (धर्मबिन्दु प्रथम अध्याय श्लोक ३ टीका) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy