SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ શેયને જાણવાનું કામ સમ્યજ્ઞાન કરે છે. યુથાર્થ જ્ઞાનમાં શેયોનો કેવો સ્વભાવ જણાય છે તેનું આ વર્ણન છે. બધાય પદાર્થોનો સ્વભાવ ઉત્પાદ-વ્યય-ધ્રુયુક્ત છે, દરેક પદાર્થમાં સમયે સમયે પરિણામ થાય છે; તે પરિણામો ક્રમે કરીને અનાદિ અનંત થયા કરે છે, એટલે સ્વ અવસરે થતાં પરિણામોનો પ્રવાહ અનાદિ અનંત છે. તે પ્રવાહ કમમાં નાનામાં નાના એકેક અંશો પણ ઉત્પાદ-વ્યય-ધ્રુવસ્વરૂપ સ્વભાવવાળા છે. અનાદિ અનંત કાળના દરેક સમયમાં તે તે સમયના પરિણામ સ્વયં સત્ છે. આવા સત્ પરિણામોને જ્ઞાન જાણે પણ તેમાં કાંઈ ફેરફાર કરી શકે નહિ. જેમ અગ્નિ કે બરફ વગેરે પદાર્થોને આંખ દેખે છે પણ તેમાં કાંઈ ફેરફાર કરતી નથી. સ્વ-અવસરમાં જ્યારે જે પરિણામ છે તે વખતે તે જ પરિણામ હોય, બીજા પરિણામ નહોય એમ જ્યાં જ્ઞાનમાં નક્કી કર્યું ત્યાં કોઈ પણ શેયને આડું અવળું કરવાની મિથ્યા બુદ્ધિપૂર્વકના રાગ-દ્વેષ થતાં નથી. અહા ! જુઓ તો ખરા! ક્રમબદ્ધ પર્યાયના નિર્ણયમાં કેટલી ગંભીરતા છે ! દ્રવ્યની પર્યાય પરથી ફરે એ તો વાત છે જ નહિ, પણ દ્રવ્ય પોતે પોતાની પર્યાયને આડી-અવળી ફેરવવા માંગે તોયફરે નહિ. જેમ ત્રિકાળી દ્રવ્ય પલટીને બીજા રૂપે થતું નથી તેમ તેનો એકેક સમયનો અંશ-પરિણામ પણ પલટીને બીજા રૂપે થતો નથી. “મારે જીવ નથી રહેવું પણ અજીવ થઈ જવું છે' એમ જીવને ફેરવીને કોઈ અજીવ કરવા માંગે તો શું તે ફરી શકે? ન જ ફરે. જીવ પલટીને કદી અજીવપણે ન થાય, ને અજીવ પલટીને કદી જીવપણે ન થાય. જેમ ત્રિકાળી સતુ નથી ફરતું તેમ તેનું વર્તમાન સતું પણ નથી કરતું. જેમ ત્રિકાળી દ્રવ્ય ફરતું નથી તેમ દ્રવ્યની એકેક સમયની અનાદિ અનંત અવસ્થાઓ પણ જે સમયે જેમ છે તેમાં ફેરફાર કે આઘું પાછું થઈ શકે નહિ. ત્રિકાળી પ્રવાહના વર્તમાન અંશો પોતપોતાના કાળે સત્ છે. બસ, પરમાં કેસ્વમાં ક્યાંય ફેરફારની બુદ્ધિ ન રહી એટલે જ્ઞાન જાણનાર જ રહી ગયું. પર્યાય બુદ્ધિમાં અટકવાનું ન રહ્યું. આમ જ્ઞાન જાણવાનું કામ કરે; એવા જ્ઞાનસ્વભાવની પ્રતીતિ કરવી તે સમ્યગ્દર્શન છે. હજી કેવળજ્ઞાન થયા પહેલાં એ જીવ કેવળી ભગવાનનો લઘુનંદન થઈ ગયો. શ્રદ્ધા અપેક્ષાએ તો તે સાધક પણ સર્વનો જ્ઞાયક થઈ ગયો છે. બધા પદાર્થોના ઉત્પાદ-વ્યય-ધ્રુવ સ્વભાવને નક્કી કરતાં, સ્વમાં કેપરમાં ફેરફારની બુદ્ધિ ન રહી પણ જ્ઞાનમાં જાણવાનું જ કામ રહ્યું. એટલે જ્ઞાનમાં
SR No.005529
Book TitleVitrag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy