SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ આ બધા પાત્રતાનો ગુણો વિકસાવવા જોઈએ. હવે (૧) યથાર્થ આત્મસ્વરૂપનો જેમણે અનુભવર્યા છે એવા સાચાદેવ (અરિહંત અને સિદ્ધ), ગુરુ (નિર્ગથ ભાવલિંગી સંત - આત્મજ્ઞાની મુનિ) અને સાચા શાસ્ત્ર (જેનો સાર માત્ર વીતરાગતા જ હોય તે) તેનું યથાર્થ સ્વરૂપ જાણી તેનું યથાર્થ શ્રદ્ધાન કરવું. (૨) જીવ-અજીવાદિસાત તત્ત્વોનું યથાર્થ સ્વરૂપ જાણી, હેય-ઉપાદેય તત્ત્વોનું સ્વરૂપ સમજી, (૩) આત્મસન્મુખ થઈ ભેદજ્ઞાન દ્વારા આત્મ તત્વનો યથાર્થ નિર્ણય કરવો એનું નામ ભેદ વિજ્ઞાનમાં બુદ્ધિને સ્થિર કરવી. આગમના અવલંબનથી (શ્રુતજ્ઞાનના અવલંબનથી) જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માનો નિર્ણય કરવો. હું જ્ઞાનાનંદ સ્વભાવી ભગવાન આત્મા છું, સર્વથા સર્વથી ભિન્ન છું.” ૧. વસ્તુનું સ્વરૂપ ૨. વિશ્વ વ્યવસ્થા ૩. દ્રવ્યની સ્વતંત્રતા ૪. કમબદ્ધ પર્યાય ૫. ઉપાદાન નિમિત્ત ૬. નિશ્ચય-વ્યવહાર ૭. દ્રવ્ય-ગુણ-પર્યાય ૮. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપ મોક્ષમાર્ગ ૯. બાર ભાવના ૧૦. ધર્મના દસ લક્ષણ ૧૪. ચૌદગુણસ્થાન ૧૨. કર્મનો સિદ્ધાંત આ બધા વિષયોનો અભ્યાસ આવી જાય છે. ૨. ચિત્તને મોહ-ક્ષોભ રહિત કરવું? ‘ત્યાગ-વિરાગ ન ચિત્તમાં થાય તેને જ્ઞાન આત્માનું યથાર્થ સ્વરૂપ સમજતા-તેની સ્વાધીનતા-સ્વતંત્રતાનો મહિમા આવતા એટલો નિર્ણય થઈ જાય છે કે - એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી; બધા જ દ્રવ્યો પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં જ રહીને ક્રમબદ્ધઉપાદાનની યોગ્યતા પ્રમાણે પરિણમે છે. જગતમાં કોઈ પદાર્થ ઇષ્ટઅનિષ્ટ નથી, બધા શુદ્ધ સ્વરૂપ છે. હું જીવ (આત્મા) સર્વથા પરમાત્મા
SR No.005529
Book TitleVitrag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy