SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ શરીર, મન, વાણી જડ છે. એનાથી તો આત્મા શુદ્ધ ચૈતન્યમય વસ્તુ ભિન્ન જ છે. પણ પુણ્ય-પાપના ભાવ જે આસવ ભાવ એનાથી પણ વિજ્ઞાનધન ભગવાન ભિન્ન છે. તથાપિ આત્મા પર્યાયમાં દુ:ખી છે. તેને સુખ કેમ થાય તેની આ વાત છે. પર દ્રવ્યથી અને પુણ્ય-પાપના ભાવથી એકતાબુદ્ધિ વડે જીવ દુ:ખી છે. તે એકતાબુદ્ધિ દૂર કરી ભેદજ્ઞાન દ્વારા પોતાના વિજ્ઞાનઘન સ્વભાવ પર આરૂઢ થતાં, શુદ્ધ ચૈતન્યનો આશ્રય કરતાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. કલેશની નિવૃત્તિ થાય છે. આ ધર્મ પામવાનો અને સુખી થવાનો ઉપાય છે. વ્યવહાર તે ઉપાય નથી. એનાથી ભિન્ન પડી.અંતરમાં ભેદજ્ઞાન કરવું તે ઉપાય છે. જ્યાં સુધી હું રાગનો કર્તા અને રાગ મારું કર્મ એમ માને અને એવી અજ્ઞાનમય કર્તા-કર્મની પ્રવૃત્તિનો અભ્યાસ રાખે ત્યાં સુધી તેને મિથ્યાત્વ છે, ત્યાં સુધી તે કલેશ પામે છે, દુ:ખ પામે છે. રાગનો હું કર્તા અને રાગ મારું કર્તવ્ય એ માન્યતા અજ્ઞાન છે, મૂઢતા છે અને એનું ફળ ચોરશીના અવતારના જન્મમરણના દુ:ખ છે, કલેશ છે. માટે વ્યવહાર કરતાં કરતાં ધર્મ થશે એવી અજ્ઞાનમય માન્યતાથી ભિન્ન પડીને વસ્તુ ચિદાનંદઘન ત્રિકાળ ધ્રુવ અંદરમાં જે પડી છે તે એકનો આશ્રય કરીને એમાં જ ઠરવું તે ધર્મ છે. તે જન્મ-મરણના કલેશ નિવારવાનો ઉપાય છે. ભેદજ્ઞાન એક જ તરણોપાય છે. જુઓ, પુણ્ય-પાપના ભાવ તે ભાવકર્મ, મોહનીયાદિ આઠ દ્રવ્યકર્મ અને શરીર, મન, ઇન્દ્રિય, વાણી ઇત્યાદિ નોકર્મ એ બધાને પર દ્રવ્ય કહે છે. અને ચિદાનંદ ધનસ્વરૂપ ભગવાન પોતે સ્વ દ્રવ્ય છે. સર્વ પ્રકારે પર દ્રવ્યની રુચિ છોડી દઈને સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન જ્ઞાયકદેવમાં દૃષ્ટિ પ્રસરાવી તેમાં જ આરૂઢ-સ્થિત થઈ જતાં વિજ્ઞાનધન સ્વભાવ પ્રગટ થાય છે. ભાઈ ! તું અનાદિથી પર દ્રવ્યમાં-રાગમાં આઢ હતો તે હવે પર દ્રવ્યથીરાગથી ખસી જઈને સ્વ દ્રવ્યમાં આરૂઢ થઈ જા. નિર્ભય થઈને, નિ:શંક બનીને સ્વ દ્રવ્યમાં આરૂઢ થઈ જા; કેમ કે એમ થતાં અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તાકર્મની પ્રવૃત્તિના અભ્યાસથી ઉત્પન્ન થયેલો કલેશ થતો હતો તે સ્વભાવમાં આરૂઢ થતાં મટી જાય છે, અને પોતે જ્ઞાનસ્વરૂપ થયો થકો જગતનો સાક્ષી પ્રગટ થાય છે. આત્મામાં કર્તવ્ય નામનો ગુણ છે. એટલે પોતે પોતાના નિર્મળ વીતરાગી ભાવરૂપ કર્મનો કર્તા થઈ રાગથી નિવર્તે ત્યારે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન પ્રગટ
SR No.005529
Book TitleVitrag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy