________________
જૈન સનાતન વીતરાગ દર્શન
(૪) તારી પર્યાયમાં સિદ્ધોને સ્થાપ્યા છે. તેથી તું અલ્પજ્ઞપણે ને રાગપણે રહી શકશે નહીં. હવે સર્વજ્ઞ સ્વભાવમાં જ તું જઈશ, ને સર્વજ્ઞ થઈશ. એમ છે શ્રોતા ! તું નિઃસંદેહ જાણ !
(૫) જેણે સર્વજ્ઞને પોતાની પર્યાયમાં પધરાવ્યા તેને હવે કાંઈ કરવાનું રહ્યું જ નહિ. જેમ સર્વજ્ઞ જાણનાર છે. તેમ તેની સ્થાપના જેણે પોતામાં કરી છે તે પણ જે થાય તેનો માત્ર જાણનાર જ છે. ફેરફાર કરવાની વાત જ નથી. દ્રવ્ય સર્વજ્ઞ સ્વભાવ છે, એ સર્વજ્ઞને જેણે પોતાની પર્યાયમાં સ્થાપયા એને સર્વજ્ઞ થવાનો નિર્ણય આવી ગયો. બસ, એ ‘જ્ઞ’ સ્વભાવમાં વિશેષ ઠરતાં ઠરતાં પર્યાયમાં સર્વજ્ઞ થઈ જશે. બીજું કાંઈ કરવાનું રહ્યું જ નહિ.
(૬) સિદ્ધ છે તે જાણનાર દેખનાર છે તેમ તું જાણનાર દેખનાર જ છો. અધુરા પૂરાનો પ્રશ્ન જ નથી. જાણનાર-દેખનારથી જરીક ખસ્યો એટલે કર્તૃત્ત્વમાં જ ગયો એટલે સિદ્ધથી જુદો પડ્યો. એક ક્ષણ સિદ્ધથી જુદો પડે તે મિથ્યાદષ્ટિ છે. તે યથાર્થ વાત છે.
(૭) આ બાળ-ગોપાળ સૌ ખરેખર જાણનારને જ જાણે છે, પણ એને જાણનારનું જોર દેખાતું નથી તેથી આ રાગ છે, આ પુસ્તક છે, આ વાણી છે માટે જ્ઞાન થાય છે એમ એનું જોર પરમાં જ જાય છે. એની શ્રદ્ધામાં પોતાના સામર્થ્યનો વિશ્વાસ જ આવતો નથી તેથી જાણનારને જ જાણે છે એ બેસતું નથી.
(૮) દ્રવ્યલિંગ તો સર્વથા જીવનું સ્વરૂપ નથી અને ભાવલિંગ જે સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રની શુદ્ધ નિર્મળ પર્યાય, જે પૂર્ણ સ્વરૂપ એવા મોક્ષનું સાધક છે, તે પણ ઉપચારથી જીવનું સ્વરૂપ કહેવાય છે. પરમાર્થ સૂક્ષ્મ શુદ્ધ નિશ્ચયનયથી તે પણ જીવનું સ્વરૂપ નથી. આહાહા ! સાધક પર્યાયને દ્રવ્યની છે તેમ ઉપચારથી કહેવામાં આવે છે. દેહાદિ કે રાગાદિ તો જીવના નથી જ પણ અહીં તો ભાવલિંગની નિર્મળ પર્યાય જે મોક્ષની સાધક છે તે પણ જીવની છે તેમ ઉપચારથી કહેવામાં આવે છે. પર્યાયનું લક્ષ છોડાવવા ભેદજ્ઞાનની પરાકાષ્ટાની આ વાત છે. ધ્રુવસ્વભાવની સન્મુખ જે ધ્યાનની અકષાય સાધક પર્યાય પ્રગટ થાય છે તે પણ ઉપચારથી જીવનું સ્વરૂપ છે. પરમાર્થથી તો ત્રિકાળી ધ્રુવસ્વભાવ જ જીવનું સ્વરૂપ છે. આવી વાત તો ભાગ્યશાળી હોય તેને કાને પડે છે.
૫૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org