SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ 8 8 8 8 8 જૈન સનાતન વીતરાગ દર્શન * વાણીથી જણાય તેવો નથી. ભગવાનની ભક્તિથી જણાય તેવો નથી. આનંદની અનુભૂતિના સ્વસંવેદનજ્ઞાનથી જણાય એવો હું છું અને બધા આત્માઓ પણ એના સ્વસંવેદનજ્ઞાનથી એને જણાય એવા છે. (૭) ધર્મી કોનું ધ્યાન કરે છે? ધર્મી જીવને સમ્યગ્દર્શનની પર્યાય પ્રગટી છે છતાં તે પ્રગટેલાનું ધ્યાન કરતો નથી. તો કોનું ધ્યાન કરે છે? એક સમયની પર્યાયની પાછળ બિરાજમાન જે સકળ-નિરાવરણ-અખંડ-એક-પ્રત્યક્ષ-પ્રતિભાસમયઅવિનશ્વર શુદ્ધ પારિણામિક ભાવ લક્ષણનિજ પરમાત્મા દ્રવ્યનું ધ્યાન કરે છે. સમ્યગ્દષ્ટિ ધર્મીનો વિષય શું? ત્રિકાળી શુદ્ધાત્મા તેની વર્તમાનજ્ઞાનની પર્યાયનો વિષય છે કે જે સકળ નિવારણ - એક અખંડ વસ્તુ છે. સમ્યગ્દષ્ટિનું ધ્યેય શું? તેનું ધ્યાનનું ધ્યેય, જ્ઞાનનું શેય, શ્રદ્ધાનું શ્રદ્ધેય એક ત્રિકાળી-શુદ્ધાત્મા જ છે. (૮) દરેક દ્રવ્યની પર્યાય તેના સ્વકાળે પોતાના ષટ્કારકથી સ્વતંત્ર જ પરિણમે છે. આ સૂક્ષ્મવાત છે. જૈનદર્શન વસ્તુ સ્થિતિનું વર્ણન કરે છે. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, તેનો પ્રત્યેક ગુણ સ્વતંત્ર છે અને પ્રત્યેક સમયની પર્યાય પણ સ્વતંત્ર છે. અને બધી જ પર્યાયો ક્રમનિયત છે. Jain Education International ૨ (૯) જ્ઞાનમાં જેમ જેમ સમજણ દ્વારા ભાવભાસન વધતું જાય છે તેમ તેમ જ્ઞાનનું સામર્થ્ય વધતું જાય છે અને એ વધતાં જતાં જ્ઞાન સામર્થ્ય વડે મોહ શિથિલ થાય છે. જ્ઞાન જ્યાં સમ્યક્ષણે પરિણમે છે, ત્યાં મોહનો સમૂહ નાશ પામે છે. માટે જ્ઞાનથી જ આત્માની સિદ્ધિ છે. જ્ઞાન સિવાય બીજું કાંઈ આત્મસિદ્ધિનું સાધન નથી. સુખનો ઉપાય નથી. (૧૦) એક એક ગુણનું પરિણમન સ્વતંત્ર સીધું થતું નથી, પણ અનંત ગુણમય દ્રવ્યનું પરિણમન થતાં ગુણોનું પરિણમન સાથે થાય છે. એક એક ગુણ ઉપર દૃષ્ટિ ઝૂકતાં ગુણ શુદ્ધ પરિણમતો નથી પણ દ્રવ્ય ઉપર દૃષ્ટિ ઝૂકતાં અનંતગુણનું નિર્મળ પરિણમન થાય છે. એમ કહીને ગુણભેદ ઉપરની દૃષ્ટિ છોડીને અનંત ગુણમય દ્રવ્ય ઉપર દૃષ્ટિ કરતાં દ્રવ્ય શુદ્ધરૂપે પરિણમે છે એમ કહ્યું છે. શ્રદ્ધા જ્ઞાનમાં વિભાવરૂપ પરિણમન નથી. જ્ઞાન સ્વ-પર પ્રક઼ાશક સ્વભાવી છે, પણ જે જ્ઞાન સ્વને પ્રકાશે નહિ એકલા પરને પ્રકાશે તે જ્ઞાનનો દોષ છે. અને ચારિત્ર ગુણના પરિણમમાં વિપરીતતા છે. એ વિપરીતતા દોષ છે દોષ સંસારનું મૂળ છે, દુઃખનું કારણ છે. એ ૧૮૨ For Personal & Private Use Only - www.jainelibrary.org
SR No.005528
Book TitleJain Sanatan Vitrag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy