________________
2
(૨)
જૈન સનાતન વીતરાગ દર્શન વીતરાગી પરિણતિની ઉત્પત્તિને ભગવાને અહિંસા કહી છે. “અહિંસા પરમો ધર્મ સચ્ચિદાનંદમય ભગવાન આત્માનો સ્વાદ-અનુભવ લેવામાં આવે ત્યારે ધર્મ થાય છે. આ જ માર્ગ છે આ જ સાધન છે. બહારના ક્રિયાકાંડ કે શુભરાગમય પરિણમન એ ધર્મ નથી. અનુભવ સંબંધી થોડુંક ચિતવન (૧) અનુભવ ચિંતામનિ રતન, અનુભવ છે રસકૂપ....
અનુભવ મારગ મૌખકો, અનુભવ મૌખ સ્વરૂપ. વસ્તુવિચાર ધ્યાવતઃ મન પામે વિશ્રામ;
રસ સ્વાદન સુખ ઉપજે, અનુભવ તાકો નામ. (૩) ઉપજે મોહ - વિકલ્પથી, સમસ્ત આ સંસાર,
અંતર્મુખ અવલોકતા, વિલય થતાં નહિ વાર. (૪) ભગવાન આત્મા પરમાર્થ સ્વરૂપ - આનંદ રસનો-શાંત રસનો-અકષાય
રસનો સમુદ્ર છે. તેમાં અંતર્મગ્ન થતાં શાંત રસનો-આનંદ રસનો આહુલાભકારી સ્વાદ આવે છે આનું નામ જિન-શાસન છે. આત્મ અનુભવની જે દશા છે – તે સમ્યક્રત્ત્વ છે અને તે ધર્મ છે.
તે સંવર - નિર્જરા - મોક્ષ છે. આ જ એક સુખી થવાનો ઉપાય છે. સાર ઃ (૧) મોક્ષ છે – સુખની પર્યાય પ્રગટ થઈ શકે છે.
(૨) સ્વભાવનો સ્વીકાર – તું છો મોક્ષસ્વરૂપ * (૩) તેનો ઉપાય છે. વર્તમાન જ્ઞાનની પર્યાય સ્વભાવનું આલંબન લઈ ત્યાં
- એકાગ્ર થાય તો મોક્ષની પર્યાય પ્રગટ થાય છે. (૬) “વીતરાગતા (૧) વસ્તુ પોતે મોક્ષસ્વરૂપ જ છે. તેનું સામર્થ્ય તેની શક્તિ – તેનું સત્ત્વ સદા
મુક્ત સ્વરૂપ જ છે. (૨) પણ આ તો પર્યાયમાં મુક્તિ થાય છે, અનુભવાય છે. (૩) જેણે આત્માને અબદ્ધસ્પષ્ટ જાણ્યો તેણે જૈન શાસન જાણ્યું છે. (૪) ભગવાન આત્માને રાગ અને કર્મના બંધરહિત જાણનારી જે
શુદ્ધોપયોગની પરિણતિ છે તે જૈન શાસન છે. અશુદ્ધોપયોગ (શુભાશુભભાવરૂપ)-રાગની પરિણતિ કાંઈ જૈન શાસન નથી.
- 10
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org