SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) ભેદજ્ઞાનઃ નિર્વિકલ્પ દશા પ્રગટ કરવાની કળા: (૧) ભેદજ્ઞાનની ધારા પ્રગટ કરવી કે જે ભેદજ્ઞાનની પાછળ વિકલ્પ તૂટીને નિર્વિકલ્પદશાની પ્રાપ્તિ થાય તે પુરુષાર્થ તો પોતાને જ કરવાનો છે. (૨) તે ભેદજ્ઞાન માત્ર ધારણા પૂરતું નહી, પણ અંતરમાંથી ભેદજ્ઞાનની ધારા પ્રગટ થાય. આ સવિકલ્પ ભદેજ્ઞાનની ધારાની વાત છે. આ શરીરાદિ અને વિભાવ પર્યાય તે હું નથી; હું તો ચૈતન્ય જ્ઞાયક છું, દરેક શુભાશુભ ભાવોની અંદર હું જૂદો જ છું. એવી જાતની અંદર સહજ ધારા પ્રગટ થાય, તે કરવાનું જીવના પોતાના હાથમાં છે. આવી સહજ ભેદજ્ઞાનની ધારા પ્રગટ કરે તો તેની પાછળ નિર્વિકલ્પ દશા આવે છે. (૪) ભેદજ્ઞાનની ધારાની ઉગ્રતા થતાં, જ્ઞાતાધારાની ઉગ્રતા થવાથી તે ઉપયોગની તીણતા થવાથી વિકલ્પ તુટીને નિર્વિકલ્પ દશા પ્રગટ થાય છે. આ જ્ઞાતાધારાની ઉગ્રતાને સહજપણે કરવામાં તેને પ્રયત્ન જોઈએ છે. અનાદિનો અભ્યાસ છે એટલે તેને વારંવાર એકતાબુધ્ધિ થઈ જાય છે. તે એકતાબુધ્ધિમાંથી છૂટા પડવા પ્રથમ વિકલ્પરૂપે આ જુદો...આ જુદો..” તેમ કર્યા કરે તો તે પાછળથી અભ્યાસરૂપે થાય છે. આમ અભ્યાસ થતાં જો સહજ ધારા પ્રગટ થાય તો તેની પાછળ નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ થાય છે. જીવે દ્રવ્યપર દ્રષ્ટી કરી જ્ઞાતાધારાની કરવી કે, હું જ્ઞાયક છું. જ્ઞાયક છું... જ્ઞાયક છું. જે જે વિકલ્પ આવે તે કાળે પણ હું જ્ઞાયક છું, એમ પોતાના અસ્તિત્વને ગ્રહણ કરે તો સહજરૂપે તેને ભેદજ્ઞાન થાય. નિર્વિકલ્પ દશા પ્રાપ્ત કરવાનો આ એક જ માર્ગ છે. ભેદજ્ઞાનની ધારાની ઉગ્રતા થતાં જ્ઞાતાધારાની ઉગ્રતા થવાથી નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ થાય છે. કોઇને સહજ ધારા થઈને અંતમુહૂર્તમાં નિર્વિકલ્પ દશા થઈ જાય છે. પોતે સ્વભાવથી સ્ફટિક જેવો નિર્મળ ચૈતન્ય છે. તેને ક્યાંય ગોતવા જવો પડતો નથી. સહજ પોતે જ છે. પોતાના અસ્તિત્વને ગ્રહણ કરી પરની એકત્વબુધ્ધિમાં જે પરિણતિ જાય છે તેને તોડી આ બધું જુદું જ છે તેમ નકકી કરે તો તેનાથી જુદો પડે. વિભાવની ધારા ઊભી છે પણ તે જુદી અને હું જુદો' એવી જે ધારા પ્રગટ થાય તેની પાછળ નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ થાય છે. (૯) ભેદજ્ઞાનની ધારા દ્વારા સ્વાનુભૂતિ થાય છે. વારંવાર ભેદજ્ઞાનની તીક્ષ્ણતા કરવાથી સ્વાનુભૂતિ થાય છે. (૧૦) પહેલાં જ્ઞાન કરે પછી સારું ધ્યાન હોય. પહેલા જ્ઞાયકતા ઓળખાય, યથાર્થ નિર્ણય (૮) ) Jain Education International For Persola & Private Use Only www.jainelibrary.org
SR No.005527
Book TitleSamyag Darshan Amulya Tattva Chintan Sankshipta
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages94
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy