SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) પર્યાય સ્વભાવથી જોતાં, પર્યાયમાં જે અશુધ્ધતા છે તે આત્માની જ છે, અત્મિા જ અશુધ્ધ પર્યાય પણે પરીણમ્યો છે. (૫) “જે ભાવમાં પ્રણમે દરવ તે કાળ તન્મય તે કહ્યું; જીવદ્રવ્ય તેથી ધર્મમાં પ્રણયેલ ધર્મ જ જાણવું.” (પ્રવચન સાર-ગાથા ૮) (૬) “સાહનમતદેવ નિયમાનૂ આભાર તાવાન” (સમય સાર કળશ-૬) (૭) જે પર્યાયમાં વિકાર થયો તે પર્યાય પોતે જ તેના સ્વભાવવાળી છે, તે વિકાર (૧) નથી તો દ્રવ્ય સ્વભાવમાંથી આવ્યો. (૨) પહેલા તે પયય દ્રવ્યમાંથી શુધ્ધ પ્રગટીને પછી અશુધ્ધ થઈ એમ પણ નથી. (૩) નિમિત્તે પણ તે અશુધ્ધતા કરાવી નથી, તેમજ (૪) જડમાં પણ તે અશુધ્ધતા થઈ નથી. તે અશુધ્ધતા આત્માની પર્યાયમાં થઈ છે અને તેનું કારણ પણ તે પર્યાય સ્વભાવ જ અશુધ્ધતાને પર્યાય સ્વભાવ' કહ્યો તેથી ભડકવું નહિ. કેમ કે પર્યાય સ્વભાવ એક જ સમય પૂરતો હોય છે, એટલે કે જે પર્યાયમાં વિકાર છે તે પર્યાયના સમય પૂરતો જ છે, તે વિકાર કાંઈ દ્રવ્ય સ્વભાવને વિકારી કરી નાખતો નથી. (૯) જો આમ બે પ્રકારના સ્વભાવ (દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવ) ને સમજે તો, પર્યાયમાં વિકાર હોવા છતાં પણ શુધ્ધ દ્રવ્યની પ્રતીત રહ્યા કરે અને શુધ્ધ દ્રવ્યની પ્રતીતના જેરે પર્યાય સ્વભાવ પણ નિર્મળ-નિર્મળ જ થતો જાય. (૧૦) હવે, જે શુધ્ધ પર્યાય થઈ તે પણ પર્યાય સ્વભાવ છે. તત્કાળે આત્મા પોતાના પર્યાય સ્વભાવથી તે સમ્યકત્વાદિ રૂપ થયો છે. તે સ્વભાવ રૂપ પરિણમન છે. સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રાદિની નિર્મળ પર્યાય થઈ તે પણ પર્યાય સ્વભાવ છે. (૧૧) આમ પર્યાય રૂપે થનાર જે આત્મા, તેના આખા સ્વભાવને (દ્રવ્ય-પર્યાય બંનેના સ્વરૂપને) નક્કી કરનાર જીવ પોતાના શુધ્ધ દ્રવ્ય-ગુણને અનુસરતો થકો. શુધ્ધ પર્યાય રૂપે જ પરિણમ્યા કરે છે. આ રીતે શુધ્ધ સ્વભાવના સ્વીકારપૂર્વક સ્વભાવ સન્મુખતાથી પર્યાયનો પ્રવાહ શુધ્ધ થવા માંડ્યો. એ અનેકાંત છે, એ જ જૈન સિધ્ધાંતનો સાર છે. (૧૨) પર્યાયમાં જેને એકલું અશુધ્ધ પરીણમન છે તેણે પોતાના શુધ્ધ-દ્રવ્ય-ગુણ સ્વરૂપને જાયું નથી, એટલે અનેકાંત સ્વરૂપને જાણ્યું નથી તે એકાન્તવાદી છે. એકાન્તવાદી એટલે મિથ્યાત્વી તેને શુધ્ધતા ક્યાંથી હોય?, For Personazo'rivate Use Only Jain Education International www.ainelibres or
SR No.005527
Book TitleSamyag Darshan Amulya Tattva Chintan Sankshipta
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages94
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy