SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫ પરિણમન થવું પ્રત્યેક દ્રવ્યનો સ્વભાવ છે. તો પછી પોતાના પરિણમનમાં પરદ્રવ્યની અપેક્ષાકેમહોય? કારણકે સ્વભાવ નિરપેક્ષ છે. જે પરની આશા રાખે તેને સ્વભાવ કેમ માની શકાય? નિમિત્ત નૈમિત્તિક સંબંધ અને કતકર્મ સંબંધમાં અંતર • પ્રત્યેક દ્રવ્યનો પોતાની પર્યાયોની સાથે સંબંધ એ ર્તા-કર્મ સંબંધ છે. એક દ્રવ્યનો બીજા દ્રવ્યની સાથે સંબંધ એ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. • કર્તા-કર્મ સંબંધ વ્યાપ્ય-વ્યાપમાં જ થાય છે. યથા પર્યાય દ્રવ્યમાં વ્યાપ્ત થાય છે, દ્રવ્ય-પર્યાય માં વ્યાપક થાય છે, એટલે એમનો સંબંધ કર્તા-કર્મ નો સંબંધ છે. પરંતુ જેનો આપસમાં વ્યાપ્ય-વ્યાપક નથી હોતું એના સંબંધને નિમિત્તનૈમિત્તિક કહેવામાં આવે છે. જેવી રીતે જીવનો પુગલની સાથે, ધર્મ, અધર્મ આદિ દ્રવ્યો ના સંબંધને નિમિત્ત-નૈમિત્તિક કહેવામાં આવે છે. જીવ પરિણામને નિમિત્ત કરીને પુગલ કર્મરૂપે પરિણમિત થાય છે અને પુદ્ગલકર્મને નિમિત્ત કરીને જીવ પણ પરિણમિત થાય છે. આ પ્રકારે જીવના પરિણામનો અને પુદ્ગલના પરિણામનો પરસ્પર હેતુત્ત્વનો ઉલ્લેખ હોવા છતાં પણ જીવ અને પુદ્ગલમાં પરસ્પર વ્યાપ્ય-વ્યાપક ભાવના અભાવને લીધે જીવનો પુગલ પરિણામો સાથે અને પુદ્ગલકર્મોનો જીવના પરિણામ સાથે કર્તા-કર્મપણાની અસિદ્ધિ હોવાથી માત્રનિમિત્ત-નેમિત્તિક ભાવનો નિષેધ ન હોવાથી, પરસ્પર નિમિત્ત માત્ર હોવાથી જ બંન્નેના પરિણામ થાય છે. એ માટે જેવી રીતે માટી દ્વારા ઘડો બનાવવામાં આવે છે, એમ પોતાના ભાવથી પોતાનો ભાવ કરવામાં આવે છે. એ માટે જીવ પોતાના ભાવનકર્તાકદાચીત થાય છે પરંતુ જેવી રીતે માટીમાંથી કપડું નથી બનતું એ જ પ્રકારે પોતાના ભાવથી પરભાવનું થવું અશક્ય છે. એટલા માટે જીવ પુદ્ગલ ભાવોનો કર્તા તો કદાપી નથી થઈ શકતો, આ નિશ્ચય છે. વ્યાપ્ય-વ્યાપકતા તસ્વરૂપમાં જ થાય છે, અતસ્વરૂપમાં નથી થતું અને વ્યાપ્ય-વ્યાપક ભાવના સંભવ વિના કર્તા-કર્મની સ્થિતિ કેમ? અર્થાત્ કર્તા-કર્મ ની સ્થિતિ નથી જ થતી. જે પરિણમિત થાય છે તે કર્તા છે, જે પરિણામ છે તે કર્મ અને જે પરિણમિત છે તે ક્રિયા છે. આ ત્રણે વસ્તુરૂપથી ભિન્ન નથી. • ઉપરોક્ત આગમ વાક્યોથી ર્તા-કર્મ સંબંધ અને નિમિત્ત-નેમિત્તિક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy