SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ સંબંધની આ સહજતા આવી રીતે જ છે. જો કર્મ સ્વયંકર્તા થઈને ઉદ્યમથી જીવના સ્વભાવનો ઘાતકરે, બાહ્ય સામગ્રી ને મેળવે ત્યારે કર્મનું ચેતનપણું અને બળપણું પણ જોઈએ ને? તે તો છે નહિ-સહજ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. જ્યારે એ કર્મનો ઉદયકાળ હોય છે એ સમયે સ્વયં આત્મા જ સ્વભાવરૂપ પરિણમનન કરતાં વિભાવરૂપ પરિણમન કરે છે અને જે અન્ય દ્રવ્ય (કર્મ) છે તે એ જ રીતે સંબંધરૂપ થઈને પરિણમન થાય છે. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ એક સહજ સંબંધ છે. એને ક્ન-કર્મ સંબંધમાં પ્રસ્તુત કરવો યોગ્ય નથી. દરેક દ્રવ્ય સ્વયં જ પોતાની અનંત શક્તિરૂ૫સમ્પદાથી પરિપૂર્ણ છે. એટલા માટે સ્વયં જ ષટકારરૂપ થઈને પોતાનું કાર્ય કરવા સમર્થ છે. એને પોતાના કાર્ય કરવા માટે બહારની સામગ્રીની અપેક્ષા નથી. તેમજ તે સામગ્રી કોઈ મદદ કરી શકતી નથી. સ્વભાવના ભાવોમાં તો પરનું કર્તુત્વ છે જ નહિ પરંતુ વિભાવભાવોમાં પણ પરના કર્તુત્વનો નિષેધ કરવામાં આવ્યો છે. ભગવાન આત્માની પોતાની સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપનિર્મળ પર્યાયો તેમજ રાગાદિ વિકારી પર્યાયોનો પોતપોતાની સ્વસમયની યોગ્યતા અનુસાર સ્વયં જ પરિણમન થાય છે. એમાં પર નિમિત્તનો કોઈ હસ્તક્ષેપ નથી. હા, એ અવશ્ય છે કે જયારે સમ્યગ્દર્શનાદિ નિર્મળ પર્યાયો અથવા રાગાદિ વિકારી પર્યાયોના રૂપમાં પોતાની સ્વભાવગત અને પર્યાયગત યોગ્યતાને અનુસાર પરિણમન થાય છે ત્યારે તેને અનુકૂળ નિમિત્ત પણ હોય છે. નિમિત્તની અનિવાર્ય ઉપસ્થિતિ માત્રથીતેને ક્તનમાની શકાય. નિમિત્તને કર્તા માનવાથી-પર દ્રવ્યને બીજા દ્રવ્યનો કર્તા માનવાથી-દ્રવ્યની સ્વતંત્ર સત્તાનો નાશ થાય છે, તે ઘાત પામે છે. એટલા માટે પ્રત્યેકદ્રવ્યમાં તેના પોતાના સ્વભાવાદિને કારણ સ્વરૂપ એવી વ્યવસ્યતા હોવી જોઈએ જેના કારણથી પ્રત્યેક સમયનું ઉત્પાદ-વ્યયસ્વયં થાય છે. પ્રતિ સમયના પ્રત્યેક કાર્યનું નિશ્ચય ઉપાદાન સુનિશ્ચિત જ છે. આ સુનિશ્ચિત વ્યવસ્થતાનું પોતાની ઈન્દ્રિયો, પ્રત્યક્ષજ્ઞાન, તર્ક અને અનુભવના "વથી પરિણમનશીલ છે. જયારે નિત્ય રહીને નિરંતર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy