SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ ૨ દ્રવ્ય જ સિદ્ધ નહિ થાય અને વિશ્વનું અસ્તિત્ત્વ જ સમાપ્ત થઈ જશે. એટલે ઉપર્યુક્ત સત્યનો સ્વીકાર કરવો એ જ જ્ઞાનની સત્યતા છે. પ્રત્યક્ષરૂપથી આપણા અનુભવમાં પણ આવે છે કે જયારે કોઈ અન્ય વ્યક્તિ ને મારા પ્રત્યે દ્વેષનો ભાવ થાય છે ત્યારે તે જીવે તે સમયે ક્રોધ ભાવનો ઉત્પાદ ર્યો, તે જ સમયે તે જ વ્યકિતની ભાષારૂપી પુગલ વર્ગણાઓ ગાળના રૂપમાં ઉત્પન્ન થઈ, તે જ સમયે એ ભાષારૂપીવર્ગણાઓનોમારીકર્સેન્દ્રિયોની સાથે સંપર્ક થયો, એ જ સમયે મારી જ્ઞાનની એ સમયની પર્યાયે એ બધાને જાણ્યું, એ જ સમયે મારી માન્યતામાં અર્થાત્ શ્રદ્ધાળુણે એ વાણીરૂપી પુદ્ગલોમાં પોતાપણુંની માન્યતા અર્થાત આગાળમને આપવામાં આવી છે એવું માની લીધું, એના ફળસ્વરૂપચારિત્રગુણપણવિકૃત થઈનેક્રોધક્ષાયનો ઉત્પાદ થઈ ગયો. આ પ્રસંગની ગંભીરતાથી વિચાર કરવામા આવે તો સ્પષ્ટ થાય છે કે કાર્ય તો માત્ર એક જ થયું છે. જેવી રીતે ક્રોધ કરવાવાળી વ્યક્તિ એક્રોધનો ઉત્પાઇ ક્ય, એ તો જીવની ઉત્પાદની થયેલ પર્યાય છે, એ જ સમયે વાણીરૂપ પુલવર્ગણાઓનુંગાળરૂપ પરિણમનનો ઉત્પાદકરે છે, એ જ સમયે મારા કર્ણથી સંબંધીત પુરાણોનો ઉત્પાદ થયો, એ જ સમયે મારા જ્ઞાનગુણની તકાહારી થવું મારો ઉત્પાદ છે, એ જ સમયે મારા શ્રદ્ધા ગુણનો વિપરીત પરિણમન પણ મારો ઉત્પાદ છે તથા ચારિત્રની વિપરીતતા રૂપ ક્રોધનું ઉત્પન્ન થવું એ પણ મારું જ ઉત્પાદ છે. આ બાબત પર વિચાર કરીએ તો સમય એક કાર્ય અનેક તથા તેના સ્વામી પણ અલગ અલગ અને અનેક, છતાં પણ આપસમાં કોઈને કોઈ પ્રકારનો સંબંધ પણ બની રહે છે, આ પ્રત્યક્ષ અનુભવમાં પણ આવે છે. આવા સંબંધને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ કહે છે. આ રીતે પ્રત્યેક દ્રવ્ય, પ્રત્યેક સમયે પોતાને કાયમ રાખીને નિરંતર પોતાની પર્યાયોમાં ઉત્પાદ-વ્યય કરતો જ રહે છે, કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યના ઉત્પાદ વ્યયમાં નથી સાધક થતો કે નથી બાધક થતો. છતાં પણ પ્રત્યેક સમયે, પ્રત્યેક સમયના કાર્યમાં એકબીજાની પર્યાયનું આપસમાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બનતો જ રહે છે. આ સ્વાભાવિક વિશ્વ વ્યવસ્થતા છે. આ વ્યવસ્થતા કોઈથી રોકી રોકાઈ શકે એમ નથી, બદલાવી નથી શકાતી, ઘટ-વધ કરી નથી શકાતી, પરંતુ સતત ચાલતી જ રહે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy