SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ . નિમિત્ત-નૈમિતિક સંબંધ વિશ્વમાં માત્ર એક જ દ્રવ્યતોનથી, દ્રવ્યો જાતિ અપેક્ષા પ્રકારના છે તથા સંખ્યા અપેક્ષા અનંત-અનંત છે. તે બધા જ પોત-પોતાની પર્યાયરૂપ પરિણમે છે. આપણા જ્ઞાનમાં પણ આસ્પષ્ટપ્રતિભાસિત થાય છે કે જીવમાત્ર એક જદ્રવ્ય નથી, એના જ્ઞાનમાં અન્યદ્રવ્યોનું અસ્તિત્ત્વ પણ જ્ઞાન થાય છે. એટલે વિશ્વમાં જીવથી અલગ પણ અન્ય દ્રવ્યનું અસ્તિત્ત્વ તો નિશ્ચિત સિદ્ધ થાય છે. એટલે જીવના પરિણામના સમયે, અન્ય બીજા દ્રવ્યો ના પણ પરિણમન થાય છે. એટલે એ બધાની સાથે બધાનો કોઈને કાંઈ, કોઈપણ પ્રકારનો સંબંધ તો હોવો જોઈએ. જીવના જ્ઞાનમાં અચશેયોનું અસ્તિત્ત્વ પણ જ્ઞાત તો થાય છે એટલે આત્મા જાણવાવાળો અને એ બધા પદાર્થ જ્ઞાનના ય એટલો સંબંધ તો સિદ્ધ થાય જ છે. એટલે એ શેય – જ્ઞાનના નિમિત્ત કહેવામાં આવે છે. આવા સંબંધનેમિતિક સંબંધ છે. આ વાતને આચાર્ય અમૃતચંદ્ર સમયસાર ગાથા ૩ ની ટીકામાં નીચે પ્રમાણે સ્પષ્ટ ક્યું છે. પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલ પોતાના અનંત ધર્મોના ચક્રને (સમુહને) ચુંબે છે– સ્પર્શે છે તો પણ જેઓ પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી, પરરૂપે નહિ પરિણમવાને લીધે અનંત વ્યકિતતા નાશપામતી નથી માટે જેઓ/કોસ્કીર્ણ જેવા (શાશ્વત) સ્થિત રહે છે અને સમસ્ત વિરૂદ્ધ કાર્ય તથા અવિરૂદ્ધ કાર્યના હેતુપણાથી જેઓ હંમેશાં વિશ્વને ઉપકાર કરે છે-ટકાવી રાખે છે. ઉપરોક્ત આગમ પ્રમાણમાં પ્રત્યેક દ્રવ્યનો આપસમાં શું સંબંધ છે એ વાતને બહુ જ દૃઢતાપૂર્વક સ્પષ્ટરૂપથી સિદ્ધ કર્યું છે. અર્થાત્ પ્રત્યેક દ્રવ્ય પોતાની સ્વતંત્ર વસ્તુ વ્યવસ્થતાને પોતાનામાં બનાવી રાખીને પણ અન્ય દ્રવ્યોની સાથે માત્ર નિમિત્ત-નૈમિત્તિક સંબંધ રાખે જ છે. આવી વિશ્વની વ્યવસ્થતા છે. એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આદ્રવ્યોનો એકબીજા સાથે કોઈપણ કર્તા-કર્મ સંબંધ નથી. આવી વિશ્વની વ્યવસ્થાનો જો સ્વીકાર નહિ કરવામાં આવે તો છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy