SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ – છ દ્રવ્યોની વચ્ચે આપસમાં શું અને કેવો સંબંધ ? • જે જીવનાશ્રદ્ધાનમાં એ આવીગયું કે વિશ્વની પ્રત્યેક વસ્તુઓ પોત-પોતાની પર્યાયમાં જ પરિણમન કરી શકે છે અન્ય પર્યાયમાં કાંઈપણ કરી શકતી નથી, કારણકે પ્રત્યેક દ્રવ્યનું પરિણમન તો પોત- પોતાના જ ક્ષેત્ર અથવા પ્રદેશોમાંકરરો, અન્યના પ્રદેશોમાં પહોચરો જ નહિ તથા સ્પર્શ પણ નહિ કરે તો કેવી રીતે બીજા દ્રવ્યની પર્યાયમાં ફેરફાર કરી શકે? જે સમયે એમ માનવામા આવેકે પરની પર્યાયમાં ફેરફારકરવા જાય તો શું એ સમયે એ દ્રવ્ય પોતાની પર્યાયનું ઉત્પાદ બંધકરીઢેરો અથવા એકજ સમયમાં એ પર્યાય ઉત્પન્ન કરવા લાગરો? એ બાબત જિન વાણીમાં નીચે પ્રમાણે સિદ્ધાંત છે. • જે પરિણમિત થાય છે તે ર્તા છે, જે પરિણામ છે તે કર્મ છે અને જે પરિણતિ છે તે ક્રિયા છે, આ ત્રણ વસ્તુ રૂપમાં અભિન્ન છે. ♦ વસ્તુ એક જ સદા પરિણમિત થાય છે, એજ સઠા પરિણામ થાય છે. ( અર્થાત્ એક અવસ્થામાં અન્ય અવસ્થા એક જ થાય છે.) અને એકની જ પરિણતિ ક્રિયા થાય છે, કારણ તે અનેકરૂપ હોવા છતાં પણ વસ્તુ એક જ છે, ભેઠ નથી. બે દ્રવ્ય એક થઈને પરિણમિત નથી થતાં, એ દ્રવ્યોનાં એક પરિણામ નથી થતાં અને બે દ્રવ્યોની એક પરિણતિ ક્રિયા નથી થતી કારણ કે અનેક દ્રવ્ય છે તે સદા અનેક જ છે તે બદલીને એક નથી થઈ જતાં. એક દ્રવ્યના બે કર્તા નથી હોતા અને એક દ્રવ્યના બે કર્મ નયી હોતાં, એક દ્રવ્યની બે ક્રિયાઓ નથી હોતી કારણ કે એક દ્રવ્ય અનેકરૂપ નથી થતું. ♦ જિન આગમના ઉપરોકત ક્થનથી એ સ્પષ્ટ થાય છે કે પ્રત્યેક દ્રવ્ય પોતપોતાનામાં રહીને જ માત્ર પોતાની સ્વયંની જ પર્યાય ને જ કરી શકે છે અન્ય બીજા કોઈ દ્રવ્યમાં કાંઈપણ કિંચિત માત્ર પણ નથી કરી શકતું. આ સિદ્ધાંત જેની સમજમાં આવી શ્રદ્ધામાં નિઃરાંકતા ઉત્પન્ન થઈ જાય કે કોઈપણ દ્રવ્ય બીજા કોઈપણ દ્રવ્ય માં કાંઈપણ ફેરફાર કરવામાં સામર્થ્ય નથી રાખતું તો હું પણ એક જીવ દ્રવ્ય છું અને દ્રવ્ય માત્રની જે સામર્થ્યતા છે તે જ સામર્થ્ય મારું થઈ શકે છે. આનું પ્રમાણ સાક્ષાત્ અરિહંત ભગવાનનો આત્મા છે. આ જ વસ્તુ વ્યવસ્થતા અને વિશ્વ વ્યવસ્થતા છે. તેનો નિઃશંક થઈ સ્વીકાર કરી દ્દઢ નિશ્ચયની સાથે શ્રદ્ધામાં બેસાડવું જોઈએ. જ For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy