SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ વિશ્વ વ્યવસ્થતામાં પાંચ અચેતન દ્રવ્યોની વ્યવસ્થતા આ વિશ્વની પ્રત્યેક વસ્તુ એટલે દ્રવ્ય પ્રત્યેક સમય સ્વતંત્રતાથી પોતપોતાના ગુણ-પર્યાયોમાં પરિણમન કરતા જ રહે છે. પરનાં ગુણ પર્યાયોમાં પરિણમન કરવાનું અશક્ય હોવાથી કોઈ દ્રવ્ય પરમાં કાંઈ પણ કરતું નથી. આ બધા જ દ્રવ્ય જે સંખ્યામાં અનંતાનંત છે- તે બધા દ્રવ્ય પ્રત્યેક સમય પોતપોતાની પર્યાયમાં પરિણમન કરતા જ રહેવાથી તેઓ બીજા દ્રવ્ય કેમ પરિણમન કરી રહયા છે તેની અપેક્ષા પણ નથી રાખતા. છતાંપણ બધાનું પરિણમન એકી સાથે થઈ રહ્યું છે. તેનાથી પોતાનું પરિણમન અને બીજા અદ્રવ્યના પરિણમન સહજરૂપથી તેને અનુકૂળદેખાવા લાગે છે અને એ દ્રવ્યનું એ જ પરિણામ બીજા કોઈને પ્રતિકુળ લાગે છે. જયારે એ અનુકૂળ પ્રતિકૂળદેખાવાવાળા દ્રવ્યના પરિણમનને ખબર જ નથી કે એનું પરિણામન કોઈને અનુકૂળ તો કોઈને પ્રતિકૂળ લાગે છે. આ પ્રમાણે સમસ્તદ્રવ્યોના પરિણમન અર્થાત્પર્યાયોકોઈના માટે અનુકૂળતા અથવા પ્રતિકૂળતા ઉત્પન્નર્યા વગર જ પોતપોતાના ક્રમ અનુસાર અનાદી અનંતકાળ સુધી નિબંધ ગતિથી પરિણમન કરતી જ રહે છે. આ આગમ સમ્મત વિશ્વની વ્યવસ્થા છે. આનાથી જુદી કોઈ પણ વ્યવસ્થતા- કોઈપણ દ્રવ્યના પરિણમનમાં બીજા દ્રવ્યના પરિણમનને અનુકૂળ અથવા પ્રતિકૂળ બનવાના અધિકારને જો સ્વીકારવામા આવેતો અનંતદ્રવ્યોમાં આપસમાં ટકરાવવાની સ્થિતિ ઉત્પન્ન થઈ જવાથી, વિશ્વની વ્યવસ્થતા જનહિ રહી શકે. એટલે એ જ ધ્રુવ સત્ય છે કે બધાજદ્રવ્યપોત-પોતાની જ પર્યાયોને કરતા રહે છે. કોઈ બીજા દ્રવ્યમાં કોઈપણ પ્રકારનો કોઈપણ સમયે, કાંઈપણ હસ્તક્ષેપ કરી જ નથી રાતો. આ જ આગમ સમ્મત વિશ્વવ્યવસ્થતા છે. બીજી રીતે વિચારીએ તો આ છ દ્રવ્યોમાથી પાંચદ્રવ્યતો અચેતન છે, તેમાં જ્ઞાનનો અંશ પણનથી, એટલે તેઓ જાણતા પણ નથી કે બીજાનું શું થઈ રહ્યું છે. તો આ સંજોગોમાતેઓ એકબીજાને કેમ અનુકૂળકે પ્રતિકૂળ થઈ શકે? તેથી આ પાંચ દ્રવ્ય અચેતન હોવાથી અનુકૂળતા-પ્રતિકૂળતા કરવામાં અસમર્થ જ છે. આના પરથી નિષ્કર્ષ તો એ જ નીકળે છે કે કોઈપણ કોઈના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy