SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૭ આત્મદ્રવ્યના સમસ્ત સામર્થ્યને સિદ્ધ કરી રહ્યો છે. ૩. અરિહંતના આત્માના સામર્થ્યને વિશ્વાસમાં લાવીને અગર આપણે પણ આપણા આત્મદ્રવ્યના સામર્થ્ય પર વિચાર કરીશું તો આપણો આત્મા પણ તેના જેવો જ સામર્થ્યવાન, વૈભવશાળી છે. આવું વિશ્વાસમાં, શ્રદ્ધામાં આવવા યોગ્ય છે. ૪. આવી શ્રદ્ધા જાગૃત થતાં જ આપણો ઉપયોગ પરલક્ષ્ય છોડીને સ્વલક્ષ કરશે તો આત્મ દર્શન થયા વગર રહે નહિ. ૫. તે જ સમયે જે મારો આત્મા પરલક્ષી રહેવાથી રાગી-દ્વેષી બની ગયેલો દેખાતો હતો એના બદલે જેવું પૂર્ણ શક્તિમાન, સર્વજ્ઞ સ્વભાવી, વીતરાગ સ્વભાવી, આનંદ સ્વભાવી આદિ અનંત ગુણ સ્વભાવી અરિહંત જેવો આપણા જ્ઞાન-શ્રદ્ધાનમાં એવો જ પ્રત્યક્ષ અનુભવમાં આવી જશે. આ જ આત્માનુભવ કરવાની એક જ પદ્ધતિ છે. ૬. જગતના પ્રત્યેક સત્ નો સ્વભાવ ઉત્પાદ-વ્યય-ધ્રોવ્યયુકત સત્ છે. એટલે મારા આત્મામાં પણ બંન્ને પક્ષતો હંમેશા અને સર્વત્ર રહેશે જ. એ બંન્ને પક્ષોને દ્રવ્યમાંથી હટાવી શકાય નહિ. બીજાં આપણા અજ્ઞાનીનાક્ષયોપશમ જ્ઞાનની સામર્થ્ય એટલી નથી કે બેઉ પક્ષને એકી સાથે વિષય બનાવી જાણી શકીએ. પરંતુ બે માંથી એકને મુખ્ય કરી બીજાને ગૌણ કરવો પડશે. જ્યારે સ્થાયી ભાવ, પલટાતા નહિ એવા ભાવ અર્થાત ધ્રુવ પક્ષને આપણા જ્ઞાનનો વિષય બનાવશું ત્યારે એ પક્ષે મુખ્ય થઈ અસ્થાયી પક્ષ ગૌણ થઈ જશે- અર્થાત્ એનું જ્ઞાન હોવા છતાં પ્રતિભાસીત નહિ થાય, માત્ર મુખ્યનું જ જ્ઞાન પ્રતિભાસિત થશે. ૭. હવે જ્યારે જ્ઞાનની પર્યાય એ ધ્રુવાંશને પોતાનો વિષય બનાવી પોતાના એ શાયકને અરિહંત જેવો જ માનશે અને એ જ્ઞાનની પર્યાય જે પરિણામી છે એ અપરિણામી બની પરિણમી જશે એટલે એમ કહેશે હું તો જ્ઞાયક જ છું તે સમયે આત્મજ્ઞાન થઈ જશે. આજ આત્માને જાણવાની અલોકિક પદ્ધતિ છે અને આત્મદર્શન થશે જ! ૦ ૧ ૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy