SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ વિપરીતતા થતી નથી કારણકે તેઓ પોતાના અને પરના અસ્તિત્ત્વને જાણતા નથી પરંતુ આત્મ દ્રવ્ય જ એવો છે જે સ્વ-પરનો જ્ઞાયક હોવાથી પોતાના જાણવામાં ભૂલ કરી શકે છે. ૪. આત્માનો ઉપયોગ જ્યારે સ્વમાં જઈને વિશ્રામ પામે છે ત્યારે આત્મામાં અંદર રહેવાવાળા અનંત ગુણોનો રસાસ્વાદ કરવાથી એવો તૃપ્ત થઈ જાય છે કે સ્વતત્ત્વને છોડીને બહારની તરફ સન્મુખ જ નથી થતો, આદશાનું નામ જ અરિહંત દશા છે. ૫. પરંતુ અનાદિકાળથી આ આત્મા અજ્ઞાન દશામાં જગતના અનેક જોયોમાં પોતાના ઉપયોગનો પરિવર્તન કરતો થક, તેમાં તન્મય થઈ રાગદ્વેષની ઉત્પતિર્યા વગર રહેતો નથી. એના ફળસ્વરૂપે અનંત સંસારનું પરિભ્રમણ કરી રહ્યો છે. ૬. આપણે પણ અરિહંત ભગવાનની જેમ આપણા જ્ઞાનનો વિષય માત્ર સ્વય તત્ત્વને સ્વનારૂપમાં બનાવી લઈએતો આપણે પણ તન્મયતાપૂર્વક સ્વાભાવિક પરિણમન કરતાં આપણી અરિહંત દશા પ્રગટ કરી શકીએ છીએ. ૭. આ એક સ્વાભાવિક સ્થિતિ છે કે જેમ જગતનો પ્રત્યેક દ્રવ્ય પોત પોતાના ગુણ-પર્યાયોમાં પરિપૂર્ણ છે, અધૂરા અથવા વિપરીત થવું એવો કોઈનો પણ સ્વભાવ નથી. આ રીતે આત્મા પણ એક એવો દ્રવ્ય છે. પોતાના અમૂર્તિક, ચૈતન્યજ્ઞાયક અને સુખનો વેઠન કરવાવાળો અનંત ગુણોનો ધારક હોવાથી એની પરાકાષ્ઠાને જ ધારણ કરવાવાળો છે. સ્વભાવ કોઈના દ્વારા લૂંટી લેવામાં આવતો નથી. જેનો પ્રત્યક્ષ પ્રમાણ ભગવાન અરિહંતનો આત્મા છે. આત્માનું પૂર્ણ સામર્થ્ય અને આત્મ સ્વભાવ બતાવવાને માટે અરિહંતના જ આત્મા આદરની સમાન પ્રત્યક્ષ છે. જ્ઞાનની પૂર્ણતા, રાગદ્વેષનો અભાવ, પરમસુખ જે આપણને જોઈએ છે તેની પૂર્ણતાની મૂર્તિ અરિહંત ભગવાન છે. આ માટે એનો-આત્માનો યથાર્થ નિર્ણય કરી યથાર્થ શ્રદ્ધા પ્રગટ કરી-નિજ આત્માને અરિહંતની જેમ પ્રાપ્ત કરી શકાય છે. આત્માને જાણવાની પદ્ધતિ ૧. આપણે ભગવાન અરિહંતના આત્માને એનાદ્રવ્ય, ગુણ, પર્યાયોના માધ્યમથી ' સમજીને આપણા આત્માને સમજવાનો પ્રયત્ન કરીએ. ૨. ભગવાન અરિહંતના આત્મ-દ્રવ્યમાં જેટલી પણ શક્તિઓ હતી એ બધી પૂર્ણ વિકાસરૂપ થઈને, એ દ્રવ્ય સ્વયં એ રૂ૫ પ્રકાશિત થઈ રહ્યો છે અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy