SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ ૩. ૬. સોનાની સાથે કેવું પણ મિશ્રણ કરવામાં આવે તો પણ શુદ્ધ સોનાના ગુણોના જ્ઞાનના માધ્યમથી દૃષ્ટિ સ્પષ્ટ રૂપથી સુવર્ણને ઓળખી લે છે અને સુવર્ણ નું મૂલ્યાંકન કરી લે છે કે તેમાં કેટલું સોનું છે. ૭. એની દષ્ટિ માં તો માત્ર સુવર્ણનું જ અસ્તિત્ત્વ રહે છે. સાથે સાથે વર્તતા જ્ઞાનમાં એ જાણકારી હોઈ શકે છે કે આમાં કઈ ધાતુનું મિશ્રણ કેટલું છે, પરંતુ એનું જ્ઞાન એને હેય તત્ત્વ એટલે સુવર્ણ નો વિકાર સમજી કાઢી નાખવા યોગ્ય જ માને છે અને જાણે છે. ૮. આવી જ રીતે ભગવાન અરિહંતના આત્માના ગુણોનો પૂર્ણ વિકાસ થઈ ગયો છે. એટલે એના આત્માનેદ્રવ્યના માધ્યમથી જુઓ તો એવો જ છે ગુણો ના માધ્યમથી જુઓ તો એવો જ છે તથા પર્યાયના માધ્યમથી જુઓ તો પણ તેવો જ છે. એવી જ રીતે અરિહંત આત્માનું સ્વરૂપ આપણા આત્માને સમજવાને માટે યથાર્યકસોટીનું કાર્ય કરી શકશે. આવાત આપણા નિર્ણયમાં સ્પષ્ટ થઈ જવી જોઈએ. એટલામાટે અરિહંતના આત્માના સ્વરૂપને વિસ્તારપૂર્વક સમજવાથી આપણા આત્માનું સ્વરૂપ ઓળખવું સંભવ થઈ શકે છે. . ભગવાન અરિહંતના આત્માનું સ્વરૂપ ૧. સર્વ પ્રથમ તો આપણે અરિહંતના સ્વરૂપ ને બહુ જ સારી રીતે સમજવામાં પુરુષાર્થ લગાવવો જોઈએ. એ પાકું થઈગયા પછી આપણા સ્વરૂપની ઓળખાણ સુગમતાથી થઈ શકશે. ૨. આત્માને ઓળખવાનું ખાસ લક્ષણ જ્ઞાન છે. ભગવાન અરિહંતના આત્મામાં એની પૂર્ણતા છે અને જેની આપણામાં ઓછપ છે અને આપણે એની પૂર્ણતા ઈચ્છીએ છીએ. ૩. આપણા આત્મામાં રાગ-દ્વેષાદિ વિદ્યમાન છે, જેનો આપણે અભાવ કરવા ઈચ્છીએ છીએ. આવા રાગદ્વેષાદિ ભાવોનો અરિહંતમાં અભાવ હોવાથી તે પૂર્ણ વીતરાગી છે. ૪. પં. દોલતરામે છ ઢાળના મંગલાચરણમાં એમ કહ્યું છે કે - તીન ભુવનમેં સાર, વીતરાગ વિજ્ઞાનતા,શિવસ્વરૂપ વિકાર મહું વિયોગ સહારિડે, રાગ-દ્વેષ રહીત કેવળજ્ઞાન ત્રણ લોકમાં ઉત્તમ વસ્તુ, આનંદ સ્વરૂપ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy