SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭ આત્મશતા પ્રાપ્ત કરવા નો સરળ ઉપાય મોહની સેનાને કઈ રીતે જીતવી તેનો ઉપાય બતાવે છે - જે જાણતો અહંતને ગુણ, દ્રવ્યને પર્યાયપણે, તે જીવ જાણે આત્મને, તસુ મોહ પામે લય ખરે. •૮૦ અન્વયાર્થ - જે અહંતને દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાય પણે જાણે છે તે પોતાના આત્માને જાણે છે અને તેનો મોહ અવશ્ય લય પામે છે. ટીમ - જે ખરેખર અહંતનેદ્રવ્યપણે, ગુણપણે ને પર્યાયપણે પણ જાણે છે તે ખરેખર આત્માને જાણે છે, કારણકે બંન્નેમાં નિશ્ચયથી તફાવત નથી; વળી અહંતનું સ્વરૂપ છેલ્લા તાપને પામેલા સુવર્ણના સ્વરૂપની માફક, પરિસ્પષ્ટ (સર્વ પ્રકારે સ્પષ્ટ) છે. તેથી તેનું જ્ઞાન થતાં સર્વ આત્માનું જ્ઞાન થાય છે. ત્યાં અન્વયતેદ્રવ્ય છે, અન્વયનું વિશેષણગુણ છે, અન્વયના વ્યતિરેકો (ભેદો) તે પર્યાયો છે. સ્વૈત વિશુદ્ધ એવા તે ભગવાન અહંતમાં (અહંતના સ્વરૂપનો ખ્યાલ કરતાં) જીવ ત્રણ પ્રકારમય સમયને (દ્રવ્ય, ગુણ પર્યાયમય નિજ આત્માને) પોતાના મનવડે કળી લે છે, સમજી લે છે, જાણી લે છે. તે આ પ્રમાણે “આ ચેતન છે એવો જ અન્વય તે દ્રવ્ય છે. અન્વયને આશ્રિત રહેલું ચીતન્ય એવું જે વિશેષણ તે ગુણ છે અને એક સમય માત્રની મર્યાદાવાળું જેનું કાળ પરિમાણ હોવાથી પરસ્પર અપ્રવૃત એવા જે અન્વય વ્યતિરેકો (એકબીજામાં નહિ પ્રવર્તતા એવા જે અન્વયના વ્યતિરેકો) તે પર્યાયો છે કે જેઓ ચિવિવર્તનની (આત્મના પરિણમનની) ગ્રંથીઓ છે. હવે એ રીતે ત્રિાળક પણ (ત્રિકાળિક આત્માને પણ) એક કાળે કળી લે તો તે જીવ જેમ મોતીઓને ઝુલતા હારમાં સંક્ષેપવામાં આવે છે તેમ ચિદવિવર્તીને ચેતનમાં જે સંક્ષેપીને (અંતર્ગત કરીને) તથા વિશેષણ વિશેષ્ટાપણાની વાસનાનું (કલ્પનાનું) અંતર્ધાન (તિરોધાન – અદ્રશ્ય થઈ જવું) થવાથી–જેમ ધોળાશને હારમાં અંતહિત કરવામાં આવે છે-તેમ ચેતન્યને ચેતનમાં જ અંતહિંત (ગુપ્ત)કરીને જેમકેવળ હારને જાણવામાં આવે છે તેમ કેવળ આત્માને જાણતાં તેની ઉત્તરોત્તર ક્ષણે કર્તા-કર્મક્રિયાનો વિભાગ ક્ષય પામતો જતો હોવાથી, નિષ્ક્રિયચિત્માત્ર ભાવને પામે છે; અને એ રીતે મણીની જેમ જેનો નિર્મળ પ્રકાશ અપપણે પ્રવર્તે છે એવો તે (ચિન્માત્ર ભાવને પામેલા) જીવને મોહાંધકાર નિરાશ્રયપણાને લીધે અવશ્યમેવ પ્રલય પામે છે. જો આમ છે તો મોહની સેનાને જીતવાનો ઉપાય મેં મેળવ્યો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy