SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ * તેઓ સર્વે બાહ્ય ભાવો છોડી, સદાય આત્મામાં સમ્યક પ્રકારે સ્થિર થાય, તેને સામાયિક કહેવામાં આવે છે. * ૫૩ * પોતામાં પોતાના આત્માને જ્ઞાનદર્શનમય વિશુદ્ધ અવલોક્વો અને સમભાવની પ્રાપ્તિ કરવી તે સામાયિક છે. સામાયિક વિરોષ સ્પષ્ટતાઃ સામાયિકના બે પ્રકાર છે. ૧. નિશ્ચય સામાયિક ૨. વ્યવહાર સામાયિક નિશ્ચય સામાયિક : સમ્યગ્દર્શન - જ્ઞાન- ચારિત્ર સ્વભાવવાળા પરમાર્થભૂત જ્ઞાનનું ભવન (પરિણમન) માત્ર એટલે કે એકાગ્રતા લક્ષણરૂપ (શુદ્ધ આત્મસ્વરૂપ) આત્માની શુદ્ધ પર્યાય તે નિશ્ચય સામાયિક છે. વ્યવહાર સામાયિક : સભ્યષ્ટિ આત્માઓ જયારે પોતાના શુદ્ધ ઉપયોગમાં સ્થિર રહી શકતા નથી ત્યારે તેમનો પુરુષાર્થ જો કે રાગદ્વેષ તોડવા તરફ વળે છે તો પણ તેમાં અશુભ ભાવ ટળે છે અને શુભ ભાવ રહી જાય છે, તેવો પુરુષાર્થ બે ઘડી કે વધારે સમય સુધી ચાલુ રાખવાનો પ્રયાસ કરવો તે વ્યવહાર સામાયિક. સમ્યગ્દષ્ટિનું આ વ્રત છે. અર્થાત સામાયિક વ્રત સમ્યગ્દર્શન થયા પછી જ પાંચમા ગુણસ્થાને શ્રાવકને હોય છે. એનાથી નીચેની ભુમીકાવાળાને સામાયિક વ્રત હોતું નથી . જેઓ આત્માનું સ્વરૂપ ન જાણતા હોય તેવા મિથ્થાષ્ટિ જીવોને સામાચિકના સ્વરૂપની સમજણ હોતી નથી, તેથી તેમનામાં નામ સામાયિક વખતે જો મંદ કષાય હોય તો તે શુભરાગની ક્રિયાને વ્યવહારાભાસ સામાયિક કહેવામાં આવે છે. સમ્યગ્દર્શનરૂપી ભૂમિ વગર વ્રતરૂપ વૃક્ષ ન થાય . સામાયિક વ્રત માટે યોગ્યતા: જે જીવે સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યા પછી અંશે વીતરાગતા વધારી, વ્રત ધારણ કર્યા હોય તે જીવ સામાયિક વ્રત કરવા માટે યોગ્ય છે; આવા જીવો શ્રાવકના નામે ઓળખાતા પંચમ ગુણ સ્થાને હોય છે. સમ્યગ્દષ્ટિ ન હોય તેવા પાત્ર જીવો માટે શું? જિજ્ઞાસુ- પાત્ર જીવોએ સામાયિકનું સાચું સ્વરૂપ સમજવાની જરૂર છે. તે માટેતેમણે આચાર્યોએ લખેલાગ્રંથોમાંથી સામાયિક-પાઠ Jain Education International For Personal & Private Use Only ખરાખર વાચી www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy