SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ લાયક પદાર્થ એ છે કે બીજાના અસ્તિત્ત્વની પ્રસિદ્ધિ કરે. અર્થાત જે શેય પદાર્થોને મારું જ્ઞાન જાણે છે એ મારા માટે કિંમત કરવા યોગ્ય છે અથવા પોતે પોતાના અસ્તિત્ત્વને જાણતાં થકા અન્ય પદાર્થ અર્થાત જોયોના અસ્તિત્ત્વને હું જાણું છું, આ મારા માટે કિંમત કરવા યોગ્ય છે. આના પરથી એ નિર્ણય થઈ શકે છે કે હું જ એક મારા માટે ઉત્કૃષ્ટ મહિમાવાન પદાર્થ છું. મારા જ્ઞાનમાં આવતા જેટલા પણૉય છે એમની પણ પ્રસિદ્ધિ કરવાવાળો મારું જ્ઞાન જ હોય છે. આવી દ્રઢ શ્રદ્ધાથતાં એ જોયો પ્રત્યે ઉત્સાહની નિવૃત્તિ થવા માટે છે, કર્તુત્વ બુદ્ધિનો અભિપ્રાય તૂટવા લાગે છે. ફળસ્વરૂપ તે સંબંધી આકુળતા ઉભી થવાનો અવકાશ નથી રહેતો અને પરિણામમાં અત્યંત શાંતિ લાગે છે. આનું નામ જ આત્મિક સુખ છે. આ આત્માનો પરમ સ્વભાવરૂપ ધર્મ છે. આ જ્ઞાન સ્વભાવના નિર્ણયમાં જ ધર્મની ઉત્પત્તિ થાય છે - પ્રાપ્તિ થાય છે. ઉપસંહાર: ધર્મના સ્વરૂપને સમજવાની અંતર્ગત વત્યુ હાવ ધમ્મોના માધ્યમથી એમ સમજાય છે કે - જગતમાં વસ્તુઓ જાતિ અપેક્ષાએ છ હોવા છતાં પણ સંખ્યામાં અનંત છે. એ બધામાંથી હું પણ એ અનંતોમાંથી અને શરીરાદિ બધાથી અલગ એકલો જીવદ્રવ્ય છું. સત્ વસ્તુનો સ્વભાવ છે અને સત્ દ્રવ્ય લક્ષણમ્ ઉત્પાદ વ્યય ધ્રોવ્યયુકત સત્ અર્થાત દરેક વસ્તુ સત્સ્વભાવી હોવાથી પોતપોતાના સ્વભાવમાં સદાશાશ્વત બની રહે છે અને એ સદા નિત્ય બની રહેવા છતાં પણ પ્રત્યેક સમય પોતે પોતાથી પોતાની અવસ્થામાં પલટાવતી અનંતકાળ સુધી સત્તામાં બની રહે છે. ૩. ગુણપર્યયવઠ દ્રવ્યસૂત્રના સિદ્ધાંત અનુસાર દરેકદ્રવ્યનીસ્વયંની પોતપોતાની ગુણવત્તા, શકિતઓ, યોગ્યતાઓ, ગુણ હોય છે તથા તે દ્રવ્ય (વસ્તુઓ) પોત પોતાના ગુણ-શકિતઓમાં નિરંતર પલટવાનું કરતા જ રહે છે, જે પલટવાને પર્યાય કહે છે. એટલે વસ્તુ ગુણપર્યાયવાન જ હોય છે. ૪. ઉપરોકર સિદ્ધાંતોથી એ નિષ્કર્ષ નીકળે છે કે વિશ્વનો પ્રત્યેક દ્રવ્ય પોત પોતાના સ્વયંના ગુણોમાં નિરંતર, કોઈપણ બીજાની સહાયતા વગર, પોતપોતાની પૂર્વ અવસ્થાઓને છોડતો થકો નવીન નવીન અવસ્થા અર્થાત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy