SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ३७ • આનાથી એ સિદ્ધ થાય છે કે વસ્તુઓને પોત- પોતાના સ્વભાવરૂપ બની રહેવું એ જ વસ્તુઓનો પોત-પોતાનો ધર્મ છે. જેવી રીતે ક્ષમા, નમ્રતા, સરળતા, પવિત્રતા એ જે આત્માના સહજ ભાવો છે તેમાં એ વધુ ટકી રહે છે અને ક્રોધ, માન, માયા, લોભ જેવા કષાય ભાવોમાં એ વધુ સમય ટકી શકતો નથી. એટલા માટે ક્ષમાદિ આત્માનો સ્વભાવ છે જ્યારે ક્રોધાદિ એના વિભાવ છે. સ્વભાવ દશામાં આત્માની સુંદરતા છે, શાંતિ છે, નિરાકુળતા છે. જયારે વિભાવ દશામાં આકુળતા - વ્યાકુળતા જ છે. આ જ અપેક્ષાએ વસ્તુના સ્વભાવને ધર્મ કહેવામાં આવે છે. જ્ઞાન સ્વભાવના નિર્ણયમાં જ ધર્મની ઉત્પત્તિ-ધર્મ પ્રાપ્તિનો ઉપાય : આજગતમાં એક જીવ દ્રવ્ય સિવાયના બધા જ દ્રવ્યમાં અચેતનપણું હોવાથી નતો તેઓ પોતાને જાણે છે અને અન્ય જગતમાં બીજું કોઈપણછે એવું પણ નથી જાણતા. કારણકે એમનામાં જાણવાની શક્તિનો અભાવ છે. છતાં પણ એ બધા જ દ્રવ્યો પોત પોતાના જે ગુણ સ્વભાવ છે તેમાં નિરંતર ઉત્પાદ – વ્યયતાતાયમી રહીને અનાદિ અનંત પોતાના અસ્તિત્ત્વનેટકાવી રાખી-કોઈપણ આપસમાં એકબીજાના પરિણમનમાં કોઈપણ પ્રકારનો હસ્તક્ષેપ, સહાય, મદદ અથવા બાધકરૂપ નહિ થતાં પોત પોતાનું પરિણમન કરતા રહે છે. આ પ્રકારથી બધા જ દ્રવ્યો પોત પોતાના સ્વભાવમાં જ પરિણમન કંરતા અનાદિ અનંત વિશ્વની વ્યવસ્થા બનાવી રાખી છે. આ જ એ વસ્તુઓનો નિજ ધર્મ છે. એવી રીતે હું પણ ઉપરોકત બધા જ દ્રવ્યોથી વિલક્ષણ અસાધારણ ચૈતન્ય સ્વભાવ અર્થાત સ્વ અને પરને જાણવા રૂપ અચિંત્ય સામર્થ્યવાન સ્વભાવનો ધારક એક દ્રવ્ય છુ, હું મારા અચિંત્ય સામર્થ્યવાન જ્ઞાન, સુખ આદિ અનંત ગુણોની મહાન સંપદા સહિત અનાદિ અનંત જગતના બધા જ દ્રવ્યોથી મહાન સર્વોપથી બધાને જાણતો થકો બિરાજમાન છું. એ બધા સાથે મારે બીજો કોઈ સંબંધ નથી – જ્યારે હું એમને જાણું ત્યારે એ મારા જ્ઞાનના હોય માત્ર છે. એના સિવાય તેમના કાર્યમાં કોઈપણ પ્રકારનો હસ્તક્ષેપ, ફેરફારી, વધઘટ કરવાનો મને કોઈ અધિકાર નથી. વાસ્તવિક સ્થિતિ એમ છે કે જો આ જગતમાં જાણવાવાળો પદાર્થ ન હોય તો એ દ્રવ્યોના અસ્તિત્તાની પ્રસિદ્ધિ કોણકરત? એટલે કિંમત કરવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy