SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યાયરૂપ ઉત્પન્ન થયા કરે છે. એવો કોઈપણ સમયનથી આવતો કોઈપણ દ્રવ્ય કોઈપણ સમયે પોતાનો ઉપરોકત્તમ છોડીદે અર્થાત એક સમયમાત્ર અટકી જાય. તાત્પર્ય એ છે કે હું પણ અનંતદ્રવ્યોમાં જ એક જીવદ્રવ્ય છું, હું સ્વયં મારા અનંત ગુણોમાં પરિપૂર્ણ છું, સાથે પોતાના ગુણોની પ્રત્યેક સમય પૂર્વ અવસ્થા છોડીને બીજા કોઈની પણ સહાયતા, મદદ વગર નવીન નવીન અવસ્થાઓને નિરંતરકરતોયકો અનાદિથી અત્યાર સુધી વિદ્યમાન છું અને અનંતકાળ સુધી એવી રીતે વિદ્યમાન જ રહીશ. મારા આ પરિવર્તનમાં અન્યદ્રવ્યોની સહાયતાની કોઈ અપેક્ષા નથી કારણકે અન્યદ્રવ્યો પણ મારી જેમ પોત પોતાના ગુણોમાં પરિવર્તન કરી રહ્યા છે એટલે મારા પરિવર્તનમાં સહાયતા કરી પણ કેમ શકે? ૫. ઉપરોકત્ત સિદ્ધાંતની ચાર અભાવોના માધ્યમથી આચાર્યોએ દ્રઢતા પૂર્વક સપુષ્ટિ કરી છે. * કોઈપણ એક દ્રવ્યનો બીજદ્રવ્યમાં અત્યંતાભાવ છે. એટલે જેનો જેમાં અભાવ જ હોય તો તે તેમાં શું કરી શકે. * પુદ્ગલ દ્રવ્યના બેઈપણ સ્કંધમાં પ્રત્યેક પરમાણુનો બીજા સજાતીય પરમાણુઓમાં અત્યંતભાવ હોવા છતાં એક ક્ષેત્રાવગાહ જોડાયા છતાં પણ અન્યોન્યાભાવ છે. * કોઈપણ દ્રવ્યની વર્તમાન પર્યાયનો એ જ દ્રવ્યની પૂર્વ સમયવર્તી કોઈપણ પર્યાયમાં અભાવ છે એને પ્રાગભાવ કહેવામાં આવે છે. * પ્રત્યેક દ્રવ્યની વર્તમાન પર્યાયનો એ જ દ્રવ્યની ભવિષ્યમાં થવાવાળી પર્યાયમાં અભાવ જ રહેશે અને પ્રદર્વિસાભાવ કહેવાય છે. * આવી રીતે પ્રત્યેકદ્રવ્યની પ્રત્યેક સમય હોવાવાળી અવસ્થા (પર્યાય) કોઈપણ બીજાની સહાયતા વગર સ્વતંત્રતાથી પ્રત્યેક સમય ઉત્પાદ વ્યય કરતી જ રહે છે. જ્યારે એક દ્રવ્યની વર્તમાન પર્યાયમાં બીજા દ્રવ્યનો અથવા પર્યાયનો અભાવ જ છે તો એદ્રવ્ય અથવા પર્યાય એ બીજદ્રવ્યના પરિવર્તનમાં કેવી રીતે, શું કામ અને ક્યા પ્રકારે મદદ કરી શકે એવી શંકા ઉપસ્થિત હોવાનો અવકાશ જ ક્યાં રહે છે? ૬. ઉપરોકત્ત સ્થિતિમાં પ્રત્યેક વસ્તુ પોત-પોતાના સ્વભાવમાં, ગુણોમાં જ પરિણમન કરી શકે છે અને કર્યા જ કરે છે. આચાર્ય મહારાજ વન્યુ સહાવો ધો દ્વારા કહ્યું છે કે પ્રત્યેક વસ્તુ પોતાના સ્વભાવ રૂ૫ પરિણમન કરે એ જ પ્રત્યેક વસ્તુનો ધર્મ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy