SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ ધર્મનું સ્વરૂપ શું છે? વસ્તુનો સ્વભાવ ધર્મ છે. તો નીચેના ત્રણ પ્રશ્ન ઊભા થાય છે. * વસ્તુ શું છે? વસ્તુના સ્વભાવનો આશય શું છે? કે વસ્તુના સ્વભાવને ધર્મ કેમ કહેવામાં આવ્યો છે? જે વસ્તુ શું છે? આલોક છ દ્રવ્ય સ્વરૂપ છે. જીવ, અજીવ, ધર્મ, અધર્મ, આકાશ અને કળ. આ છ દ્રવ્ય સ્વરૂપ લોકમાં અનંત જીવ દ્રવ્ય, અનંતાઅનંત પુદ્ગલ દ્રવ્ય, એક ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, આકશદ્રવ્ય અને અસંખ્યાત કલાણુંઓથી ભરપુર છે. અર્થાત અનંતાઅનંત વસ્તુઓનો રહેવાનું સ્થાન છે. આ વિશ્વમાં જીવદ્રવ્ય ’પણ એક વસ્તુ છું. * બધી વસ્તુઓના સ્વભાવનો અર્થ શું છે? સ્વભાવનો અર્થ પોતપોતાના ગુણ - પોતપોતાની વિશેષતાઓ. શાસ્ત્રીય ભાષામાં દરેક વસ્તુમાં સામાન્ય સ્વભાવ અને વિશેષ સ્વભાવ એવા બે ભાગ પડે છે. જે સ્વભાવ બધી જ વસ્તુઓમાં સામાન્ય રૂપથી હોય તે સામાન્ય સ્વભાવ અને સ્વભાવ અમુકજદ્રવ્યમાં જોવામાં આવેતે વિશેષ સ્વભાવ છે. તત્ત્વાર્થસૂત્રમાં સતુદ્રવ્યલક્ષણમ્ અર્થાતઅસ્તિત્ત્વરહેવું ક્યારેય પણ નાશ ન થવું એ બધાથી મુખ્ય લક્ષણ છે. આ જગતમાં જેટલા પણ દ્રવ્ય છે, જાતિની અપેક્ષાએ એના છે પ્રકર છે, સંખ્યાની અપેક્ષાએ અનંતાઅનંત અને બધાજદ્રવ્યદરેક અલગઅલગ પોતાની–પોતાની સ્વતંત્ર સત્તાવાન પદાર્થ છે. આમાં કોઈની પણ સત્તામાં કોઈપણ કોઈપણ પ્રકારે બાધા પહોંચાડી શકતું નથી. એટલે હું પણ એક જીવદ્રવ્ય છું, મારી સત્તા અનાદિ અનંત છે અને તેમાં કોઈ બાધા નાખી શકે એવું આ જગતમાં કોઈ નથી તથા મને પણ બીજા ક્રેઈપણ દ્રવ્યની પદાર્થની સત્તામાં હસ્તક્ષેપ કરવાનો ઈ અધિકાર નથી. સામાન્ય ગુણઃ અસ્તિત્ત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્ત્વ, પ્રમેયત્ત્વ, અગુરુલઘુત્ત્વ, પ્રદેરાન્વ. વિશેષ ગુણઃ જીવ દ્રવ્યમાં ચેતના, સમ્યકત્વ. પુદ્ગલ દ્રવ્યમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy