SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ ૩ (૩ધર્મ અને ધર્મ સમજવાની પ્રક્રિયા ભૂમીક : ધર્મ સમજવા માટે આ ચાર પ્રશ્નો ઉપસ્થિત થાય છે? ૧. ધર્મ કોને કરવો છે? ૨. ધર્મ ક્યાં થાય છે? ૩. ધર્મનું સ્વરૂપ શું છે? ૪. ધર્મ પ્રાપ્તિનો ઉપાય શું છે? ધર્મ કોને કરવો છે? દરેક વ્યક્તિ એમ કહે છે અને માને છે કે ધર્મ માટે કરવો છે. પણ હું કોણ છું? એક ચેતન દ્રવ્ય અને બીજું જડ શરીર - આ બે એક છે એમ અનાદિકાળની માન્યતા દૂર કરવી પડશે અને હું કોણ છું? એના ઉત્તરરૂપે જ્યારે એ જવાબ આવશે, હુંચતન્યમાત્ર ત્રિકાળીશુદ્ધજ્ઞાયક ભાવ- ભગવાન આત્મા છું ત્યાં ધર્મ થશે. અને એટલે મારા આત્માને, આત્માને માટે, મારા આત્મામાં જ મારો ધર્મ થશે એવો વિશ્વાસ જાગૃત કરીને, મને આત્માના ધર્મનું સ્વરૂપ સમજીને, પોતાના જ માટે, પોતાનામાં જ ધર્મ પ્રગટ કરવો છે. તાત્પર્ય એ છે કે સર્વપ્રથમ પૂર્ણ પુરુષાર્થપૂર્વક આ નિર્ણય કરવો આવશ્યક છે કે ધર્મ કોને કરવો છે અર્થાત હું કોણ છું?” ધર્મ ક્યાં થાય છે? જે પ્રકારે હિંસા, અહિંસા, પાપ - પુણ્યના ભાવ આત્મામાં જ થાય છે એ પ્રકારે ધર્મ અર્થાત નિરાકુળતાનો ભાવ પણ આત્મામાં જ ઉત્પન્ન કરવો પડશે. જ્યાં વર્તમાનમાં આકુળતા થઈ રહી છે તે જ સ્થાન પર અર્થાત આત્માની સ્વયંની અવસ્થામાં જ એ આકુળતા અર્થાત અધર્મભાવને ટાળીને નિરાકુળતા અર્થાત ધર્મભાવ પ્રગટ કરી શકાય છે. આત્માનો ધર્મ આત્મામાં જ અર્થાત આત્માની સ્વયંની પર્યાયમાં (અવસ્થામાં) જ થાય છે. આ ધર્મ પ્રાપ્ત કરવાનો માર્ગ જિનાગમમાં - મોક્ષમાર્ગના નામથી સંબોધિત કરવામાં આવ્યો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy