SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ પોતાના વીતરાગ સ્વરૂપના લક્ષની એકાગ્રતાથી ખસીને પર લક્ષ કરે ત્યારે જ ઈચ્છા થાય છે. પર લક્ષે કદી પણ ઈચ્છાનો નાશ થઈ શકે નહિ. પોતાના સ્વરૂપની એકાગ્રતા વડે બધી ઈચ્છાનો નિરોધ એક સાથે થઈ જાય છે અને બધા જ વિષયોનું જ્ઞાન એક સાથે થઈ જાય છે. પણ જો પર લક્ષમાં અટકે તો પુરું જ્ઞાન થાય નહિ અને ઈચ્છાની ઉત્પત્તિ થયા વગર રહે નહિ તથા ત્યાંતો ઈચ્છા પ્રમાણે બધાં કાર્યો એક સાથે થઈ જ શકે નહિ. માટે સ્વરૂપની શ્રદ્ધા અને એકાગ્રતા વડે ઈચ્છાનો નિરોધ કરવો તે સરળ છે, પણ પર વિષયોને ગ્રહણ કરવાની ઈચ્છા મુજબકાર્યથઈ શકતું નથી. જીવજો પોતાના જ્ઞાયક સ્વભાવમાં સ્થિર થઈને જ્ઞાન કરે તો તેના જ્ઞાન પ્રમાણે બધા પદાર્થોનું પરિણમનસ્વયંથાય. પણજીવની ઈચ્છા પ્રમાણે બધા પદાર્થો કદી પરિણમે નહિ. આથી નક્કી થયું કે જ્ઞાન કરવું તે જીવનો સ્વભાવ છે અને ઈચ્છા કરવી તે જીવનો સ્વભાવ નથી. ઈચ્છા ટાળવાનો ઉપાય ભેદજ્ઞાન છે. પોતાના જ્ઞાન-સ્વભાવની શ્રદ્ધા અને એકાગ્રતાના જોરે ઈચ્છાનો અભાવ થઈ જાય છે. ઈચ્છા અનુસાર દુઃખ છે, સંયોગ અનુસાર નથી; ઈચ્છાનું મૂળ મિથ્યાત્વ છે. સંસારીજીવને મિથ્યાત્વ અજ્ઞાન અને અસંયમથી ઈચ્છા થાય છે અને તે ઈચ્છા જ દુઃખ છે. તેથી મિથ્યાત્વ, અજ્ઞાન અને અસંયમભાવ એ જ દુઃખના કારણો ઠર્યા. તેમાં સૌથી મોટું પ્રથમ મોટું કારણ -મોટું મૂળ કારણ મિથ્યાત્વ છે. ' - સુખનો ઉપાય સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગ્વારિત્ર રૂ૫ રત્નત્રય છે. માટે એનો જ ઉદ્યમ કરવો એ યોગ્ય છે. એ સાધન વડે જ સાચું સુખ પ્રગટે છે. જેમ જેમ સમ્યગ્દર્શન- જ્ઞાન - ચારિત્ર વધતાં જાય તેમ તેમ ઈચ્છાથતાં દુઃખટળતાં જાય છે અને સાચું સુખ પ્રગટતું જાય છે. આ ત્રિરત્ની સુખનું કારણ છે અને તે જ ધર્મ છે. ધર્મ તો આત્માનો સ્વભાવ છે એ જ સ્વભાવ પર્યાયો માં કેમ પ્રગટે એની જ આ વાત છે. O જ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy