SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ પુણ્યનો ઉદય છે, કેમકે તેનું લક્ષ વર્તમાનમાં પુણ્યના ફળ પ્રત્યે છે. પુણ્ય ફળને ભોગવવાની જે ઈચ્છા છે તે તો પાપ જ છે. આ રીતે વિષય, કષાય, પાપનો ઉદય અને પુણ્યનો ઉદય એ ચાર પ્રકારની ઈચ્છા એ જ દુઃખનું કારણ છે. ઉપાય ઃ જો પોતાના સ્વરૂપના અનુભવમાં એકાગ્ર થાય તોકેવળજ્ઞાનયતાંત્રણકાળ ત્રણ લોકના સમસ્તપદાર્થોનું ગ્રહણ જ્ઞાનમાં એક સાથે થાય. પણ અજ્ઞાની જીવ પોતાના સંયોગરહિત સ્વભાવને ભૂલીને સંયોગોને ભોગવવા માગે છે. પણ પુણ્યના ફળરૂપ સર્વે સામગ્રીઓને એક સાથે લક્ષમાં લઈ શક્તો નથી.એક સમયે થોડા જ પદાર્થને લક્ષમાં લઈ શકે છે, તેથી સમયે સમયે નવાનવા પદાર્થોને જાણવાની મેળવવાની કે ભોગવવાની ઈચ્છાથી આકુળવ્યાકુળ થયા કરે છે. એક સમય માત્ર પણ નિરાકુળ રહેતો નથી. જ્યારે કંઈક મંદકષાયથાય ત્યારે અજ્ઞાની જીવ પોતાને સુખી માને છે, પરંતુ તેને પોતાના રાગરહિત સ્વરૂપનો અનુભવ નથી અને પર પદાર્થોને ભોગવવાની આકુળતા છે તેથી તે નિરંતર દુઃખી જ છે. જ્યાં સુધી જીવ પોતાના નિરાકુળ સ્વરૂપને ન જાણે ત્યાં સુધી તેને ચારે પ્રકારની ઈચ્છાનો નિરંતર સદ્ભાવ હોય છે. તે ઈચ્છાકેમ થાય છે ? તેને પોતાના સુખસ્વરૂપનો નિર્ણય અનેવેદન નથી. તેને સ્વરૂપનો સંતોષ નથી પણ સદાય અસંતોષ રહ્યા કરે છે. તેથી તે પર વસ્તુથી સુખ મેળવવાની ઈચ્છા કરે છે. આત્મા તો જ્ઞાન - આનંદના સ્વભાવવાળો કૃતકૃત્ય છે. તેની રુચિ અને પ્રતીતિ કરે તો પરદ્રવ્યો પ્રત્યેની ઈચ્છા ટળે. પણ પોતાના એવા સ્વભાવની રૂચિ, પ્રતીતિ કે વિશ્વાસ ન કરે અને પર વિષયોના ગ્રહણની રુચિ કરે તે જીવને કદી ઈચ્છા ટળતી નથી. આત્માના શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રને ચૂકીને ઈચ્છામાં જ તે લીન થઈ ગયો છે, એ જ દુઃખ છે. ઈચ્છાના નિરોધને તપકહ્યો છે . જો જીવ સંપૂર્ણ સુખી હોય તો તેને ઈચ્છા જ ન થાય. જો જીવને સુખ જ હોય તો તે સુખ ઠરશાથી છુટીને બીજાની ઈચ્છા શા માટે કરે ? આત્માનો પૂર્ણ આનંદ અનુભવાતો હોય ત્યાં પરની ઈચ્છા જ કેમ થાય ? ઈચ્છા થાય એ જ એમ બતાવે છે કે તે જીવ દુઃખની ભૂમિકામાં રહેલો છે. આત્માથી જુદીકોઈપણ અન્ય વસ્તુમાં આત્માનું સુખ નથી, પુણ્યની ઈચ્છા પણ દુઃખરૂપ છે, પુણ્યભાવ પોતે પણ દુઃખરૂપ છે. For Personal & Private Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy